Gandhinagar GIFT City : Gujarat સરકારના નિર્ણયને લઈ આવી Isudan Gadhvi અને Shaktisinh Gohilની પ્રતિક્રિયા.. સાંભળો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-23 12:18:53

ગુજરાતમાં ગઈકાલથી એક ચર્ચા થઈ રહી છે. સરકારે અચાનક લીધેલા નિર્ણયની. રાજ્ય સરકારે ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ આપી છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) માં સત્તાવાર રીતે કામ કરતા કર્મચારી અને અધિકારીઓ માટે દારુની મંજુરી આપી છે. ગીફ્ટ સિટીમાં આવનારા સત્તાવાર મુલાકાતીઓને પણ તેનો લાભ મળશે. આ નિર્ણય બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા આવી છે. 

આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે લેવાયો નિર્ણય!

એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે તેની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ સરાકર દ્વારા ગાંધીનગરમાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. અને લીકર પરમિશનને લઈ રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આ ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે GIFTસિટીએ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે અને તેના વિકાસને પ્રોત્સાહન મળે તે માટે સરકારે આ ફેંસલો કર્યો છે. 

ઈસુદાન ગઢવી તેમજ શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા 

આ નિર્ણય બાદ સરકારના નિર્ણય પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ નિર્ણયને લઈ કોંગ્રેસના પ્રદેશ શક્તિસિંહ ગોહિલે વખોડ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધીને પાછલા બારણે છૂટ કરી દેવાની પેરવી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એનાથી હું વ્યતિત છું. ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં દારૂ પીવાની છૂટ. કોઈ માણસ દારૂ પીને પકડાય અને કહી દે કે હું તો ગિફ્ટ સીટીમાંથી આવું છું એટલે છુટ... આ ઉપરાંત ઈસુદાન ગઢવીએ પણ આને લઈ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ગાંધીના ગુજરાતમાં ભાજપ સરકારે ન માત્ર ગાંધીજીનું પરંતુ તમામ ગુજરાતી લોકોનું અપમાન કર્યું છે.  


સરકારે આલોચના માટે તૈયાર રહેવું પડશે.! 

મહત્વનું છે કે આ નિર્ણય બાદ ગુજરાતીઓને જો દારૂ પીવો હશે તો બીજા રાજ્યોમાં નહીં જવું પડે. ગાંધીનગરમાં જ દારૂની વ્યવસ્થા મળી જશે. આ નિર્ણયને કારણે બુટલેગરોમાં ડર વ્યાપી ઉઠ્યો હશે તેવું લાગે છે! મહત્વનું છે આ નિર્ણય Practical છે પણ સરકારે આલોચના માટે પણ તૈયાર રહેવું પડશે કેમ કે પોતાના જ નેતાઓના ચૂંટણી સમયના જૂના નિવેદનો!, જેણે જેણે Practical થવાની વાત કરી એને ગાંધીના ગુજરાતના વિરોધી કહેલા છે એટલે રાજનીતિક બબાલોને બાજુ પર મૂકીએ અને દંભ બાજુએ મૂકીએ તો Global થવા માટે Global સ્વીકાર્યતા પણ જોઈએ એટલે નિર્ણય જરૂરી હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.