નોટો પર ગણેશ અને લક્ષ્મીની તસવીરનો વિવાદ વકર્યો, કોંગ્રેસના નેતા સલમાન સોઝે પણ કરી આ માગ


  • Published By :
  • Published Date : 2022-10-26 15:46:27

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી નજીક હોવાથી રાજકારણીઓ હિંદુ મત મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. જો કે કેજરીવાલે તો માસ્ટર સ્ટ્રોક મારતા ચલણી નોટો પર લક્ષ્મી અને ગણેશજીની તસ્વીર રાખવાની પ્રધાનમંત્રી મોદી સમક્ષ માંગ કરી છે. કેજરીવાલની આ માગ બાદ તમામ રાજકિય પક્ષોના નેતાઓ ટ્વીટરના માધ્યમથી પોતાના અભિપ્રાયો આપી રહ્યા છે.


કોંગ્રેસના નેતા સલમાન અનીસ સોઝે પણ કર્યું ટ્વીટ


કોંગ્રેસના નેતા સલમાન અનીસ સોઝે ટ્વીટ કરતા કહ્યું કે પ્રિય અરવિંદ કેજરીવાલ જો લક્ષ્મી અને ગણેશ સમૃધ્ધી લાવી શકે છે, તો અમે વધુ સમૃધ્ધી માટે અલ્લાહ, જીસસ, ગુરૂ નાનક, બુદ્ધ અને મહાવીરનો પણ સમાવેશ કરવો જોઈએ.


શું કહ્યું  હતું કેજરીવાલે?


અરવિંદ કેજરીવાલે બુધવારે પ્રધાનમંત્રી મોદી સમક્ષ દેશની ચલણી નોટ પર ભગવાન ગણેશ અને લક્ષ્મીની તસ્વીર છાપવાની અપીલ કરી હતી, કેજરીવાલે સૂચન કર્યું કે "નવી નોટો પર એક તરફ મહાત્મા ગાધી તો બીજી તરફ ભગવાન ગણેશ અને લક્ષ્મીનું ચિત્ર છાપી શકાય છે. તેમણે દાવો પણ કર્યો કે જો આપણી સાથે દેવી-દેવતાના આશિર્વાદ નથી તો અનેક પ્રયત્નો  કરવા છતાં પણ આપણે સફળ થઈ શકીશું નહીં, હું પ્રધાનમંત્રી મોદીને આપણી  તમામ કરન્સી નોટો પર ભગવાન ગણેશ અને લક્ષ્મીનું ચિત્ર પ્રકાશિત કરવાની અપીલ કરૂ છું.'   


કેજરીવાલે તેમના દાવાને મજબુત બનાવતા ઈન્ડોનેશિયાનું દ્રષ્ટાત આપ્યું હતું, તેમણે કહ્યું કે ''ઈન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે અને તેની કરન્સી નોટ પર ભગવાન ગણેશની તસ્વીર છે, તેમણે સવાલ કર્યો કે જો ઈન્ડોનેશિયા આવું કરી શકે છે તો આપણે કેમ નહીં? ચલણી નોટો પર આ બંને ચિત્ર પ્રકાશિત કરી શકાય છે.''



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.