Gandhinagar : OPS મુદ્દે સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી, સત્યાગ્રહ છાવણીમાં કર્મચારીઓનો હલ્લાબોલ


  • Published By :
  • Published Date : 2024-02-23 16:39:39

ગાંધીનગર પાટનગરમાં જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ મેદાને ઉતર્યા છે. સરકારી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ આંદોલન છેડ્યું છે. સત્યાગ્રહ છાવણીમાં સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આંદોલનને લઈ સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓની માગ છે કે નવી પેન્શન યોજનાને નાબુદ કરવામાં આવે અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે.


લોકસભા ચૂંટણી પહેલા સરકારી અધિકારીઓ આંદોલનના માર્ગે

છેલ્લા ઘણા સમય વિવિધ સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. જ્યારે જ્યારે ચૂંટણી નજીક હોય છે ત્યારે પોતાની માગને લઈ સરકારી કર્મચારીઓ આંદોલનનો માર્ગ પકડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન છેડવામાં આવ્યું હતું ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.  


2004માં બંધ કરવામાં આવી હતી જૂની પેન્શન યોજના!

વિશ્વનું દરેક અર્થતંત્ર તેના વૃદ્ધોની કદર કરતુ હોય છે , કેમકે આ વૃદ્ધો એક સમયે અર્થતંત્ર માટે કામ કરતા હતા અને અર્થતંત્રના ફેલાવામાં યોગદાન આપતા હતા . આ કદરએ પેન્શન થકી થાય છે . આપણા ભારતમાં પણ આ જ પેન્શન scheme આઝાદી બાદ ચાલુ હતી . પરંતુ ૨૦૦૪માં આ ઓલ્ડ પેન્શન scheme બંધ કરવામાં આવી. ત્યારબાદ આ જ વર્ષે નવી પેન્શન scheme શરુ કરવામાં આવી હતી . 


ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં સરકારીઓ પહોંચ્યા!

ભારતની એ વખતની સરકારોનો દાવો એ હતો કે , કુલ બજેટના ૪૦ ટકા માત્ર ને માત્ર પેન્શન આપવામાં જ જતા રહે છે અને આપણે આ પ્રમાણ ઓછું કરવું જોઈએ અને નવી પેન્શન scheme નો અમલ કરવામાં આવ્યો . હાલમાં ભારતમાં છત્તીસગઢ , રાજસ્થાન , હિમાચલ પ્રદેશ , ઝારખંડ , પંજાબમાં જ આ OPS લાગુ છે પણ હવે ગુજરાતમાં પણ આ જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે સરકારી કર્મચારીઓ ભેગા થયા છે .ગુજરાતમાં આ જૂની પેન્શન scheme ને લાગુ કરવા , અત્યાર સુધી આ આંદોલન જિલ્લા સ્તરે હતું હવે આ આંદોલન રાજ્ય સ્તરે પહોંચ્યું છે . 


સેંકડો કર્મચારીઓ આજે કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન

રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે . સત્યાગ્રહ છાવણીમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે .આંદોલનકારીઓની  એક જ માંગ છે ," સરકાર આપેલા વચનો પુરા કરે . અમે જૂની પેન્શન યોજના લાગુ કરાવીને જ અહીંથી જઈશું". ગુજરાતમાં આ આંદોલન વિધાનસભા વખતે પણ ચાલુ હતું , અને હવે લોકસભાના ઇલેકશન વખતે પણ આ આંદોલન ચાલુ થયું છે . આજે સવારથી જ સેંકડો કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ઉમટી પડ્યા છે . જેને લઈને સત્યાગ્રહ છાવણીની પોલીસે ચારે દિશાથી કિલ્લેબંઘી કરી દીધી છે . 

આ અધિકારીઓ કરી રહ્યા છે આંદોલન

આ પ્રદર્શનમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પદાધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થશે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓ આ પ્રમાણે છે . OPS એટલે જૂની પેન્શન યોજનાનો અમલ. ફિક્સ પગારને મૂળ અસરથી દૂર કરો , બાકી પ્રશ્નોનું પણ નિરાકરણ થાય સાતમા પગાર પંચના બાકી રહેલા ભથ્થા આપવામાં આવે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"