ગાંધીનગર આંદોલનકારીઓથી ભરાઈ ગયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:03:26

આંદોલનનો દોર !!!!!

આજે ગાંધીનગરમાં વિવિધ આંદોલન થઈ રહ્યા છે. સવારથી ગાંધીનગર વિધાનસભા આગળ આંદોલનનો માહોલ છે, ત્યારે માજી સૈનિકો જે પોતાની 14 જેટલી માગને લઈને કેટલાય સમયથી આંદોલન કરી રહ્યા છે. આજે તેમના સમર્થનમાં પોલીસ પરિવાર પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં પોલીસે તેમને રોકવા પોલીસનો કાફલો તૈયાર કરવામાં આવ્યો છે. માજી સૈનિકોએ વિધાનસભાનો ઘેરાવ કર્યો હતો. માજી સૈનકો સાથે lLRDનું પણ આંદોલન ગાંધીનગર ખાતે થઈ રહ્યું છે. 


LRD મહિલા ઉમેદવાર કેમ કરી રહ્યા છે આંદોલન ? 

હાથમાં બેનર લઈને નીકળેલા LRD વેઈટિંગ લિસ્ટના મહિલા ઉમેદવારોમાં રોષ છે કે બાહેંધરી પ્રમાણે તેમને નિમણૂક નથી મળી. વેઈટિંગ લિસ્ટના 20 ટકા ઉમેદવારોને નિમણૂક આપવાની બાંહેધરી આપી હતી. પણ વેઈટિંગ લિસ્ટમાંથી માત્ર 118 પુરૂષ અને 101 મહિલાને જ નિમણૂક અપાઇ છે. ખુશ કરવા માટે માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું પણ નિમણૂક હજુ નથી થઇ. 







થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .