Gandhinagar GIFT City : Gujarat સરકારના નિર્ણયને લઈ આવી Isudan Gadhvi અને Shaktisinh Gohilની પ્રતિક્રિયા.. સાંભળો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-23 12:18:53

ગુજરાતમાં ગઈકાલથી એક ચર્ચા થઈ રહી છે. સરકારે અચાનક લીધેલા નિર્ણયની. રાજ્ય સરકારે ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ આપી છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) માં સત્તાવાર રીતે કામ કરતા કર્મચારી અને અધિકારીઓ માટે દારુની મંજુરી આપી છે. ગીફ્ટ સિટીમાં આવનારા સત્તાવાર મુલાકાતીઓને પણ તેનો લાભ મળશે. આ નિર્ણય બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા આવી છે. 

આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે લેવાયો નિર્ણય!

એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે તેની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ સરાકર દ્વારા ગાંધીનગરમાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. અને લીકર પરમિશનને લઈ રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આ ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે GIFTસિટીએ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે અને તેના વિકાસને પ્રોત્સાહન મળે તે માટે સરકારે આ ફેંસલો કર્યો છે. 

ઈસુદાન ગઢવી તેમજ શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા 

આ નિર્ણય બાદ સરકારના નિર્ણય પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ નિર્ણયને લઈ કોંગ્રેસના પ્રદેશ શક્તિસિંહ ગોહિલે વખોડ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધીને પાછલા બારણે છૂટ કરી દેવાની પેરવી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એનાથી હું વ્યતિત છું. ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં દારૂ પીવાની છૂટ. કોઈ માણસ દારૂ પીને પકડાય અને કહી દે કે હું તો ગિફ્ટ સીટીમાંથી આવું છું એટલે છુટ... આ ઉપરાંત ઈસુદાન ગઢવીએ પણ આને લઈ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ગાંધીના ગુજરાતમાં ભાજપ સરકારે ન માત્ર ગાંધીજીનું પરંતુ તમામ ગુજરાતી લોકોનું અપમાન કર્યું છે.  


સરકારે આલોચના માટે તૈયાર રહેવું પડશે.! 

મહત્વનું છે કે આ નિર્ણય બાદ ગુજરાતીઓને જો દારૂ પીવો હશે તો બીજા રાજ્યોમાં નહીં જવું પડે. ગાંધીનગરમાં જ દારૂની વ્યવસ્થા મળી જશે. આ નિર્ણયને કારણે બુટલેગરોમાં ડર વ્યાપી ઉઠ્યો હશે તેવું લાગે છે! મહત્વનું છે આ નિર્ણય Practical છે પણ સરકારે આલોચના માટે પણ તૈયાર રહેવું પડશે કેમ કે પોતાના જ નેતાઓના ચૂંટણી સમયના જૂના નિવેદનો!, જેણે જેણે Practical થવાની વાત કરી એને ગાંધીના ગુજરાતના વિરોધી કહેલા છે એટલે રાજનીતિક બબાલોને બાજુ પર મૂકીએ અને દંભ બાજુએ મૂકીએ તો Global થવા માટે Global સ્વીકાર્યતા પણ જોઈએ એટલે નિર્ણય જરૂરી હતો.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .