Gandhinagar : શિક્ષણ સચિવ મળ્યા TET-TATના ઉમેદવારોને! સારા સમાચાર આપવાની ખાતરી આપી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-12 09:43:37

ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક યોજના રદ્દ થાય અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતીનો ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ સરકાર દ્વારા જ્ઞાનસહાયકોની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી રહી છે. અનેક શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના ભરોસે ચાલે છે. વિદ્યાર્થીઓ વધે છે પરંતુ શિક્ષકો ઘટે છે. 

વિરોધ કરી રહેલા ઉમેદવારોને મળ્યા શિક્ષણ સચીવ!

જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોએ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો અનેક વખત પ્રયત્ન કર્યો. ગાંધીનગર ખાતે આંદોલન કરવા માટે ગયા પરંતુ તેમની સાથે થયેલો વ્યવહાર આપણે જાણીએ છીએ. ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારો શિક્ષણ સચિવ વિનોદ રાવને મળ્યા હતા. ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષક ભરતીની માંગ સાથે ફરી એક વખત ગાંધીનગરના દ્વારે રજૂઆત કરવા પહોંચ્યા હતા.આટલા સમયના આંદોલન અને વિરોધ બાદ શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉમેદવારોને મળ્યા હતા. 



ઉમેદવારોને શિક્ષણ સચિવ તરફથી મળ્યો પોઝિટિવ રિસ્પોન્સ 

ઉમેદવારોનું કહેવું છે કે શિક્ષણ સચિવે અમને સારી રીતે સાંભળ્યા હતા અને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો. અને સારા સમાચાર આપવાની સાંત્વના પણ આપી હતી. જે સારા સમાચારની ઉમેદવારો કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા એ સમાચાર તેમને ટૂંક સમયમાં મળશે તેવું શિક્ષણ સચિવનું કહેવું છે. બાકી તો શિક્ષણ સચિવ ઉમેદવારોને મળ્યા એ મહત્વનું છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.