દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી, મંદિરોમાં ઉમટી ભાવિકોની ભારે ભીડ, ગણેશજીને કરાયો વિશેષ શુંગાર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-19 10:03:21

ગણપતિ બાપ્પા મોર્યા.... આજે રસ્તાઓ પર, સોસાયટીમાં તેમજ ઘરોમાં આ નાદ સાંભળવા મળશે, કારણ કે આજે બાપ્પાની પધરામણી થઈ છે. દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં. ભક્તો એકદન્તની ભક્તિમાં લીન દેખાઈ રહ્યા છે. ગણપતિ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં આ તહેવારની ઉજવણી રંગેચંગે થાય છે. ગુજરાતમાં જેમ નવરાત્રીનું મહત્વ હોય છે તેમ મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવનો વિશેષ મહિમા અનેરો છે. લાલબાગના રાજા, દગઠું શેઠ સહિતના ગણપતિ પંડાલોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

મંદિરોમાં ઉમટી ભાવિકોની ભીડ 

ભારતને તહેવારોનો દેશ કહેવામાં આવે છે. અનેક તહેવારોની ઉજવણી દેશભરમાં કરવામાં આવતી હોય છે. વિવિધતામાં એકતા આપણને આવા તહેરવારો દરમિયાન જોવા મળતી હોય છે. મહારાષ્ટ્રમાં ગણેશ તહેવારનો વિશેષ મહિમા રહેલો છે. ગણેશ પર્વની ઉજવણી ભારે ઉત્સાહ સાથે દેશભરમાં લોકો કરી રહ્યા છે. અલગ અલગ થીમ પર ગણેશ પંડાલોને ડેકોરેટ કરવામાં આવ્યા છે. ગણેશ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.     




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .