ગાંધીનગર આંદોલનકારીઓથી ભરાઈ ગયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:03:26

આંદોલનનો દોર !!!!!

આજે ગાંધીનગરમાં વિવિધ આંદોલન થઈ રહ્યા છે. સવારથી ગાંધીનગર વિધાનસભા આગળ આંદોલનનો માહોલ છે, ત્યારે માજી સૈનિકો જે પોતાની 14 જેટલી માગને લઈને કેટલાય સમયથી આંદોલન કરી રહ્યા છે. આજે તેમના સમર્થનમાં પોલીસ પરિવાર પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં પોલીસે તેમને રોકવા પોલીસનો કાફલો તૈયાર કરવામાં આવ્યો છે. માજી સૈનિકોએ વિધાનસભાનો ઘેરાવ કર્યો હતો. માજી સૈનકો સાથે lLRDનું પણ આંદોલન ગાંધીનગર ખાતે થઈ રહ્યું છે. 


LRD મહિલા ઉમેદવાર કેમ કરી રહ્યા છે આંદોલન ? 

હાથમાં બેનર લઈને નીકળેલા LRD વેઈટિંગ લિસ્ટના મહિલા ઉમેદવારોમાં રોષ છે કે બાહેંધરી પ્રમાણે તેમને નિમણૂક નથી મળી. વેઈટિંગ લિસ્ટના 20 ટકા ઉમેદવારોને નિમણૂક આપવાની બાંહેધરી આપી હતી. પણ વેઈટિંગ લિસ્ટમાંથી માત્ર 118 પુરૂષ અને 101 મહિલાને જ નિમણૂક અપાઇ છે. ખુશ કરવા માટે માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું પણ નિમણૂક હજુ નથી થઇ. 







જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.