Gandhinagar : આવતી કાલે ક્ષત્રિય સમાજ કરશે કમલમનો ઘેરાવો! રાજ શેખાવત દ્વારા કરવામાં આવી જાહેરાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-08 19:03:14

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. છેલ્લા ઘણા દિવસોથી આ અંગે ચર્ચાઓ થઈ રહી છે. ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા વિવાદને શાંત કરવા કરાયેલા  પ્રયાસો નિષ્ફળ સાબિત થયા. ગઈકાલે મોટી રેલીનું આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આવતી કાલે ગાંધીનગરમાં આવેલા ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવામાં આવશે તેવી જાહેરાત રાજ શેખાવત દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આવતી કાલે બપોરે 2 વાગ્યાની આસપાસ ઘેરાવ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. 


પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તે ક્ષત્રિય સમાજની માગ 

ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે અને સમાજ દ્વારા માગ કરવામાં આવી રહી છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર આ માગ સાથે વિરોધ કરવામાં આવ્યો. થોડા દિવસ પહેલા પણ ક્ષત્રાણીઓ દ્વારા જૌહરની જાહેરાત કરવામાં આવી તે બાદ ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થા એકદમ જડબેસલાક કરવામાં આવી ગઈ. પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. 


આવતી કાલે કરાશે ગાંધીનગરનો ઘેરાવો!

અનેક વખત આવેદનપત્ર આપી પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. ગઈકાલે મોટા આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા ક્ષત્રાણીઓ દ્વારા જૌહરની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આ જાહેરાત બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. ત્યારે આવતી કાલે ગાંધીનગર ખાતે આવેલા ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ બાદ ગાંધીનગરમાં પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે તેવી માહિતી સામે આવી છે.  એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે  રાજ્યભરમાંથી ક્ષત્રિયો કેસરી ઝંડા અને મજબૂત ડંડા લઇને કમલમ પહોચે. ગાંધીનગર કમલમને ઘેરવાની જાહેરાત બાદ કમલમની આસપાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું કે અનેક વખત પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની વાત પર અડગ દેખાઈ રહ્યો છે. ત્યારે જોવું રહ્યું કે આવતી કાલે શું થશે? 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"