Gandhinagar : કમલમને ઘેરવાનો ક્ષત્રિય સમાજનો પ્લાન! રાજ શેખાવત કમલમ પહોંચે તે પહેલા તેમની કરી લેવાઈ અટકાયત?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-09 13:03:29

જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ વધારે ઉગ્ર બની રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલા પણ નામાંકનને લઈ અડીખમ દેખાઈ રહ્યા છે. પરષોત્તમ રૂપાલા અનેક વખત માફી પણ માગી ચૂક્યા છે તો પણ આ વિવાદ શાંત થાય તેવા એંધાણ હાલ દેખાઈ નથી રહ્યા તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. આ બધા વચ્ચે કરણી સેનાના અધ્યક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આજે ગાંધીનગર કમલમનો ઘેરાવો કરવામાં આવશે. આ જાહેરાત બાદ કમલમ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. એરપોર્ટ પર રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે

.  

પાઘડી નીકળી જતા રાજ શેખાવત લાલઘૂમ થયા

પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરાવા ક્ષત્રિય સમાજ અડગ!

ગુજરાતની 26 લોકસભા બેઠક માટે જ્યારથી ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ભાજપને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક બેઠકો પર ઉમેદવારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બે બેઠકો પર ભાજપે ઉમેદવારને બદલ્યા છે ત્યારે રાજકોટ લોકસભા સીટ પર પણ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. પોતાની માગ પર સમાજ અડગ છે. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તે પ્રયાસો નિષ્ફળ સાબિત થયા.  


રાજ શેખાવતની કરાઈ અટકાયત!

થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે રેલીમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા. પોતાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. આ બધા વચ્ચે આજે કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરણી સેના દ્વારા કરવામાં આવી હતી. રાજ શેખાવત દ્વારા આ જાહેરાત કરાતા કમલમમાં મોટી સંખ્યામાં સુરક્ષાબળને તૈનાત કરી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં સમાજના લોકો ભેગા થાય તે માટે આહ્વાહન કરવામાં આવ્યું છે. બપોરના સમયે કરણી સેના કમલમનો ઘેરાવો કરવાની છે.આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે રાજ શેખાવતને નજર કેદ કરી લેવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર કરણી સેનાના અધ્યક્ષને નજર કેદ કરી લેવાયા છે તેવી માહિતી સામે આવી હતી પંરતુ તે બાદ એવી માહિતી સામે આવી કે તેમની અટકાયત કરી લેવામાં આવી છે... કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરાયા બાદ પોલીસ પણ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. 



ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

સાબરકાંઠાના વડાલી ગામથી જે સમાચાર સામે આવ્યા તે ડરાવનારા હતા.. વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મોત થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

ચૂંટણી પ્રચાર માટે કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચ્યા હતા મોરબીમાં ચાલતા શક્તિધામ મંદિરમાં... સ્ટેજ પર પહોંચીને ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓને ભાજપના બંને નેતાઓને જાહેરમંચ પરથી ખખડાવી નાંખ્યા...!