નોટો પર ગણેશ અને લક્ષ્મીની તસવીરનો વિવાદ વકર્યો, કોંગ્રેસના નેતા સલમાન સોઝે પણ કરી આ માગ


  • Published By :
  • Published Date : 2022-10-26 15:46:27

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી નજીક હોવાથી રાજકારણીઓ હિંદુ મત મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. જો કે કેજરીવાલે તો માસ્ટર સ્ટ્રોક મારતા ચલણી નોટો પર લક્ષ્મી અને ગણેશજીની તસ્વીર રાખવાની પ્રધાનમંત્રી મોદી સમક્ષ માંગ કરી છે. કેજરીવાલની આ માગ બાદ તમામ રાજકિય પક્ષોના નેતાઓ ટ્વીટરના માધ્યમથી પોતાના અભિપ્રાયો આપી રહ્યા છે.


કોંગ્રેસના નેતા સલમાન અનીસ સોઝે પણ કર્યું ટ્વીટ


કોંગ્રેસના નેતા સલમાન અનીસ સોઝે ટ્વીટ કરતા કહ્યું કે પ્રિય અરવિંદ કેજરીવાલ જો લક્ષ્મી અને ગણેશ સમૃધ્ધી લાવી શકે છે, તો અમે વધુ સમૃધ્ધી માટે અલ્લાહ, જીસસ, ગુરૂ નાનક, બુદ્ધ અને મહાવીરનો પણ સમાવેશ કરવો જોઈએ.


શું કહ્યું  હતું કેજરીવાલે?


અરવિંદ કેજરીવાલે બુધવારે પ્રધાનમંત્રી મોદી સમક્ષ દેશની ચલણી નોટ પર ભગવાન ગણેશ અને લક્ષ્મીની તસ્વીર છાપવાની અપીલ કરી હતી, કેજરીવાલે સૂચન કર્યું કે "નવી નોટો પર એક તરફ મહાત્મા ગાધી તો બીજી તરફ ભગવાન ગણેશ અને લક્ષ્મીનું ચિત્ર છાપી શકાય છે. તેમણે દાવો પણ કર્યો કે જો આપણી સાથે દેવી-દેવતાના આશિર્વાદ નથી તો અનેક પ્રયત્નો  કરવા છતાં પણ આપણે સફળ થઈ શકીશું નહીં, હું પ્રધાનમંત્રી મોદીને આપણી  તમામ કરન્સી નોટો પર ભગવાન ગણેશ અને લક્ષ્મીનું ચિત્ર પ્રકાશિત કરવાની અપીલ કરૂ છું.'   


કેજરીવાલે તેમના દાવાને મજબુત બનાવતા ઈન્ડોનેશિયાનું દ્રષ્ટાત આપ્યું હતું, તેમણે કહ્યું કે ''ઈન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે અને તેની કરન્સી નોટ પર ભગવાન ગણેશની તસ્વીર છે, તેમણે સવાલ કર્યો કે જો ઈન્ડોનેશિયા આવું કરી શકે છે તો આપણે કેમ નહીં? ચલણી નોટો પર આ બંને ચિત્ર પ્રકાશિત કરી શકાય છે.''



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.