Gandhinagar : કમલમને ઘેરવાનો ક્ષત્રિય સમાજનો પ્લાન! રાજ શેખાવત કમલમ પહોંચે તે પહેલા તેમની કરી લેવાઈ અટકાયત?


  • Published By :
  • Published Date : 2024-04-09 13:03:29

જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ વધારે ઉગ્ર બની રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલા પણ નામાંકનને લઈ અડીખમ દેખાઈ રહ્યા છે. પરષોત્તમ રૂપાલા અનેક વખત માફી પણ માગી ચૂક્યા છે તો પણ આ વિવાદ શાંત થાય તેવા એંધાણ હાલ દેખાઈ નથી રહ્યા તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. આ બધા વચ્ચે કરણી સેનાના અધ્યક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આજે ગાંધીનગર કમલમનો ઘેરાવો કરવામાં આવશે. આ જાહેરાત બાદ કમલમ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. એરપોર્ટ પર રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે

.  

પાઘડી નીકળી જતા રાજ શેખાવત લાલઘૂમ થયા

પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરાવા ક્ષત્રિય સમાજ અડગ!

ગુજરાતની 26 લોકસભા બેઠક માટે જ્યારથી ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ભાજપને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક બેઠકો પર ઉમેદવારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બે બેઠકો પર ભાજપે ઉમેદવારને બદલ્યા છે ત્યારે રાજકોટ લોકસભા સીટ પર પણ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. પોતાની માગ પર સમાજ અડગ છે. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તે પ્રયાસો નિષ્ફળ સાબિત થયા.  


રાજ શેખાવતની કરાઈ અટકાયત!

થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે રેલીમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા. પોતાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. આ બધા વચ્ચે આજે કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરણી સેના દ્વારા કરવામાં આવી હતી. રાજ શેખાવત દ્વારા આ જાહેરાત કરાતા કમલમમાં મોટી સંખ્યામાં સુરક્ષાબળને તૈનાત કરી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં સમાજના લોકો ભેગા થાય તે માટે આહ્વાહન કરવામાં આવ્યું છે. બપોરના સમયે કરણી સેના કમલમનો ઘેરાવો કરવાની છે.આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે રાજ શેખાવતને નજર કેદ કરી લેવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર કરણી સેનાના અધ્યક્ષને નજર કેદ કરી લેવાયા છે તેવી માહિતી સામે આવી હતી પંરતુ તે બાદ એવી માહિતી સામે આવી કે તેમની અટકાયત કરી લેવામાં આવી છે... કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરાયા બાદ પોલીસ પણ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.