Gandhinagar Policeએ ઝડપી પાડ્યો નકલી GST અધિકારી, આ રીતે વેપારીઓ પાસેથી પડાવતો હતો પૈસા!


  • Published By :
  • Published Date : 2023-12-19 15:35:39

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એક શબ્દ પ્રચલિત થઈ રહ્યો છે તે છે નકલી... કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત નકલી ડિવાયએસપી પકડાય છે. કોઈ વખત આખે આખું એક નહીં પરંતુ બે ટોલનાકા પકડાય છે તો કોઈ વખત ધારાસભ્યનો નકલી પીએ પકડાય છે. નકલી અધિકારીઓ પકડાવાનું જાણે સામાન્ય થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. આ બધા વચ્ચે આજે નકલી જીએસટી અધિકારી પકડાયો છે. નકલી  જીએસટી અધિકારી બનીને વેપારીઓ સાથે તોડ કરતો હતો. ગાંધીનગર પોલીસે નકલી જીએસટી અધિકારીને ઝડપી પાડ્યો છે. 


નકલી જીએસટી અધિકારી ઝડપાયો 

ગુજરાતમાં જાણે નકલીની ભરમાર થઈ રહી હોય તેમ એક બાદ એક નકલી અધિકારીઓ મળી રહ્યા છે. કોઈ વખત નકલી ડિવાયએસપીનો પર્દાફાશ થયો તો કોઈ વખત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના નકલી પીએ બની ફરતા વ્યક્તિનું કારસ્તાન બહાર આવે છે. થોડા સમય પહેલા નકલી ટોલનાકું ઝડપાયું હતું અને તો કોઈ વખત નકલી ખાદ્ય પદાર્થો પકડાય છે. આ બધા વચ્ચે ગાંધીનગર પોલીસે નકલી જીએસટી અધિકારીને પકડી પાડ્યો છે.  નકલી GST ઓફિસર બનીને વેપારીઓ સાથે તોડ કરનારા આરોપીને LCBની ટીમે પકડી  પાડ્યો છે.  

 


અધિકારી બનીને કરતો હતો છેતરપીંડિ 

નકલી જીએસટી અધિકારી મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. નકલી અધિકારી બનીને કેટલા વેપારીઓને ચૂનો લગાવ્યો છે તે અંગેની તપાસ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના તલોદના એક વેપારીના ત્યાં જીએસટીની રેડ પડી હતી અને જીએસટી હિસાબમાં ગોટાળાના બહાને વેપારીનો તોડ થયો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ખબર પડતા તેણે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

પોલીસ આ મામલામાં કરી રહી છે તપાસ 

પોલીસ ફરિયાદ થતાં જ તે ભૂગર્ભમાં ઉતરી ગયો. ગાંધીનગરના નાના ચિલોડા ખાતે રહેતો અને જમીન દલાલીનો બિઝનેસ કરતો હતો. પોતાના મિત્રો સાથે મળીને વેપારીઓને ઠગતો હતો. કમલેશ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. એલસીબીએ જીએસટી અધિકારીની નકલી ઓળખ આપનાર ગેંગની શોધખોળ ચાલી રહી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.