Gandhinagar : OPS મુદ્દે સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી, સત્યાગ્રહ છાવણીમાં કર્મચારીઓનો હલ્લાબોલ


  • Published By :
  • Published Date : 2024-02-23 16:39:39

ગાંધીનગર પાટનગરમાં જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ મેદાને ઉતર્યા છે. સરકારી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ આંદોલન છેડ્યું છે. સત્યાગ્રહ છાવણીમાં સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આંદોલનને લઈ સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓની માગ છે કે નવી પેન્શન યોજનાને નાબુદ કરવામાં આવે અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે.


લોકસભા ચૂંટણી પહેલા સરકારી અધિકારીઓ આંદોલનના માર્ગે

છેલ્લા ઘણા સમય વિવિધ સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. જ્યારે જ્યારે ચૂંટણી નજીક હોય છે ત્યારે પોતાની માગને લઈ સરકારી કર્મચારીઓ આંદોલનનો માર્ગ પકડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન છેડવામાં આવ્યું હતું ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.  


2004માં બંધ કરવામાં આવી હતી જૂની પેન્શન યોજના!

વિશ્વનું દરેક અર્થતંત્ર તેના વૃદ્ધોની કદર કરતુ હોય છે , કેમકે આ વૃદ્ધો એક સમયે અર્થતંત્ર માટે કામ કરતા હતા અને અર્થતંત્રના ફેલાવામાં યોગદાન આપતા હતા . આ કદરએ પેન્શન થકી થાય છે . આપણા ભારતમાં પણ આ જ પેન્શન scheme આઝાદી બાદ ચાલુ હતી . પરંતુ ૨૦૦૪માં આ ઓલ્ડ પેન્શન scheme બંધ કરવામાં આવી. ત્યારબાદ આ જ વર્ષે નવી પેન્શન scheme શરુ કરવામાં આવી હતી . 


ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં સરકારીઓ પહોંચ્યા!

ભારતની એ વખતની સરકારોનો દાવો એ હતો કે , કુલ બજેટના ૪૦ ટકા માત્ર ને માત્ર પેન્શન આપવામાં જ જતા રહે છે અને આપણે આ પ્રમાણ ઓછું કરવું જોઈએ અને નવી પેન્શન scheme નો અમલ કરવામાં આવ્યો . હાલમાં ભારતમાં છત્તીસગઢ , રાજસ્થાન , હિમાચલ પ્રદેશ , ઝારખંડ , પંજાબમાં જ આ OPS લાગુ છે પણ હવે ગુજરાતમાં પણ આ જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે સરકારી કર્મચારીઓ ભેગા થયા છે .ગુજરાતમાં આ જૂની પેન્શન scheme ને લાગુ કરવા , અત્યાર સુધી આ આંદોલન જિલ્લા સ્તરે હતું હવે આ આંદોલન રાજ્ય સ્તરે પહોંચ્યું છે . 


સેંકડો કર્મચારીઓ આજે કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન

રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે . સત્યાગ્રહ છાવણીમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે .આંદોલનકારીઓની  એક જ માંગ છે ," સરકાર આપેલા વચનો પુરા કરે . અમે જૂની પેન્શન યોજના લાગુ કરાવીને જ અહીંથી જઈશું". ગુજરાતમાં આ આંદોલન વિધાનસભા વખતે પણ ચાલુ હતું , અને હવે લોકસભાના ઇલેકશન વખતે પણ આ આંદોલન ચાલુ થયું છે . આજે સવારથી જ સેંકડો કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ઉમટી પડ્યા છે . જેને લઈને સત્યાગ્રહ છાવણીની પોલીસે ચારે દિશાથી કિલ્લેબંઘી કરી દીધી છે . 

આ અધિકારીઓ કરી રહ્યા છે આંદોલન

આ પ્રદર્શનમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પદાધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થશે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓ આ પ્રમાણે છે . OPS એટલે જૂની પેન્શન યોજનાનો અમલ. ફિક્સ પગારને મૂળ અસરથી દૂર કરો , બાકી પ્રશ્નોનું પણ નિરાકરણ થાય સાતમા પગાર પંચના બાકી રહેલા ભથ્થા આપવામાં આવે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.