ગાંધીનગર:ગુજરાત વ્યાયામ હિત રક્ષક સમિતિ અને કલા સંઘ ઉતર્યા હડતાલ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 13:35:50

વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક,ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગમાં છેલ્લા 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી.15000થી વધુ એવા ઉમેદવાર છે કે જે મોટા ખર્ચા કરી ભણી અને ડિગ્રી મેળવી છે.તેમ છતાં 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. 29 તારીખે નેશનલ ગેમ્સનો વિરોધની ઉમેદવારો દ્વારા ચીમકી આપવામાં આવી છે

ગાંધીનગરમાં વધુ એક આંદોલન 

ગુજરાત સરકાર સામે ગાંધીનગર ખાતે છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારના આંદોલન ચાલી રહ્યા છે.અમુક આંદોલન માંગણી સ્વીકારાતા સમેટાયા. તો અમુક આંદોલન હજુ પણ યથાવત ચાલી રહ્યા છે.સરકાર સામે વધુ એક આંદોલન શરુ થયું છે.વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગમાં છેલ્લા 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. રાજયમાં 15000થી વધુ એવા ઉમેદવારો છે કે જે ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે મોટા ખર્ચા કરીને પણ ભણીને ડીગ્રી મેળવીને બેઠા છે. પરંતુ સરકારે ભરતી કરતીને તેમની ડીગ્રીઓને નકામી બનાવી દીધી છે.અત્રે નોંધનીય છે કે, હજારો યુવકો વ્યાયામ ઉચ્ચ અભ્યાસ કરી નેશનલ કક્ષાની રમતોમાં ભાગ લઇ. બી. પી. એડ., સી. પી. એડ ,ની ડિગ્રીઓ ધરાવતા યુવાનો પણ બેરોજગારીની કારણે બેઠા છે

ગુજરાતમાં ખેલ મહાકુંભ અને કલાકુંભ ઉજવીને કરોડોનાં ખર્ચા કરાય છે

વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગમાં ઘણા વર્ષથી ભરતી કરવામાં આવી નથી.બી. પી. એડ. અને સી. પી. એડની ડિગ્રી હોવા છતાં ઉમેદવારો બેરોજગાર ફરી રહ્યા છે .ઉમેદવારોએ આટલા પૈસા બગાડ્યા આટલો સમય બગાડ્યો છતાં હજુ સુધી કોઈ પણ ભરતી કરવામાં આવી નથી. જેને લઈ ઉમેદવારો ગાંધીનગર પહોંચી ભરતી કારોના નર સાથે વિરોદ્ધ નોંધાવ્યો હતો 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે