BHU યુનિવર્સીટીમાં ભણતી યુવતી સાથે ગેંગરેપ, પોલીસે ભાજપના IT સેલમાં કામ કરતા ત્રણને પકડ્યા! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-01-02 09:35:33

યુનિવર્સીટીમાં ભણતી એક યુવતી પર ભાજપના નેતાઓ સામુહિક બળાત્કાર કરે છે અને ફરિયાદ બાદ આરોપીઓ સીસીટીવીમાં દેખાય છે. છતાંય પોલીસ આરોપીઓની ધરપકડ 60 દિવસ બાદ કરે છે જેને લઈને રાજકારણ ગરમાયું છે. 

વિદ્યાર્થીનીના જણાવ્યા અનુસાર ક્યારે બની ઘટના?

વાત છે વારાણસીની કે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટાયા છે જ્યાં વારાણસી હિંદુ યુનિવર્સિટીમાં ભણતી આઈઆઈટીની એક વિદ્યાર્થીનીએ 2 નવેમ્બરે લંકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી,  કે તે 1 નવેમ્બરના રોજ મોડી રાત્રે તે આઈઆઈટી હોસ્ટેલમાંથી નીકળી હતી અને થોડા આગળ જતા તેને એક મિત્ર મળી ગયો બંને જ્યારે કરમણ બાબાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે મોટરસાઈકલ પર સવાર ત્રણ લોકોએ તેમને રોક્યા. 


ત્રણ આરોપીઓની કરી છે ધરપકડ

પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે બદમાશોએ તેને તેના મિત્રથી અલગ કરી, પછી તેનો મોઢું દબાવી, તેને એક ખૂણામાં લઈ જઈ, કપડાં ઉતારી, વીડિયો બનાવ્યો અને ફોટોગ્રાફ્સ લીધા. પીડિતાએ ગેંગરેપનો આરોપ પણ લગાવ્યો હતો. પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં કાશી હિંદુ યુનિવર્સિટીની IIT વિદ્યાર્થિની પર કથિત સામૂહિક બળાત્કારના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.જેમાં ત્રણેય આરોપીઓ ભાજપના આઇટી સેલમાં અલગ અલગ હોદ્દાઓ પર કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે 

અખિલેશ યાદવે આ અંગે કર્યું ટ્વિટ 

આ મામલે વિપક્ષ સત્તા પક્ષ પર સવાલો ઉભા કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવએ પણ આ મામલે ટ્વિટ કરી છે અને નહિ ચાહિયે ભાજપા એવું હૅશ ટેગ લગાવી લખ્યું છે કે देशभर की एक-एक नारी देख रही है कि भाजपा नारी-सम्मान के साथ कैसा मनमाना खिलवाड़ कर रही है और महिला अत्याचार, उत्पीड़न और बलात्कार के आरोपियों को बचा रही है। आगामी चुनाव में महिलाएँ भाजपा को एक भी वोट नहीं देंगी। महिलाएँ ही भाजपा की हार का कारण बनेंगी। અને બીજું ઘણું લખ્યું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકોએ પણ ભાજપના સરકારને ઘેરી છે. દિલ્હી સરકારની સલાહકાર રીના ગુપ્તાએ આ અંગે ભાજપ પર પ્રહારો કર્યા છે.   




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.