Gandhinagar : શિક્ષણ બચાવ ધરણા કાર્યક્રમમાં આક્રામક દેખાયા MLA Anant Patel, સાંભળો સરકારને શુું આપી ચીમકી?


  • Published By :
  • Published Date : 2023-10-06 14:53:05

ગાંધીનગર ખાતે કોંગ્રેસ જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષણ બચાવો ધરણા કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાયો છે જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો તેમજ કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા. વાંસદના ધારાસભ્ય અનંત પટેલ એકદમ આક્રામક દેખાયા હતા. પોતાના ભાષણમાં તેમણે ભાજપની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગાંધીનગર ખાતે જ્યારે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા ત્યારે મહિલા ઉમેદવારો સાથે જે રીતે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવ્યું તે વાતનો ઉલ્લેખ તેમણે પોતાના ભાષણમાં કર્યો હતો. અનંત પટેલે કહ્યું કે અમારી બેનોને ઢસડવાની હિંમત કરી તો તમને તમારી ઓફિસમાંથી બહાર કાઢીશું.     

શિક્ષણ મુદ્દે કોંગ્રેસે્ સરકારને ઘેરી

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોએ અનેક વખત પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કર્યા પરંતુ તેનો કોઈ નિવેડો આવ્યો નથી. શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો કોંગ્રેસ ધારા કરવામાં આવી રહ્યા છે. 


યુવરાજસિંહ પણ જનમંચ કાર્યક્રમમાં હાજર 

ગાંધીનગર ખાતે શિક્ષણ બચાવો ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધરણા કાર્યક્રમમાં અનંત પટેલ, અમિત ચાવડા સહિતના નેતાઓ ત્યાં હાજર છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી તેમજ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ પણ કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. આ ધરણા કાર્યક્રમમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો પણ એકદમ આક્રામક દેખાયા છે.     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.