Gandhinagar GIFT City : Gujarat સરકારના નિર્ણયને લઈ આવી Isudan Gadhvi અને Shaktisinh Gohilની પ્રતિક્રિયા.. સાંભળો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-23 12:18:53

ગુજરાતમાં ગઈકાલથી એક ચર્ચા થઈ રહી છે. સરકારે અચાનક લીધેલા નિર્ણયની. રાજ્ય સરકારે ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ આપી છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) માં સત્તાવાર રીતે કામ કરતા કર્મચારી અને અધિકારીઓ માટે દારુની મંજુરી આપી છે. ગીફ્ટ સિટીમાં આવનારા સત્તાવાર મુલાકાતીઓને પણ તેનો લાભ મળશે. આ નિર્ણય બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા આવી છે. 

આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે લેવાયો નિર્ણય!

એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે તેની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ સરાકર દ્વારા ગાંધીનગરમાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. અને લીકર પરમિશનને લઈ રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આ ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે GIFTસિટીએ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે અને તેના વિકાસને પ્રોત્સાહન મળે તે માટે સરકારે આ ફેંસલો કર્યો છે. 

ઈસુદાન ગઢવી તેમજ શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા 

આ નિર્ણય બાદ સરકારના નિર્ણય પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ નિર્ણયને લઈ કોંગ્રેસના પ્રદેશ શક્તિસિંહ ગોહિલે વખોડ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધીને પાછલા બારણે છૂટ કરી દેવાની પેરવી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એનાથી હું વ્યતિત છું. ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં દારૂ પીવાની છૂટ. કોઈ માણસ દારૂ પીને પકડાય અને કહી દે કે હું તો ગિફ્ટ સીટીમાંથી આવું છું એટલે છુટ... આ ઉપરાંત ઈસુદાન ગઢવીએ પણ આને લઈ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ગાંધીના ગુજરાતમાં ભાજપ સરકારે ન માત્ર ગાંધીજીનું પરંતુ તમામ ગુજરાતી લોકોનું અપમાન કર્યું છે.  


સરકારે આલોચના માટે તૈયાર રહેવું પડશે.! 

મહત્વનું છે કે આ નિર્ણય બાદ ગુજરાતીઓને જો દારૂ પીવો હશે તો બીજા રાજ્યોમાં નહીં જવું પડે. ગાંધીનગરમાં જ દારૂની વ્યવસ્થા મળી જશે. આ નિર્ણયને કારણે બુટલેગરોમાં ડર વ્યાપી ઉઠ્યો હશે તેવું લાગે છે! મહત્વનું છે આ નિર્ણય Practical છે પણ સરકારે આલોચના માટે પણ તૈયાર રહેવું પડશે કેમ કે પોતાના જ નેતાઓના ચૂંટણી સમયના જૂના નિવેદનો!, જેણે જેણે Practical થવાની વાત કરી એને ગાંધીના ગુજરાતના વિરોધી કહેલા છે એટલે રાજનીતિક બબાલોને બાજુ પર મૂકીએ અને દંભ બાજુએ મૂકીએ તો Global થવા માટે Global સ્વીકાર્યતા પણ જોઈએ એટલે નિર્ણય જરૂરી હતો.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.