કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તે અંગે ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-10-24 16:23:08

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારને લઈ કોંગ્રેસ અને ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઈશારો આપ્યો છે જેને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે. ભાભરના વજાપૂર ગામે રોડના ખાતમૂહુર્તના પ્રસંગે ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે વાતોવાતોમાં ઉમેદાવારોના નામ માટે ઈશારો આપી દીધો  હતો. તેમના કહેવા પ્રમાણે રાધનપુરથી રઘુભાઈ રબારી અને બનાસકાંઠાના ડીસામાંથી ગોવાભાઈ દેસાઈ ચૂંટણી માટે કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતરશે.

Geniben Thakor - 7 - Vav Vidhan Sabha Constituency - Member Of Legislative  Assembly (MLA) - Incumbent - B - 7 - Vav MLA - OpenCampaign Politician  Profile - India's Best Civic Engagement Platform!

પાર્ટી નામ જાહેર કરે તે પહેલા ગેનીબેને કર્યો દાવો 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ જઈ રહી છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપે અથવા કોંગ્રેસમાંથી કોઈ પણ પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ઉમેદવારોના નામ અંગે બંને પાર્ટીમાં વિચારણા ચાલી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે 2 ઉમેદવારોને ટિકિટ મળી શકે છે તેવા સંકેતો આપ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રાધનપૂરથી રઘુભાઈ રબારી ચૂંટણી લડશે જ્યારે ડીસામાંથી ગોવાભાઈ દેસાઈ ચૂંટણી લડશે. 

Pradesh Congress president Jagdish Thakore threatened the police at a  public meeting - પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જનસભામાં પોલીસને ધમકી  આપી – News18 Gujarati

હાઈકમાન્ડ ઉમેદવારના નામ પર લગાડશે મોહર

કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા ગેનીબેન ઠાકોરના આવા દાવાથી ગુજરાતમાં રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસની સ્ક્રીંગ કમિટીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 25 તારીખે જગદીશ ઠાકોર અને સુખરામ રાવઠા દિલ્હી જશે જે બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારને જાહેર કરશે. હાઈકમાન્ડ નામ પર મોહર લગાડશે તે બાદ ઉમેદવારોના નામ જાહેર થશે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.