Gandhinagar : શિક્ષણ બચાવ ધરણા કાર્યક્રમમાં આક્રામક દેખાયા MLA Anant Patel, સાંભળો સરકારને શુું આપી ચીમકી?


  • Published By :
  • Published Date : 2023-10-06 14:53:05

ગાંધીનગર ખાતે કોંગ્રેસ જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષણ બચાવો ધરણા કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાયો છે જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો તેમજ કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા. વાંસદના ધારાસભ્ય અનંત પટેલ એકદમ આક્રામક દેખાયા હતા. પોતાના ભાષણમાં તેમણે ભાજપની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગાંધીનગર ખાતે જ્યારે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા ત્યારે મહિલા ઉમેદવારો સાથે જે રીતે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવ્યું તે વાતનો ઉલ્લેખ તેમણે પોતાના ભાષણમાં કર્યો હતો. અનંત પટેલે કહ્યું કે અમારી બેનોને ઢસડવાની હિંમત કરી તો તમને તમારી ઓફિસમાંથી બહાર કાઢીશું.     

શિક્ષણ મુદ્દે કોંગ્રેસે્ સરકારને ઘેરી

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોએ અનેક વખત પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કર્યા પરંતુ તેનો કોઈ નિવેડો આવ્યો નથી. શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો કોંગ્રેસ ધારા કરવામાં આવી રહ્યા છે. 


યુવરાજસિંહ પણ જનમંચ કાર્યક્રમમાં હાજર 

ગાંધીનગર ખાતે શિક્ષણ બચાવો ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધરણા કાર્યક્રમમાં અનંત પટેલ, અમિત ચાવડા સહિતના નેતાઓ ત્યાં હાજર છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી તેમજ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ પણ કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. આ ધરણા કાર્યક્રમમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો પણ એકદમ આક્રામક દેખાયા છે.     




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.