ગોંડલ - મોડી રાત્રે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની પોલીસે કરી ધરપકડ, સવારે માહિતી સામે આવી કે...! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-06 10:56:35

ગોંડલના  પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા તરીકેની છાપ ધરાવતા જયરાજસિંહ જાડેજા ફરી એકવાર ચર્ચામાં થોડા દિવસો પહેલા આવ્યા હતા... તેમના દિકરા ગણેશ જાડેજાએ દાદાગીરી દેખાડી હતી... જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાના દિકરા ગણેશે એક દલિત યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો, જેના કારણે FIR નોંધાઈ. એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ અને આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે કે ગઈકાલ રાત્રે ગણેશ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે જિગ્નેશ મેવાણી દ્વારા આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી...

પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ થઈ અને...

થોડા દિવસોથી ગણેશ જાડેજાની ચર્ચાઓ થઈ રહી હતી... દલિત યુવકનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો હોવાની વાત સામે આવી હતી.. પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ થઈ.. પોલીસની કાર્યવાહી પર પણ અનેક સવાલો ઉઠ્યા.. જીગ્નેશ મેવાણી દ્વારા આ મામલે આકરૂં વલણ અપનાવવામાં આવ્યું હતું.. જો આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી તેમણે ઉચ્ચારી હતી. પરંતુ ગઈકાલે રાત્રે સમાચાર સામે આવ્યા કે પોલીસે ગણેશ જાડેજાની ધરપકડ કરી લીધી છે..


આ કેસની તપાસ કરી રહેલા અધિકારી અચાનક ઉતરી ગયા રજા પર!

ગણેશ જાડેજા વિરૂદ્ધ જ્યારથી ફરિયાદ કરવામાં આવી ત્યારથી તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. વિવિધ ટીમો બનાવી ગણેશ જાડેજા ક્યાં છે તેની તપાસ કરાઈ રહી હતી. મોડી રાત્રે ગણેશ જાડેજા ક્યાં છે તેની જાણ થઈ અને પોલીસે તેની ધરપકડ કરી લીધી. પરંતુ આ મામલે નવી અપડેટ સામે આવી છે.. મળી રહેલા સમાચાર મુજબ આ કેસની તપાસ કરી રહેલા SC/ST સેલના DYSP જે.કે.ઝાલા અચાનક રજા પર ઉતરી ગયા છે. હવે સમગ્ર કેસની તપાસ DYSP હિતેશ ધાંધલ્યા કરશે.    


જીગ્નેશ મેવાણીએ ઉચ્ચારી હતી આંદોલન કરવાની ચિમકી 

મહત્વનું છે કે આ મામલે ગઈકાલે જ એમએલએ જીગ્નેશ મેવાણીએ ચીમકી આપી હતી કે ઉગ્ર આંદોલન કરીશું. રાજ્યમાં નવું કોઈ આંદોલન ઉભું ના થઈ જાય તે માટે, તેની પ્રેશરમાં આવીને પોલીસે આ પગલું ભર્યું હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે. મોડી રાત્રે ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી અને તે બાદ અચાનક  જૂનાગઢ પોલીસના SC/ST સેલના DYSP જે.કે.ઝાલા રજા પર ઉતર્યાએ ઘણા સવાલો ઊભા કરે છે.. ખેર આગળ આ કેસમાં શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું.. તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો...  



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.