ગુજરાતી યાત્રિકોથી ભરેલી બસ ઉત્તરાખંડમાં દુર્ઘટનાગ્રસ્ત, 7 મૃતદેહ મળ્યા, 27 ઘાયલ, રેસ્ક્યૂ ચાલુ


  • Published By :
  • Published Date : 2023-08-20 19:39:31

ઉત્તરાખંડમાં રવિવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. ગંગોત્રી ધામથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસને રવિવારે અકસ્માત નડ્યો હતો. ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દેતા તે અચાનક જ ઉંડી ખીણમાં પડી હતી. ગંગોત્રી હાઇવે પર ગંગનાની પાસે મુસાફરોને લઇ જતી બસ ખીણમાં ખાબક્યા બાદ રેસ્ક્યું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 27 લોકોને બચાવી લેવાયા છે. એક વ્યક્તિ ગુમ છે અને એક બસમાં ફસાયેલ છે. જ્યારે, અત્યાર સુધીમાં 7 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.


27 લોકોને બચાવી લેવાયા


મળતી માહિતી મુજબ, બસ નંબર (uk 07 8585) 35 મુસાફરો સાથે ગંગોત્રીથી ઉત્તરકાશી તરફ આવી રહી હતી. આ દરમિયાન લગભગ સવા ચાર વાગ્યે ગુજરાતી યાત્રિકોથી ભરેલી બસ બેકાબૂ થઈ ખાઈમાં પડી ગઈ હતી. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 27 ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે.


ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા


ઘાયલોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, 7 મૃતદેહ મળી આવ્યા છે. એસપી અર્પણ યદુવંશી પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. જિલ્લા હોસ્પિટલમાંથી વધુ બે એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવી છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.