ગેંગસ્ટર નિખીલ દોંગાનો આખરે જામીન પર છુટકારો, ગુજરાત હાઇકોર્ટે રેગ્યુલર જામીન ઉપર છોડવાનો કર્યો હુકમ


  • Published By :
  • Published Date : 2024-02-06 15:17:06

રાજકોટ અને ગોંડલ સહિત સૌરાષ્ટ્રમાં અનેક ગુના આચરનારા કુખ્યાત ગેંગસ્ટર નિખીલ દોંગાનો આખરે જામીન પર છુટકારો થયો છે. ગુજસીકોટના ગુનામાં નિખીલ દોંગા ગેંગના એક પછી એક આરોપીના જામીન મંજૂર થયા બાદ આજે નિખીલ દોંગાના જામીન મંજૂર થયા છે. ગુજરાત હાઇકોર્ટે નિખીલ દોંગાને રેગ્યુલર જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો છે. ગુજસીકોટના આરોપી નિખીલ દોંગાએ અનેક ગુનાને અંજામ આપ્યો છે. ગોંડલ યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર અને ગુજસીકોટ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર થતા તેમના સમર્થકોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. 


નિખીલ દોંગા સામે 14 કરતા વધુ ગુના


નિખીલ દોંગા ગેંગ સામે મિલકતો પચાવી પાડવી, હત્યાની કોશિશ સહિતના 117 જેટલા ગુનામાં સંડાવાયેલો છે. નિખીલ દોંગા સામે વર્ષ 2003થી અત્યાર સુધીમાં 14 કરતા વધુ ગુના નોંધાયેલા છે. રાજકોટ જિલ્લામાં અનેક ગુન્હા આચરનાર નિખીલ દોગાને પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ ઝડપીને ગોંડલ કારાગૃહમાં ધકેલી દેવામાં આવ્યો હતો. પરંતુ રૂપિયા વેરવામાં પાછી પાની નહી કરનારા નિખીલ દોગાએ ગોંડલ જેલના તંત્રને ખરીદી લીધું હોય તેમ જેલમાં સજા કાપવાને બદલે એશોઆરામ કરતો હતો. અગાઉ નિખિલ દોંગા ભુજની પાલારા જેલમાં બંધ હતો. પરંતુ તે જેલમાં નિખિલને સગવડો મળતી હોવાની ફરિયાદ ખુદ પોલીસે કરી હતી. જેના આધારે સ્પેશિયલ કોર્ટે નિખિલ દોંગાને અમદાવાદ સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ જાહેર કર્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.