Gandhinagar: સત્યાગ્રહ છાવણીમાં શિક્ષકો- સરકારી કર્મચારીઓનું આંદોલન, જૂની પેન્શન યોજના સહિતના મુદ્દાઓને લઈ સરકાર સામે નોંધાવ્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2024-03-12 12:45:59

ગુજરાતના પાટનગરમાં આજે પડતર માગણીઓને લઈ સરકારી કર્મચારીઓેએ વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનના ભાગરૂપે હજારોની સંખ્યામાં સરકારી કર્મચારી અને શિક્ષકો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી આવી પહોંચ્યા હતા. સરકાર દ્વારા આપવામાં આવેલા વચનોને કર્મચારીઓએ લોલીપોપ ગણાવ્યા હતા અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવી માગ કરી હતી. છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ આંદોલન કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શિત કરવા માટે અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો હતો. ભગવા વસ્ત્રો ધારણ કરી આંદોલન કરવા માટે શિક્ષકો તેમજ સરકારી કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા.

 



સરકારને આપી દીધું અલ્ટિમેટમ!

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનૈતિક માહોલ ગરમાઈ રહ્યો છે. સરકાર પર પ્રેશર લાવવા માટે, સરકારને ઘેરવા માટે સરકારી કર્મચારીઓએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. આજે જૂની પેન્શન યોજના. ફિક્સ પગાર પ્રથા રદ્દ કરવા સહિતના પડતર પ્રશ્નોને લઈ વિરોધ પ્રદર્શનનું આયોજન ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં શિક્ષકો, કર્મચારીઓ આવ્યા હતા. સરકારને અનેક વખત રજૂઆત કરી પરંતુ કોઈ નિરાકરણ ના આવતા અંતે કર્મચારીઓએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. આંદોલન માટે આવેલા કર્મચારીઓએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે જો તેમની માગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં મોટા પાયે આંદોલન કરવામાં આવશે તેમના દ્વારા. અલગ અલગ રીતે પોતાની માગ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના બધા પ્રયાસો નિષ્ફળ ગયા છે. 



પડતરની માગણીઓ અંગે વાત કરીએ તો.... 

સરકાર સામે બાંયો ચઢાવીને બેઠેલા સરકારી કર્મચારીઓની માગ છે કે તમામ કર્મચારીઓ માટે OPS એટલે કે જૂની પેન્શન યોજના લાગુ કરાય, સરકાર સાથે થયેલા સમાધાન મુજબ ૧-૪-૨૦૦૫ પહેલાના નિયુક્ત શિક્ષક અને કર્મચારીઓનો OPSમાં સમાવેશ કરવામાં આવે , સાતમા પગારપંચ મુજબ તમામ પ્રકારના ભથ્થા તથા લાભ આપવામાં આવે , જુના શિક્ષકોની ભરતીના નિયમોને બદલવામાં આવે , નવી પેન્શન યોજનાવાળા શિક્ષકોને ૩૦૦ રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવો. 

તે સિવાય કોન્ટ્રાક્ટ-ફિક્સ પગાર બંધ કરી જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવી , પ્રાથમિક સંવર્ગની માતૃશક્તિને ૨૨-૪-૨૦૨૨ ના માતૃત્વ રજાના ઠરાવમાં સુધારો કરવો , ૧૯૯૭થી અત્યારસુધી તથા હવે જોડાનાર ફિક્સ પગારીને રજાઓની કપાત ન ગણી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો , HTAT મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો ઝડપથી બહાર પાડવા આ સાથે તેમની અન્ય માંગો પણ છે .




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.