BHU યુનિવર્સીટીમાં ભણતી યુવતી સાથે ગેંગરેપ, પોલીસે ભાજપના IT સેલમાં કામ કરતા ત્રણને પકડ્યા! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-01-02 09:35:33

યુનિવર્સીટીમાં ભણતી એક યુવતી પર ભાજપના નેતાઓ સામુહિક બળાત્કાર કરે છે અને ફરિયાદ બાદ આરોપીઓ સીસીટીવીમાં દેખાય છે. છતાંય પોલીસ આરોપીઓની ધરપકડ 60 દિવસ બાદ કરે છે જેને લઈને રાજકારણ ગરમાયું છે. 

વિદ્યાર્થીનીના જણાવ્યા અનુસાર ક્યારે બની ઘટના?

વાત છે વારાણસીની કે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટાયા છે જ્યાં વારાણસી હિંદુ યુનિવર્સિટીમાં ભણતી આઈઆઈટીની એક વિદ્યાર્થીનીએ 2 નવેમ્બરે લંકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી,  કે તે 1 નવેમ્બરના રોજ મોડી રાત્રે તે આઈઆઈટી હોસ્ટેલમાંથી નીકળી હતી અને થોડા આગળ જતા તેને એક મિત્ર મળી ગયો બંને જ્યારે કરમણ બાબાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે મોટરસાઈકલ પર સવાર ત્રણ લોકોએ તેમને રોક્યા. 


ત્રણ આરોપીઓની કરી છે ધરપકડ

પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે બદમાશોએ તેને તેના મિત્રથી અલગ કરી, પછી તેનો મોઢું દબાવી, તેને એક ખૂણામાં લઈ જઈ, કપડાં ઉતારી, વીડિયો બનાવ્યો અને ફોટોગ્રાફ્સ લીધા. પીડિતાએ ગેંગરેપનો આરોપ પણ લગાવ્યો હતો. પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં કાશી હિંદુ યુનિવર્સિટીની IIT વિદ્યાર્થિની પર કથિત સામૂહિક બળાત્કારના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.જેમાં ત્રણેય આરોપીઓ ભાજપના આઇટી સેલમાં અલગ અલગ હોદ્દાઓ પર કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે 

અખિલેશ યાદવે આ અંગે કર્યું ટ્વિટ 

આ મામલે વિપક્ષ સત્તા પક્ષ પર સવાલો ઉભા કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવએ પણ આ મામલે ટ્વિટ કરી છે અને નહિ ચાહિયે ભાજપા એવું હૅશ ટેગ લગાવી લખ્યું છે કે देशभर की एक-एक नारी देख रही है कि भाजपा नारी-सम्मान के साथ कैसा मनमाना खिलवाड़ कर रही है और महिला अत्याचार, उत्पीड़न और बलात्कार के आरोपियों को बचा रही है। आगामी चुनाव में महिलाएँ भाजपा को एक भी वोट नहीं देंगी। महिलाएँ ही भाजपा की हार का कारण बनेंगी। અને બીજું ઘણું લખ્યું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકોએ પણ ભાજપના સરકારને ઘેરી છે. દિલ્હી સરકારની સલાહકાર રીના ગુપ્તાએ આ અંગે ભાજપ પર પ્રહારો કર્યા છે.   




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.