ગાંધીનગર:ગુજરાત વ્યાયામ હિત રક્ષક સમિતિ અને કલા સંઘ ઉતર્યા હડતાલ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 13:35:50

વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક,ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગમાં છેલ્લા 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી.15000થી વધુ એવા ઉમેદવાર છે કે જે મોટા ખર્ચા કરી ભણી અને ડિગ્રી મેળવી છે.તેમ છતાં 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. 29 તારીખે નેશનલ ગેમ્સનો વિરોધની ઉમેદવારો દ્વારા ચીમકી આપવામાં આવી છે

ગાંધીનગરમાં વધુ એક આંદોલન 

ગુજરાત સરકાર સામે ગાંધીનગર ખાતે છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારના આંદોલન ચાલી રહ્યા છે.અમુક આંદોલન માંગણી સ્વીકારાતા સમેટાયા. તો અમુક આંદોલન હજુ પણ યથાવત ચાલી રહ્યા છે.સરકાર સામે વધુ એક આંદોલન શરુ થયું છે.વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગમાં છેલ્લા 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. રાજયમાં 15000થી વધુ એવા ઉમેદવારો છે કે જે ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે મોટા ખર્ચા કરીને પણ ભણીને ડીગ્રી મેળવીને બેઠા છે. પરંતુ સરકારે ભરતી કરતીને તેમની ડીગ્રીઓને નકામી બનાવી દીધી છે.અત્રે નોંધનીય છે કે, હજારો યુવકો વ્યાયામ ઉચ્ચ અભ્યાસ કરી નેશનલ કક્ષાની રમતોમાં ભાગ લઇ. બી. પી. એડ., સી. પી. એડ ,ની ડિગ્રીઓ ધરાવતા યુવાનો પણ બેરોજગારીની કારણે બેઠા છે

ગુજરાતમાં ખેલ મહાકુંભ અને કલાકુંભ ઉજવીને કરોડોનાં ખર્ચા કરાય છે

વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગમાં ઘણા વર્ષથી ભરતી કરવામાં આવી નથી.બી. પી. એડ. અને સી. પી. એડની ડિગ્રી હોવા છતાં ઉમેદવારો બેરોજગાર ફરી રહ્યા છે .ઉમેદવારોએ આટલા પૈસા બગાડ્યા આટલો સમય બગાડ્યો છતાં હજુ સુધી કોઈ પણ ભરતી કરવામાં આવી નથી. જેને લઈ ઉમેદવારો ગાંધીનગર પહોંચી ભરતી કારોના નર સાથે વિરોદ્ધ નોંધાવ્યો હતો 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.