લખનૌમાં ટ્યુશનથી પરત ફરી રહેલી વિદ્યાર્થિની સાથે ગેંગરેપ, પીડિતાને ચોકડી પર ફેંકી આરોપી ફરાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 11:29:27

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ટ્યુશનથી પરત ફરી રહેલી એક વિદ્યાર્થીની સાથે ગેંગરેપના સમાચાર સામે આવ્યા છે. ગોમતીનગરના વિભૂતિ ખંડ વિસ્તારમાં એક ઓટો ડ્રાઈવરે તેના પાર્ટનર સાથે મળીને આ વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ ઓટો ચાલક વિદ્યાર્થીને રસ્તા પર ફેંકીને ફરાર થઈ ગયો હતો. ઘટના રવિવારની છે. પોલીસે બળાત્કારનો કેસ નોંધ્યો છે. આ મામલે પોલીસના હાથ હજુ પણ ખાલી છે. આ કેસમાં બેદરકારીનો મામલો એ છે કે પોલીસે ઘટનાના 18 કલાક બાદ યુવતીનું મેડિકલ કરાવ્યું હતું.

Stop Rape - Poster - YouTube

વિરોધ કરવા પર વિદ્યાર્થીની મારપીટ

પીડિત યુવતી ટ્યુશનમાંથી પરત ફરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. એક ઓટો ડ્રાઈવરે તેના પાર્ટનર સાથે મળીને વિદ્યાર્થિની પર ગેંગરેપ કર્યો હતો. વિરોધ કરવા પર આરોપીએ યુવતીના માથા પર માર માર્યો હતો. ઘટના બાદ આરોપી યુવતીને બેભાન અવસ્થામાં હસદિયા ચોકડી પર ફેંકીને ફરાર થઈ ગયો હતો. આ મામલો લખનૌના વિભૂતિ ખંડ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ મામલે પોલીસની ઘોર બેદરકારી સામે આવી રહી છે.


જ્યારે મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદે આ મામલાની નોંધ લીધી, ત્યારે લખનૌ પોલીસે ઘણા કલાકો પછી એફઆઈઆર નોંધી. આ પછી પણ પોલીસે રવિવારે સાંજ સુધી પીડિતાને FIRની કોપી આપી ન હતી. ઘટનાના લગભગ 18 કલાક પછી વિદ્યાર્થીનીને તબીબી સારવાર માટે ઝલકરીબાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.લખનૌ પૂર્વના ડીસીપી પ્રાચી સિંહે હોસ્પિટલમાં બળાત્કાર પીડિતાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે પ્રાથમિક સારવાર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે પોલીસ ટીમ બનાવી દેવામાં આવી છે, ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. પોલીસે આ મામલામાં IPCની કલમ-342,376-D,323,392,506 હેઠળ FIR નોંધી છે. પીડિતાને રવિવાર સાંજ સુધી FIRની કોપી મળી ન હતી.આટલો સમય વીતી જવા છતાં પોલીસના હાથ ખાલી છે. કાર્યવાહીના નામે હનીમેન ઈન્ટરસેકશનના ગેરકાયદે સ્ટેન્ડ સંચાલકની પોલીસે પૂછપરછ કરી છે.




પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.