Gandhinagar : કમલમને ઘેરવાનો ક્ષત્રિય સમાજનો પ્લાન! રાજ શેખાવત કમલમ પહોંચે તે પહેલા તેમની કરી લેવાઈ અટકાયત?


  • Published By :
  • Published Date : 2024-04-09 13:03:29

જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ વધારે ઉગ્ર બની રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલા પણ નામાંકનને લઈ અડીખમ દેખાઈ રહ્યા છે. પરષોત્તમ રૂપાલા અનેક વખત માફી પણ માગી ચૂક્યા છે તો પણ આ વિવાદ શાંત થાય તેવા એંધાણ હાલ દેખાઈ નથી રહ્યા તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. આ બધા વચ્ચે કરણી સેનાના અધ્યક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આજે ગાંધીનગર કમલમનો ઘેરાવો કરવામાં આવશે. આ જાહેરાત બાદ કમલમ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. એરપોર્ટ પર રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે

.  

પાઘડી નીકળી જતા રાજ શેખાવત લાલઘૂમ થયા

પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરાવા ક્ષત્રિય સમાજ અડગ!

ગુજરાતની 26 લોકસભા બેઠક માટે જ્યારથી ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ભાજપને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક બેઠકો પર ઉમેદવારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બે બેઠકો પર ભાજપે ઉમેદવારને બદલ્યા છે ત્યારે રાજકોટ લોકસભા સીટ પર પણ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. પોતાની માગ પર સમાજ અડગ છે. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તે પ્રયાસો નિષ્ફળ સાબિત થયા.  


રાજ શેખાવતની કરાઈ અટકાયત!

થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે રેલીમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા. પોતાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. આ બધા વચ્ચે આજે કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરણી સેના દ્વારા કરવામાં આવી હતી. રાજ શેખાવત દ્વારા આ જાહેરાત કરાતા કમલમમાં મોટી સંખ્યામાં સુરક્ષાબળને તૈનાત કરી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં સમાજના લોકો ભેગા થાય તે માટે આહ્વાહન કરવામાં આવ્યું છે. બપોરના સમયે કરણી સેના કમલમનો ઘેરાવો કરવાની છે.આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે રાજ શેખાવતને નજર કેદ કરી લેવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર કરણી સેનાના અધ્યક્ષને નજર કેદ કરી લેવાયા છે તેવી માહિતી સામે આવી હતી પંરતુ તે બાદ એવી માહિતી સામે આવી કે તેમની અટકાયત કરી લેવામાં આવી છે... કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરાયા બાદ પોલીસ પણ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે