સરકારી નૌકરીની લાલચ આપી રૂપિયા ખંખેરતી ગેંગનો પર્દાફાશ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 3 શખ્સોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-01 20:59:25

ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં યુવક-યુવતીઓને સરકારી નૌકરીની લાલચ આપી લાખો રૂપીયા ખંખેરતી ત્રણ શખ્સોની ટોળકીને ગીર સોમનાથ પોલીસે ઝડપી લઈ મોટા ઠગીના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીને સરકારી નૌકરીની તૈયારી કરતા 30 લોકોને છેતરી એકાદ કરોડની છેતરપીંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આ ટોળકી પાસેથી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ, આઈપીએસ, સચિવોની બોગસ સહીવાળા લેટરો મળી આવતા પોલીસે તપાસનો ઘમધમાટ આગળ ધપાવ્યો છે.


શું છે સમગ્ર મામલો?


ગીર સોમનાથના સૂત્રાપાડામાં નકલી નિમણૂક પત્ર બનાવી લાખો રૂપિયાની છેતરપિડી કર્યાના મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, સૂત્રાપાડામાં યુવક-યુવતીઓને સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી ખોટા નિમણૂક પત્રો બનાવી આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ હતી. આ કૌભાંડના તાર જૂનાગઢ અને કડી સુધી પહોંચ્યા હતા. પોલીસે આ મામલે ત્રણ જણાની ધરપકડ કરી હતી. આ મુદ્દે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવેલ કે, જુનાગઢ, ગીર સોમનાથ સહિતના જીલ્લામાં રહેતા અને સરકારી નૌકરી મળે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓને જુદા જુદા વિભાગોમાં નૌકરીઓ અપાવી દેવાના વાયદા કરી ખોટા નિમણુંક પત્રો આપી લાખો રૂપિયાની છેતરપીંડી થયેલ હોવાના બનાવો આડકતરી રીતે પોલીસના ધ્યાને આવેલ હતુ. જેમાં તાલાલાના કાનજીભાઇ વાળા પોતાની દિકરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા માટે ઘંટીયા પ્રાંચી ગામે આવેલ જયોતિબા ફુલે નામની એકેડમીના પ્રમુખ જેઠાભાઇ ઉર્ફે સુભાષ બચુભાઇ ચુડાસમાને મળેલ હતા. ત્યારે તેમની દિકરીને સરકારી નૌકરી અપાવી દેવાનું કહી મોબાઇલ ફોનમાં પોલીસ દોડની પરીક્ષામાં નાપાસ થયેલ યુવતિનો પાસ થયેલ સિકકાવાળો લેટર બતાવી વિશ્વાસમાં લઇ પ્રથમ છ લાખની માંગણી કરી ત્રણ લાખમાં નકકી કરી એક લાખ રૂપિયા તાત્કાલીક મેળવી લીધા હતા. બાદમાં કાનજીભાઈના સગા સબંધીના અન્ય પાંચ લોકો પાસેથી કુલ રૂ.7 લાખ લીધા હતા. બાદમાં તા.21/3/2023ના રોજ વેરીફીકેશન માટે ગાંધીનગર ડો.જીવરાજ મહેતા, કર્મયોગી ભવનમાં લઈ જઈને ” સચિવાલય સેવા કારકુન / સચિવાલય ઓફીસ આસિસ્ટન્ટ સંવર્ગ – 03’’ ની ભરતીનો લેટર આપેલ હતો. ત્યાંથી ઉમેદવારોએ જુનાગઢ લઈ જઈ કલેકટર ઓફીસમાં મહેસુલ વિભાગનો નિમણુંક પત્ર આપતા તે સાચો ન હોવાનું જાણવા મળેલ હતુ. બાદમાં જેઠાભાઈ ઉર્ફે સુભાષ સહીતનાનો મોબાઈલ બંધ આવતો હતો. ઉપરોકત વિગતો સાથે આઇ.પી.સી.કલમ 419, 420, 465, 467, 468, 471, 114 મુજબનો ગુનો નોંધી એલસીબી, સુત્રાપાડા પોલીસની સંયુક્ત ટીમોએ તપાસનો ઘમધમાટ હાથ ધર્યો હતો. 


આ આરોપી કરાઈ ધરપકડ


આ દરમ્યાન એલસીબીને મળેલ સંયુકત હકીકત આધારે ઘંટીયા-પ્રાંચીથી (1) જેઠાભાઇ ઉર્ફે સુભાષ બચુભાઇ ચુડાસમાં ઉ.વ. 35, જુનાગઢથી (2) હરસુખલાલ પુનાભાઇ ચૌહાણ, ઉ.વ.55, કડી(મહેસાણા)થી (3) નિલકંઠકુમાર જયંતિલાલ પટેલ ઉર્ફે પિન્ટુ પટેલ, ઉ.વ.45 ને ધરપકડ કરી લઈ પૂછપરછ હાથ ધરી હતી. આ ટોળકીએ જુદા જુદા 25 યુવાક/યુવતિઓને સરકારી નૌકરી અપાવી દેવાના કહી વિશ્વાસમાં લઈ કુલ રૂ.99 લાખની રકમ છેતરપીંડીથી લઈ લીધી હતી.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે