Gandhinagar : આવતી કાલે ક્ષત્રિય સમાજ કરશે કમલમનો ઘેરાવો! રાજ શેખાવત દ્વારા કરવામાં આવી જાહેરાત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-08 19:03:14

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. છેલ્લા ઘણા દિવસોથી આ અંગે ચર્ચાઓ થઈ રહી છે. ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા વિવાદને શાંત કરવા કરાયેલા  પ્રયાસો નિષ્ફળ સાબિત થયા. ગઈકાલે મોટી રેલીનું આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આવતી કાલે ગાંધીનગરમાં આવેલા ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવામાં આવશે તેવી જાહેરાત રાજ શેખાવત દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આવતી કાલે બપોરે 2 વાગ્યાની આસપાસ ઘેરાવ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. 


પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તે ક્ષત્રિય સમાજની માગ 

ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે અને સમાજ દ્વારા માગ કરવામાં આવી રહી છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર આ માગ સાથે વિરોધ કરવામાં આવ્યો. થોડા દિવસ પહેલા પણ ક્ષત્રાણીઓ દ્વારા જૌહરની જાહેરાત કરવામાં આવી તે બાદ ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થા એકદમ જડબેસલાક કરવામાં આવી ગઈ. પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. 


આવતી કાલે કરાશે ગાંધીનગરનો ઘેરાવો!

અનેક વખત આવેદનપત્ર આપી પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. ગઈકાલે મોટા આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા ક્ષત્રાણીઓ દ્વારા જૌહરની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આ જાહેરાત બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. ત્યારે આવતી કાલે ગાંધીનગર ખાતે આવેલા ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ બાદ ગાંધીનગરમાં પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે તેવી માહિતી સામે આવી છે.  એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે  રાજ્યભરમાંથી ક્ષત્રિયો કેસરી ઝંડા અને મજબૂત ડંડા લઇને કમલમ પહોચે. ગાંધીનગર કમલમને ઘેરવાની જાહેરાત બાદ કમલમની આસપાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું કે અનેક વખત પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની વાત પર અડગ દેખાઈ રહ્યો છે. ત્યારે જોવું રહ્યું કે આવતી કાલે શું થશે? 




પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.