ગેંગસ્ટર નિખીલ દોંગાનો આખરે જામીન પર છુટકારો, ગુજરાત હાઇકોર્ટે રેગ્યુલર જામીન ઉપર છોડવાનો કર્યો હુકમ


  • Published By :
  • Published Date : 2024-02-06 15:17:06

રાજકોટ અને ગોંડલ સહિત સૌરાષ્ટ્રમાં અનેક ગુના આચરનારા કુખ્યાત ગેંગસ્ટર નિખીલ દોંગાનો આખરે જામીન પર છુટકારો થયો છે. ગુજસીકોટના ગુનામાં નિખીલ દોંગા ગેંગના એક પછી એક આરોપીના જામીન મંજૂર થયા બાદ આજે નિખીલ દોંગાના જામીન મંજૂર થયા છે. ગુજરાત હાઇકોર્ટે નિખીલ દોંગાને રેગ્યુલર જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો છે. ગુજસીકોટના આરોપી નિખીલ દોંગાએ અનેક ગુનાને અંજામ આપ્યો છે. ગોંડલ યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર અને ગુજસીકોટ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર થતા તેમના સમર્થકોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. 


નિખીલ દોંગા સામે 14 કરતા વધુ ગુના


નિખીલ દોંગા ગેંગ સામે મિલકતો પચાવી પાડવી, હત્યાની કોશિશ સહિતના 117 જેટલા ગુનામાં સંડાવાયેલો છે. નિખીલ દોંગા સામે વર્ષ 2003થી અત્યાર સુધીમાં 14 કરતા વધુ ગુના નોંધાયેલા છે. રાજકોટ જિલ્લામાં અનેક ગુન્હા આચરનાર નિખીલ દોગાને પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ ઝડપીને ગોંડલ કારાગૃહમાં ધકેલી દેવામાં આવ્યો હતો. પરંતુ રૂપિયા વેરવામાં પાછી પાની નહી કરનારા નિખીલ દોગાએ ગોંડલ જેલના તંત્રને ખરીદી લીધું હોય તેમ જેલમાં સજા કાપવાને બદલે એશોઆરામ કરતો હતો. અગાઉ નિખિલ દોંગા ભુજની પાલારા જેલમાં બંધ હતો. પરંતુ તે જેલમાં નિખિલને સગવડો મળતી હોવાની ફરિયાદ ખુદ પોલીસે કરી હતી. જેના આધારે સ્પેશિયલ કોર્ટે નિખિલ દોંગાને અમદાવાદ સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ જાહેર કર્યો હતો.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.