ગાંધીનગર:ગુજરાત વ્યાયામ હિત રક્ષક સમિતિ અને કલા સંઘ ઉતર્યા હડતાલ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 13:35:50

વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક,ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગમાં છેલ્લા 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી.15000થી વધુ એવા ઉમેદવાર છે કે જે મોટા ખર્ચા કરી ભણી અને ડિગ્રી મેળવી છે.તેમ છતાં 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. 29 તારીખે નેશનલ ગેમ્સનો વિરોધની ઉમેદવારો દ્વારા ચીમકી આપવામાં આવી છે

ગાંધીનગરમાં વધુ એક આંદોલન 

ગુજરાત સરકાર સામે ગાંધીનગર ખાતે છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારના આંદોલન ચાલી રહ્યા છે.અમુક આંદોલન માંગણી સ્વીકારાતા સમેટાયા. તો અમુક આંદોલન હજુ પણ યથાવત ચાલી રહ્યા છે.સરકાર સામે વધુ એક આંદોલન શરુ થયું છે.વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગમાં છેલ્લા 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. રાજયમાં 15000થી વધુ એવા ઉમેદવારો છે કે જે ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે મોટા ખર્ચા કરીને પણ ભણીને ડીગ્રી મેળવીને બેઠા છે. પરંતુ સરકારે ભરતી કરતીને તેમની ડીગ્રીઓને નકામી બનાવી દીધી છે.અત્રે નોંધનીય છે કે, હજારો યુવકો વ્યાયામ ઉચ્ચ અભ્યાસ કરી નેશનલ કક્ષાની રમતોમાં ભાગ લઇ. બી. પી. એડ., સી. પી. એડ ,ની ડિગ્રીઓ ધરાવતા યુવાનો પણ બેરોજગારીની કારણે બેઠા છે

ગુજરાતમાં ખેલ મહાકુંભ અને કલાકુંભ ઉજવીને કરોડોનાં ખર્ચા કરાય છે

વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગમાં ઘણા વર્ષથી ભરતી કરવામાં આવી નથી.બી. પી. એડ. અને સી. પી. એડની ડિગ્રી હોવા છતાં ઉમેદવારો બેરોજગાર ફરી રહ્યા છે .ઉમેદવારોએ આટલા પૈસા બગાડ્યા આટલો સમય બગાડ્યો છતાં હજુ સુધી કોઈ પણ ભરતી કરવામાં આવી નથી. જેને લઈ ઉમેદવારો ગાંધીનગર પહોંચી ભરતી કારોના નર સાથે વિરોદ્ધ નોંધાવ્યો હતો 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.