દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી, મંદિરોમાં ઉમટી ભાવિકોની ભારે ભીડ, ગણેશજીને કરાયો વિશેષ શુંગાર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-19 10:03:21

ગણપતિ બાપ્પા મોર્યા.... આજે રસ્તાઓ પર, સોસાયટીમાં તેમજ ઘરોમાં આ નાદ સાંભળવા મળશે, કારણ કે આજે બાપ્પાની પધરામણી થઈ છે. દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં. ભક્તો એકદન્તની ભક્તિમાં લીન દેખાઈ રહ્યા છે. ગણપતિ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં આ તહેવારની ઉજવણી રંગેચંગે થાય છે. ગુજરાતમાં જેમ નવરાત્રીનું મહત્વ હોય છે તેમ મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવનો વિશેષ મહિમા અનેરો છે. લાલબાગના રાજા, દગઠું શેઠ સહિતના ગણપતિ પંડાલોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

મંદિરોમાં ઉમટી ભાવિકોની ભીડ 

ભારતને તહેવારોનો દેશ કહેવામાં આવે છે. અનેક તહેવારોની ઉજવણી દેશભરમાં કરવામાં આવતી હોય છે. વિવિધતામાં એકતા આપણને આવા તહેરવારો દરમિયાન જોવા મળતી હોય છે. મહારાષ્ટ્રમાં ગણેશ તહેવારનો વિશેષ મહિમા રહેલો છે. ગણેશ પર્વની ઉજવણી ભારે ઉત્સાહ સાથે દેશભરમાં લોકો કરી રહ્યા છે. અલગ અલગ થીમ પર ગણેશ પંડાલોને ડેકોરેટ કરવામાં આવ્યા છે. ગણેશ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.     




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે