Gandhinagar : શિક્ષણ બચાવ ધરણા કાર્યક્રમમાં આક્રામક દેખાયા MLA Anant Patel, સાંભળો સરકારને શુું આપી ચીમકી?


  • Published By :
  • Published Date : 2023-10-06 14:53:05

ગાંધીનગર ખાતે કોંગ્રેસ જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષણ બચાવો ધરણા કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાયો છે જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો તેમજ કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા. વાંસદના ધારાસભ્ય અનંત પટેલ એકદમ આક્રામક દેખાયા હતા. પોતાના ભાષણમાં તેમણે ભાજપની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગાંધીનગર ખાતે જ્યારે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા ત્યારે મહિલા ઉમેદવારો સાથે જે રીતે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવ્યું તે વાતનો ઉલ્લેખ તેમણે પોતાના ભાષણમાં કર્યો હતો. અનંત પટેલે કહ્યું કે અમારી બેનોને ઢસડવાની હિંમત કરી તો તમને તમારી ઓફિસમાંથી બહાર કાઢીશું.     

શિક્ષણ મુદ્દે કોંગ્રેસે્ સરકારને ઘેરી

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોએ અનેક વખત પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કર્યા પરંતુ તેનો કોઈ નિવેડો આવ્યો નથી. શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો કોંગ્રેસ ધારા કરવામાં આવી રહ્યા છે. 


યુવરાજસિંહ પણ જનમંચ કાર્યક્રમમાં હાજર 

ગાંધીનગર ખાતે શિક્ષણ બચાવો ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધરણા કાર્યક્રમમાં અનંત પટેલ, અમિત ચાવડા સહિતના નેતાઓ ત્યાં હાજર છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી તેમજ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ પણ કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. આ ધરણા કાર્યક્રમમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો પણ એકદમ આક્રામક દેખાયા છે.     




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.