Gandhinagar : OPS મુદ્દે સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી, સત્યાગ્રહ છાવણીમાં કર્મચારીઓનો હલ્લાબોલ


  • Published By :
  • Published Date : 2024-02-23 16:39:39

ગાંધીનગર પાટનગરમાં જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ મેદાને ઉતર્યા છે. સરકારી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ આંદોલન છેડ્યું છે. સત્યાગ્રહ છાવણીમાં સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આંદોલનને લઈ સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓની માગ છે કે નવી પેન્શન યોજનાને નાબુદ કરવામાં આવે અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે.


લોકસભા ચૂંટણી પહેલા સરકારી અધિકારીઓ આંદોલનના માર્ગે

છેલ્લા ઘણા સમય વિવિધ સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. જ્યારે જ્યારે ચૂંટણી નજીક હોય છે ત્યારે પોતાની માગને લઈ સરકારી કર્મચારીઓ આંદોલનનો માર્ગ પકડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન છેડવામાં આવ્યું હતું ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.  


2004માં બંધ કરવામાં આવી હતી જૂની પેન્શન યોજના!

વિશ્વનું દરેક અર્થતંત્ર તેના વૃદ્ધોની કદર કરતુ હોય છે , કેમકે આ વૃદ્ધો એક સમયે અર્થતંત્ર માટે કામ કરતા હતા અને અર્થતંત્રના ફેલાવામાં યોગદાન આપતા હતા . આ કદરએ પેન્શન થકી થાય છે . આપણા ભારતમાં પણ આ જ પેન્શન scheme આઝાદી બાદ ચાલુ હતી . પરંતુ ૨૦૦૪માં આ ઓલ્ડ પેન્શન scheme બંધ કરવામાં આવી. ત્યારબાદ આ જ વર્ષે નવી પેન્શન scheme શરુ કરવામાં આવી હતી . 


ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં સરકારીઓ પહોંચ્યા!

ભારતની એ વખતની સરકારોનો દાવો એ હતો કે , કુલ બજેટના ૪૦ ટકા માત્ર ને માત્ર પેન્શન આપવામાં જ જતા રહે છે અને આપણે આ પ્રમાણ ઓછું કરવું જોઈએ અને નવી પેન્શન scheme નો અમલ કરવામાં આવ્યો . હાલમાં ભારતમાં છત્તીસગઢ , રાજસ્થાન , હિમાચલ પ્રદેશ , ઝારખંડ , પંજાબમાં જ આ OPS લાગુ છે પણ હવે ગુજરાતમાં પણ આ જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે સરકારી કર્મચારીઓ ભેગા થયા છે .ગુજરાતમાં આ જૂની પેન્શન scheme ને લાગુ કરવા , અત્યાર સુધી આ આંદોલન જિલ્લા સ્તરે હતું હવે આ આંદોલન રાજ્ય સ્તરે પહોંચ્યું છે . 


સેંકડો કર્મચારીઓ આજે કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન

રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે . સત્યાગ્રહ છાવણીમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે .આંદોલનકારીઓની  એક જ માંગ છે ," સરકાર આપેલા વચનો પુરા કરે . અમે જૂની પેન્શન યોજના લાગુ કરાવીને જ અહીંથી જઈશું". ગુજરાતમાં આ આંદોલન વિધાનસભા વખતે પણ ચાલુ હતું , અને હવે લોકસભાના ઇલેકશન વખતે પણ આ આંદોલન ચાલુ થયું છે . આજે સવારથી જ સેંકડો કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ઉમટી પડ્યા છે . જેને લઈને સત્યાગ્રહ છાવણીની પોલીસે ચારે દિશાથી કિલ્લેબંઘી કરી દીધી છે . 

આ અધિકારીઓ કરી રહ્યા છે આંદોલન

આ પ્રદર્શનમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પદાધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થશે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓ આ પ્રમાણે છે . OPS એટલે જૂની પેન્શન યોજનાનો અમલ. ફિક્સ પગારને મૂળ અસરથી દૂર કરો , બાકી પ્રશ્નોનું પણ નિરાકરણ થાય સાતમા પગાર પંચના બાકી રહેલા ભથ્થા આપવામાં આવે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.