Gandhinagar : આવતી કાલે ક્ષત્રિય સમાજ કરશે કમલમનો ઘેરાવો! રાજ શેખાવત દ્વારા કરવામાં આવી જાહેરાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-08 19:03:14

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. છેલ્લા ઘણા દિવસોથી આ અંગે ચર્ચાઓ થઈ રહી છે. ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા વિવાદને શાંત કરવા કરાયેલા  પ્રયાસો નિષ્ફળ સાબિત થયા. ગઈકાલે મોટી રેલીનું આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આવતી કાલે ગાંધીનગરમાં આવેલા ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવામાં આવશે તેવી જાહેરાત રાજ શેખાવત દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આવતી કાલે બપોરે 2 વાગ્યાની આસપાસ ઘેરાવ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. 


પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તે ક્ષત્રિય સમાજની માગ 

ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે અને સમાજ દ્વારા માગ કરવામાં આવી રહી છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર આ માગ સાથે વિરોધ કરવામાં આવ્યો. થોડા દિવસ પહેલા પણ ક્ષત્રાણીઓ દ્વારા જૌહરની જાહેરાત કરવામાં આવી તે બાદ ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થા એકદમ જડબેસલાક કરવામાં આવી ગઈ. પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. 


આવતી કાલે કરાશે ગાંધીનગરનો ઘેરાવો!

અનેક વખત આવેદનપત્ર આપી પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. ગઈકાલે મોટા આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા ક્ષત્રાણીઓ દ્વારા જૌહરની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આ જાહેરાત બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. ત્યારે આવતી કાલે ગાંધીનગર ખાતે આવેલા ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ બાદ ગાંધીનગરમાં પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે તેવી માહિતી સામે આવી છે.  એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે  રાજ્યભરમાંથી ક્ષત્રિયો કેસરી ઝંડા અને મજબૂત ડંડા લઇને કમલમ પહોચે. ગાંધીનગર કમલમને ઘેરવાની જાહેરાત બાદ કમલમની આસપાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું કે અનેક વખત પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની વાત પર અડગ દેખાઈ રહ્યો છે. ત્યારે જોવું રહ્યું કે આવતી કાલે શું થશે? 




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે