ગાંધીનગર:ગુજરાત વ્યાયામ હિત રક્ષક સમિતિ અને કલા સંઘ ઉતર્યા હડતાલ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 13:35:50

વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક,ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગમાં છેલ્લા 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી.15000થી વધુ એવા ઉમેદવાર છે કે જે મોટા ખર્ચા કરી ભણી અને ડિગ્રી મેળવી છે.તેમ છતાં 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. 29 તારીખે નેશનલ ગેમ્સનો વિરોધની ઉમેદવારો દ્વારા ચીમકી આપવામાં આવી છે

ગાંધીનગરમાં વધુ એક આંદોલન 

ગુજરાત સરકાર સામે ગાંધીનગર ખાતે છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારના આંદોલન ચાલી રહ્યા છે.અમુક આંદોલન માંગણી સ્વીકારાતા સમેટાયા. તો અમુક આંદોલન હજુ પણ યથાવત ચાલી રહ્યા છે.સરકાર સામે વધુ એક આંદોલન શરુ થયું છે.વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગમાં છેલ્લા 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. રાજયમાં 15000થી વધુ એવા ઉમેદવારો છે કે જે ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે મોટા ખર્ચા કરીને પણ ભણીને ડીગ્રી મેળવીને બેઠા છે. પરંતુ સરકારે ભરતી કરતીને તેમની ડીગ્રીઓને નકામી બનાવી દીધી છે.અત્રે નોંધનીય છે કે, હજારો યુવકો વ્યાયામ ઉચ્ચ અભ્યાસ કરી નેશનલ કક્ષાની રમતોમાં ભાગ લઇ. બી. પી. એડ., સી. પી. એડ ,ની ડિગ્રીઓ ધરાવતા યુવાનો પણ બેરોજગારીની કારણે બેઠા છે

ગુજરાતમાં ખેલ મહાકુંભ અને કલાકુંભ ઉજવીને કરોડોનાં ખર્ચા કરાય છે

વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગમાં ઘણા વર્ષથી ભરતી કરવામાં આવી નથી.બી. પી. એડ. અને સી. પી. એડની ડિગ્રી હોવા છતાં ઉમેદવારો બેરોજગાર ફરી રહ્યા છે .ઉમેદવારોએ આટલા પૈસા બગાડ્યા આટલો સમય બગાડ્યો છતાં હજુ સુધી કોઈ પણ ભરતી કરવામાં આવી નથી. જેને લઈ ઉમેદવારો ગાંધીનગર પહોંચી ભરતી કારોના નર સાથે વિરોદ્ધ નોંધાવ્યો હતો 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.