Gandhinagar : આવતી કાલે ક્ષત્રિય સમાજ કરશે કમલમનો ઘેરાવો! રાજ શેખાવત દ્વારા કરવામાં આવી જાહેરાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-08 19:03:14

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. છેલ્લા ઘણા દિવસોથી આ અંગે ચર્ચાઓ થઈ રહી છે. ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા વિવાદને શાંત કરવા કરાયેલા  પ્રયાસો નિષ્ફળ સાબિત થયા. ગઈકાલે મોટી રેલીનું આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આવતી કાલે ગાંધીનગરમાં આવેલા ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવામાં આવશે તેવી જાહેરાત રાજ શેખાવત દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આવતી કાલે બપોરે 2 વાગ્યાની આસપાસ ઘેરાવ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. 


પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તે ક્ષત્રિય સમાજની માગ 

ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે અને સમાજ દ્વારા માગ કરવામાં આવી રહી છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર આ માગ સાથે વિરોધ કરવામાં આવ્યો. થોડા દિવસ પહેલા પણ ક્ષત્રાણીઓ દ્વારા જૌહરની જાહેરાત કરવામાં આવી તે બાદ ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થા એકદમ જડબેસલાક કરવામાં આવી ગઈ. પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. 


આવતી કાલે કરાશે ગાંધીનગરનો ઘેરાવો!

અનેક વખત આવેદનપત્ર આપી પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. ગઈકાલે મોટા આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા ક્ષત્રાણીઓ દ્વારા જૌહરની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આ જાહેરાત બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. ત્યારે આવતી કાલે ગાંધીનગર ખાતે આવેલા ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ બાદ ગાંધીનગરમાં પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે તેવી માહિતી સામે આવી છે.  એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે  રાજ્યભરમાંથી ક્ષત્રિયો કેસરી ઝંડા અને મજબૂત ડંડા લઇને કમલમ પહોચે. ગાંધીનગર કમલમને ઘેરવાની જાહેરાત બાદ કમલમની આસપાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું કે અનેક વખત પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની વાત પર અડગ દેખાઈ રહ્યો છે. ત્યારે જોવું રહ્યું કે આવતી કાલે શું થશે? 




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.