ગોંડલ - મોડી રાત્રે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની પોલીસે કરી ધરપકડ, સવારે માહિતી સામે આવી કે...! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-06 10:56:35

ગોંડલના  પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા તરીકેની છાપ ધરાવતા જયરાજસિંહ જાડેજા ફરી એકવાર ચર્ચામાં થોડા દિવસો પહેલા આવ્યા હતા... તેમના દિકરા ગણેશ જાડેજાએ દાદાગીરી દેખાડી હતી... જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાના દિકરા ગણેશે એક દલિત યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો, જેના કારણે FIR નોંધાઈ. એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ અને આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે કે ગઈકાલ રાત્રે ગણેશ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે જિગ્નેશ મેવાણી દ્વારા આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી...

પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ થઈ અને...

થોડા દિવસોથી ગણેશ જાડેજાની ચર્ચાઓ થઈ રહી હતી... દલિત યુવકનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો હોવાની વાત સામે આવી હતી.. પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ થઈ.. પોલીસની કાર્યવાહી પર પણ અનેક સવાલો ઉઠ્યા.. જીગ્નેશ મેવાણી દ્વારા આ મામલે આકરૂં વલણ અપનાવવામાં આવ્યું હતું.. જો આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી તેમણે ઉચ્ચારી હતી. પરંતુ ગઈકાલે રાત્રે સમાચાર સામે આવ્યા કે પોલીસે ગણેશ જાડેજાની ધરપકડ કરી લીધી છે..


આ કેસની તપાસ કરી રહેલા અધિકારી અચાનક ઉતરી ગયા રજા પર!

ગણેશ જાડેજા વિરૂદ્ધ જ્યારથી ફરિયાદ કરવામાં આવી ત્યારથી તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. વિવિધ ટીમો બનાવી ગણેશ જાડેજા ક્યાં છે તેની તપાસ કરાઈ રહી હતી. મોડી રાત્રે ગણેશ જાડેજા ક્યાં છે તેની જાણ થઈ અને પોલીસે તેની ધરપકડ કરી લીધી. પરંતુ આ મામલે નવી અપડેટ સામે આવી છે.. મળી રહેલા સમાચાર મુજબ આ કેસની તપાસ કરી રહેલા SC/ST સેલના DYSP જે.કે.ઝાલા અચાનક રજા પર ઉતરી ગયા છે. હવે સમગ્ર કેસની તપાસ DYSP હિતેશ ધાંધલ્યા કરશે.    


જીગ્નેશ મેવાણીએ ઉચ્ચારી હતી આંદોલન કરવાની ચિમકી 

મહત્વનું છે કે આ મામલે ગઈકાલે જ એમએલએ જીગ્નેશ મેવાણીએ ચીમકી આપી હતી કે ઉગ્ર આંદોલન કરીશું. રાજ્યમાં નવું કોઈ આંદોલન ઉભું ના થઈ જાય તે માટે, તેની પ્રેશરમાં આવીને પોલીસે આ પગલું ભર્યું હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે. મોડી રાત્રે ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી અને તે બાદ અચાનક  જૂનાગઢ પોલીસના SC/ST સેલના DYSP જે.કે.ઝાલા રજા પર ઉતર્યાએ ઘણા સવાલો ઊભા કરે છે.. ખેર આગળ આ કેસમાં શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું.. તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો...  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે