BHU યુનિવર્સીટીમાં ભણતી યુવતી સાથે ગેંગરેપ, પોલીસે ભાજપના IT સેલમાં કામ કરતા ત્રણને પકડ્યા! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-01-02 09:35:33

યુનિવર્સીટીમાં ભણતી એક યુવતી પર ભાજપના નેતાઓ સામુહિક બળાત્કાર કરે છે અને ફરિયાદ બાદ આરોપીઓ સીસીટીવીમાં દેખાય છે. છતાંય પોલીસ આરોપીઓની ધરપકડ 60 દિવસ બાદ કરે છે જેને લઈને રાજકારણ ગરમાયું છે. 

વિદ્યાર્થીનીના જણાવ્યા અનુસાર ક્યારે બની ઘટના?

વાત છે વારાણસીની કે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટાયા છે જ્યાં વારાણસી હિંદુ યુનિવર્સિટીમાં ભણતી આઈઆઈટીની એક વિદ્યાર્થીનીએ 2 નવેમ્બરે લંકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી,  કે તે 1 નવેમ્બરના રોજ મોડી રાત્રે તે આઈઆઈટી હોસ્ટેલમાંથી નીકળી હતી અને થોડા આગળ જતા તેને એક મિત્ર મળી ગયો બંને જ્યારે કરમણ બાબાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે મોટરસાઈકલ પર સવાર ત્રણ લોકોએ તેમને રોક્યા. 


ત્રણ આરોપીઓની કરી છે ધરપકડ

પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે બદમાશોએ તેને તેના મિત્રથી અલગ કરી, પછી તેનો મોઢું દબાવી, તેને એક ખૂણામાં લઈ જઈ, કપડાં ઉતારી, વીડિયો બનાવ્યો અને ફોટોગ્રાફ્સ લીધા. પીડિતાએ ગેંગરેપનો આરોપ પણ લગાવ્યો હતો. પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં કાશી હિંદુ યુનિવર્સિટીની IIT વિદ્યાર્થિની પર કથિત સામૂહિક બળાત્કારના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.જેમાં ત્રણેય આરોપીઓ ભાજપના આઇટી સેલમાં અલગ અલગ હોદ્દાઓ પર કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે 

અખિલેશ યાદવે આ અંગે કર્યું ટ્વિટ 

આ મામલે વિપક્ષ સત્તા પક્ષ પર સવાલો ઉભા કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવએ પણ આ મામલે ટ્વિટ કરી છે અને નહિ ચાહિયે ભાજપા એવું હૅશ ટેગ લગાવી લખ્યું છે કે देशभर की एक-एक नारी देख रही है कि भाजपा नारी-सम्मान के साथ कैसा मनमाना खिलवाड़ कर रही है और महिला अत्याचार, उत्पीड़न और बलात्कार के आरोपियों को बचा रही है। आगामी चुनाव में महिलाएँ भाजपा को एक भी वोट नहीं देंगी। महिलाएँ ही भाजपा की हार का कारण बनेंगी। અને બીજું ઘણું લખ્યું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકોએ પણ ભાજપના સરકારને ઘેરી છે. દિલ્હી સરકારની સલાહકાર રીના ગુપ્તાએ આ અંગે ભાજપ પર પ્રહારો કર્યા છે.   




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.