Gandhinagar : શિક્ષણ સચિવ મળ્યા TET-TATના ઉમેદવારોને! સારા સમાચાર આપવાની ખાતરી આપી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-12 09:43:37

ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક યોજના રદ્દ થાય અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતીનો ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ સરકાર દ્વારા જ્ઞાનસહાયકોની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી રહી છે. અનેક શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના ભરોસે ચાલે છે. વિદ્યાર્થીઓ વધે છે પરંતુ શિક્ષકો ઘટે છે. 

વિરોધ કરી રહેલા ઉમેદવારોને મળ્યા શિક્ષણ સચીવ!

જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોએ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો અનેક વખત પ્રયત્ન કર્યો. ગાંધીનગર ખાતે આંદોલન કરવા માટે ગયા પરંતુ તેમની સાથે થયેલો વ્યવહાર આપણે જાણીએ છીએ. ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારો શિક્ષણ સચિવ વિનોદ રાવને મળ્યા હતા. ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષક ભરતીની માંગ સાથે ફરી એક વખત ગાંધીનગરના દ્વારે રજૂઆત કરવા પહોંચ્યા હતા.આટલા સમયના આંદોલન અને વિરોધ બાદ શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉમેદવારોને મળ્યા હતા. 



ઉમેદવારોને શિક્ષણ સચિવ તરફથી મળ્યો પોઝિટિવ રિસ્પોન્સ 

ઉમેદવારોનું કહેવું છે કે શિક્ષણ સચિવે અમને સારી રીતે સાંભળ્યા હતા અને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો. અને સારા સમાચાર આપવાની સાંત્વના પણ આપી હતી. જે સારા સમાચારની ઉમેદવારો કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા એ સમાચાર તેમને ટૂંક સમયમાં મળશે તેવું શિક્ષણ સચિવનું કહેવું છે. બાકી તો શિક્ષણ સચિવ ઉમેદવારોને મળ્યા એ મહત્વનું છે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .