દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી, મંદિરોમાં ઉમટી ભાવિકોની ભારે ભીડ, ગણેશજીને કરાયો વિશેષ શુંગાર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-19 10:03:21

ગણપતિ બાપ્પા મોર્યા.... આજે રસ્તાઓ પર, સોસાયટીમાં તેમજ ઘરોમાં આ નાદ સાંભળવા મળશે, કારણ કે આજે બાપ્પાની પધરામણી થઈ છે. દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં. ભક્તો એકદન્તની ભક્તિમાં લીન દેખાઈ રહ્યા છે. ગણપતિ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં આ તહેવારની ઉજવણી રંગેચંગે થાય છે. ગુજરાતમાં જેમ નવરાત્રીનું મહત્વ હોય છે તેમ મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવનો વિશેષ મહિમા અનેરો છે. લાલબાગના રાજા, દગઠું શેઠ સહિતના ગણપતિ પંડાલોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

મંદિરોમાં ઉમટી ભાવિકોની ભીડ 

ભારતને તહેવારોનો દેશ કહેવામાં આવે છે. અનેક તહેવારોની ઉજવણી દેશભરમાં કરવામાં આવતી હોય છે. વિવિધતામાં એકતા આપણને આવા તહેરવારો દરમિયાન જોવા મળતી હોય છે. મહારાષ્ટ્રમાં ગણેશ તહેવારનો વિશેષ મહિમા રહેલો છે. ગણેશ પર્વની ઉજવણી ભારે ઉત્સાહ સાથે દેશભરમાં લોકો કરી રહ્યા છે. અલગ અલગ થીમ પર ગણેશ પંડાલોને ડેકોરેટ કરવામાં આવ્યા છે. ગણેશ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.     




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.