Gandhinagar : OPS મુદ્દે સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી, સત્યાગ્રહ છાવણીમાં કર્મચારીઓનો હલ્લાબોલ


  • Published By :
  • Published Date : 2024-02-23 16:39:39

ગાંધીનગર પાટનગરમાં જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ મેદાને ઉતર્યા છે. સરકારી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ આંદોલન છેડ્યું છે. સત્યાગ્રહ છાવણીમાં સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આંદોલનને લઈ સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓની માગ છે કે નવી પેન્શન યોજનાને નાબુદ કરવામાં આવે અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે.


લોકસભા ચૂંટણી પહેલા સરકારી અધિકારીઓ આંદોલનના માર્ગે

છેલ્લા ઘણા સમય વિવિધ સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. જ્યારે જ્યારે ચૂંટણી નજીક હોય છે ત્યારે પોતાની માગને લઈ સરકારી કર્મચારીઓ આંદોલનનો માર્ગ પકડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન છેડવામાં આવ્યું હતું ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.  


2004માં બંધ કરવામાં આવી હતી જૂની પેન્શન યોજના!

વિશ્વનું દરેક અર્થતંત્ર તેના વૃદ્ધોની કદર કરતુ હોય છે , કેમકે આ વૃદ્ધો એક સમયે અર્થતંત્ર માટે કામ કરતા હતા અને અર્થતંત્રના ફેલાવામાં યોગદાન આપતા હતા . આ કદરએ પેન્શન થકી થાય છે . આપણા ભારતમાં પણ આ જ પેન્શન scheme આઝાદી બાદ ચાલુ હતી . પરંતુ ૨૦૦૪માં આ ઓલ્ડ પેન્શન scheme બંધ કરવામાં આવી. ત્યારબાદ આ જ વર્ષે નવી પેન્શન scheme શરુ કરવામાં આવી હતી . 


ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં સરકારીઓ પહોંચ્યા!

ભારતની એ વખતની સરકારોનો દાવો એ હતો કે , કુલ બજેટના ૪૦ ટકા માત્ર ને માત્ર પેન્શન આપવામાં જ જતા રહે છે અને આપણે આ પ્રમાણ ઓછું કરવું જોઈએ અને નવી પેન્શન scheme નો અમલ કરવામાં આવ્યો . હાલમાં ભારતમાં છત્તીસગઢ , રાજસ્થાન , હિમાચલ પ્રદેશ , ઝારખંડ , પંજાબમાં જ આ OPS લાગુ છે પણ હવે ગુજરાતમાં પણ આ જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે સરકારી કર્મચારીઓ ભેગા થયા છે .ગુજરાતમાં આ જૂની પેન્શન scheme ને લાગુ કરવા , અત્યાર સુધી આ આંદોલન જિલ્લા સ્તરે હતું હવે આ આંદોલન રાજ્ય સ્તરે પહોંચ્યું છે . 


સેંકડો કર્મચારીઓ આજે કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન

રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે . સત્યાગ્રહ છાવણીમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે .આંદોલનકારીઓની  એક જ માંગ છે ," સરકાર આપેલા વચનો પુરા કરે . અમે જૂની પેન્શન યોજના લાગુ કરાવીને જ અહીંથી જઈશું". ગુજરાતમાં આ આંદોલન વિધાનસભા વખતે પણ ચાલુ હતું , અને હવે લોકસભાના ઇલેકશન વખતે પણ આ આંદોલન ચાલુ થયું છે . આજે સવારથી જ સેંકડો કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ઉમટી પડ્યા છે . જેને લઈને સત્યાગ્રહ છાવણીની પોલીસે ચારે દિશાથી કિલ્લેબંઘી કરી દીધી છે . 

આ અધિકારીઓ કરી રહ્યા છે આંદોલન

આ પ્રદર્શનમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પદાધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થશે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓ આ પ્રમાણે છે . OPS એટલે જૂની પેન્શન યોજનાનો અમલ. ફિક્સ પગારને મૂળ અસરથી દૂર કરો , બાકી પ્રશ્નોનું પણ નિરાકરણ થાય સાતમા પગાર પંચના બાકી રહેલા ભથ્થા આપવામાં આવે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે