Gandhinagar : વિધાનસભામાં ઉઠ્યો શિક્ષકોની ભરતીનો મુદ્દો, શિક્ષકોના બાબતે જોવા મળ્યું અમિત ચાવડા Vs અમિત ઠાકર!


  • Published By :
  • Published Date : 2024-02-08 12:48:55

ગુજરાતમાં શિક્ષકોની કમી છે તેવી વાતો અનેક વખત કરવામાં આવી છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો પણ છેલ્લા કેટલાય સમયથી માગ કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. અનેક વખત રજૂઆત કરવા માટે પણ ઉમેદવારો ગાંધીનગર ગયા છે પરંતુ તેમની સાથે કેવા પ્રકારનું વર્તન થાય છે તે આપણે જાણીએ છીએ. ત્યારે શિક્ષકોની ભરતી અંગનો મુદ્દો વિધાનસભામાં પણ ઉઠ્યો હતો.  

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ શિક્ષકોની કરી આની સાથે તુલના! 

હાલ વિધાનસભામાં બજેટસત્ર ચાલી રહ્યું છે. સરકારે જાહેર કરેલા વર્ષ 2024-2025ના અંદાજપત્રમાં શિક્ષણ જેવા ક્ષેત્રો માટે પણ બજેટ ફાળવ્યું છે. પણ સરકારે રજૂ કરેલા બજેટથી કોંગ્રેસ પાર્ટી નારાજ છે. 6 ફેબ્રુઆરીએ અમિત ચાવડાએ સરકાર પર વિધાનસભામાં પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસ નેતાએ શિક્ષકોને દાડિયા સાથે સરખાવ્યા હતા. અમિત ચાવડાએ સરકારની શિક્ષણ નીતી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે , જ્ઞાન સહાયકોની સ્થિતિ ખેતરમાં કામ કરતાં દાડિયા જેવી છે. અગિયાર માસ પછી આ શિક્ષકોનું કોઈ ભવિષ્ય નથી.  


અમિત ઠાકરે અમિત ચાવડા પર કર્યા પ્રહાર!  

ભાજપ ધારાસભય અમિત ઠાકરે અમિત ચાવડાને જવાબ આપી દીધો છે અને પલટવાર કરતાં કહી દીધું કે અમિત ચાવડાએ શિક્ષકોને દાડિયા સાથે સરખાવી શિક્ષકોનું અપમાન કર્યું છે. 2001થી લઈ આજ સુધી એક લાખ સાઠ હજાર જેટલા ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. સરકારે શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. મહત્વનું છે ગુજરાતના શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. દેશના ભાવિનું ભવિષ્ય ખતરામાં છે તેવું લાગી રહ્યું છે.  



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.