સરકારી નૌકરીની લાલચ આપી રૂપિયા ખંખેરતી ગેંગનો પર્દાફાશ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 3 શખ્સોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-01 20:59:25

ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં યુવક-યુવતીઓને સરકારી નૌકરીની લાલચ આપી લાખો રૂપીયા ખંખેરતી ત્રણ શખ્સોની ટોળકીને ગીર સોમનાથ પોલીસે ઝડપી લઈ મોટા ઠગીના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીને સરકારી નૌકરીની તૈયારી કરતા 30 લોકોને છેતરી એકાદ કરોડની છેતરપીંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આ ટોળકી પાસેથી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ, આઈપીએસ, સચિવોની બોગસ સહીવાળા લેટરો મળી આવતા પોલીસે તપાસનો ઘમધમાટ આગળ ધપાવ્યો છે.


શું છે સમગ્ર મામલો?


ગીર સોમનાથના સૂત્રાપાડામાં નકલી નિમણૂક પત્ર બનાવી લાખો રૂપિયાની છેતરપિડી કર્યાના મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, સૂત્રાપાડામાં યુવક-યુવતીઓને સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી ખોટા નિમણૂક પત્રો બનાવી આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ હતી. આ કૌભાંડના તાર જૂનાગઢ અને કડી સુધી પહોંચ્યા હતા. પોલીસે આ મામલે ત્રણ જણાની ધરપકડ કરી હતી. આ મુદ્દે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવેલ કે, જુનાગઢ, ગીર સોમનાથ સહિતના જીલ્લામાં રહેતા અને સરકારી નૌકરી મળે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓને જુદા જુદા વિભાગોમાં નૌકરીઓ અપાવી દેવાના વાયદા કરી ખોટા નિમણુંક પત્રો આપી લાખો રૂપિયાની છેતરપીંડી થયેલ હોવાના બનાવો આડકતરી રીતે પોલીસના ધ્યાને આવેલ હતુ. જેમાં તાલાલાના કાનજીભાઇ વાળા પોતાની દિકરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા માટે ઘંટીયા પ્રાંચી ગામે આવેલ જયોતિબા ફુલે નામની એકેડમીના પ્રમુખ જેઠાભાઇ ઉર્ફે સુભાષ બચુભાઇ ચુડાસમાને મળેલ હતા. ત્યારે તેમની દિકરીને સરકારી નૌકરી અપાવી દેવાનું કહી મોબાઇલ ફોનમાં પોલીસ દોડની પરીક્ષામાં નાપાસ થયેલ યુવતિનો પાસ થયેલ સિકકાવાળો લેટર બતાવી વિશ્વાસમાં લઇ પ્રથમ છ લાખની માંગણી કરી ત્રણ લાખમાં નકકી કરી એક લાખ રૂપિયા તાત્કાલીક મેળવી લીધા હતા. બાદમાં કાનજીભાઈના સગા સબંધીના અન્ય પાંચ લોકો પાસેથી કુલ રૂ.7 લાખ લીધા હતા. બાદમાં તા.21/3/2023ના રોજ વેરીફીકેશન માટે ગાંધીનગર ડો.જીવરાજ મહેતા, કર્મયોગી ભવનમાં લઈ જઈને ” સચિવાલય સેવા કારકુન / સચિવાલય ઓફીસ આસિસ્ટન્ટ સંવર્ગ – 03’’ ની ભરતીનો લેટર આપેલ હતો. ત્યાંથી ઉમેદવારોએ જુનાગઢ લઈ જઈ કલેકટર ઓફીસમાં મહેસુલ વિભાગનો નિમણુંક પત્ર આપતા તે સાચો ન હોવાનું જાણવા મળેલ હતુ. બાદમાં જેઠાભાઈ ઉર્ફે સુભાષ સહીતનાનો મોબાઈલ બંધ આવતો હતો. ઉપરોકત વિગતો સાથે આઇ.પી.સી.કલમ 419, 420, 465, 467, 468, 471, 114 મુજબનો ગુનો નોંધી એલસીબી, સુત્રાપાડા પોલીસની સંયુક્ત ટીમોએ તપાસનો ઘમધમાટ હાથ ધર્યો હતો. 


આ આરોપી કરાઈ ધરપકડ


આ દરમ્યાન એલસીબીને મળેલ સંયુકત હકીકત આધારે ઘંટીયા-પ્રાંચીથી (1) જેઠાભાઇ ઉર્ફે સુભાષ બચુભાઇ ચુડાસમાં ઉ.વ. 35, જુનાગઢથી (2) હરસુખલાલ પુનાભાઇ ચૌહાણ, ઉ.વ.55, કડી(મહેસાણા)થી (3) નિલકંઠકુમાર જયંતિલાલ પટેલ ઉર્ફે પિન્ટુ પટેલ, ઉ.વ.45 ને ધરપકડ કરી લઈ પૂછપરછ હાથ ધરી હતી. આ ટોળકીએ જુદા જુદા 25 યુવાક/યુવતિઓને સરકારી નૌકરી અપાવી દેવાના કહી વિશ્વાસમાં લઈ કુલ રૂ.99 લાખની રકમ છેતરપીંડીથી લઈ લીધી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.