Gandhinagar : વિધાનસભામાં ઉઠ્યો શિક્ષકોની ભરતીનો મુદ્દો, શિક્ષકોના બાબતે જોવા મળ્યું અમિત ચાવડા Vs અમિત ઠાકર!


  • Published By :
  • Published Date : 2024-02-08 12:48:55

ગુજરાતમાં શિક્ષકોની કમી છે તેવી વાતો અનેક વખત કરવામાં આવી છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો પણ છેલ્લા કેટલાય સમયથી માગ કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. અનેક વખત રજૂઆત કરવા માટે પણ ઉમેદવારો ગાંધીનગર ગયા છે પરંતુ તેમની સાથે કેવા પ્રકારનું વર્તન થાય છે તે આપણે જાણીએ છીએ. ત્યારે શિક્ષકોની ભરતી અંગનો મુદ્દો વિધાનસભામાં પણ ઉઠ્યો હતો.  

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ શિક્ષકોની કરી આની સાથે તુલના! 

હાલ વિધાનસભામાં બજેટસત્ર ચાલી રહ્યું છે. સરકારે જાહેર કરેલા વર્ષ 2024-2025ના અંદાજપત્રમાં શિક્ષણ જેવા ક્ષેત્રો માટે પણ બજેટ ફાળવ્યું છે. પણ સરકારે રજૂ કરેલા બજેટથી કોંગ્રેસ પાર્ટી નારાજ છે. 6 ફેબ્રુઆરીએ અમિત ચાવડાએ સરકાર પર વિધાનસભામાં પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસ નેતાએ શિક્ષકોને દાડિયા સાથે સરખાવ્યા હતા. અમિત ચાવડાએ સરકારની શિક્ષણ નીતી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે , જ્ઞાન સહાયકોની સ્થિતિ ખેતરમાં કામ કરતાં દાડિયા જેવી છે. અગિયાર માસ પછી આ શિક્ષકોનું કોઈ ભવિષ્ય નથી.  


અમિત ઠાકરે અમિત ચાવડા પર કર્યા પ્રહાર!  

ભાજપ ધારાસભય અમિત ઠાકરે અમિત ચાવડાને જવાબ આપી દીધો છે અને પલટવાર કરતાં કહી દીધું કે અમિત ચાવડાએ શિક્ષકોને દાડિયા સાથે સરખાવી શિક્ષકોનું અપમાન કર્યું છે. 2001થી લઈ આજ સુધી એક લાખ સાઠ હજાર જેટલા ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. સરકારે શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. મહત્વનું છે ગુજરાતના શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. દેશના ભાવિનું ભવિષ્ય ખતરામાં છે તેવું લાગી રહ્યું છે.  



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.