કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તે અંગે ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-24 16:23:08

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારને લઈ કોંગ્રેસ અને ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઈશારો આપ્યો છે જેને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે. ભાભરના વજાપૂર ગામે રોડના ખાતમૂહુર્તના પ્રસંગે ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે વાતોવાતોમાં ઉમેદાવારોના નામ માટે ઈશારો આપી દીધો  હતો. તેમના કહેવા પ્રમાણે રાધનપુરથી રઘુભાઈ રબારી અને બનાસકાંઠાના ડીસામાંથી ગોવાભાઈ દેસાઈ ચૂંટણી માટે કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતરશે.

Geniben Thakor - 7 - Vav Vidhan Sabha Constituency - Member Of Legislative  Assembly (MLA) - Incumbent - B - 7 - Vav MLA - OpenCampaign Politician  Profile - India's Best Civic Engagement Platform!

પાર્ટી નામ જાહેર કરે તે પહેલા ગેનીબેને કર્યો દાવો 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ જઈ રહી છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપે અથવા કોંગ્રેસમાંથી કોઈ પણ પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ઉમેદવારોના નામ અંગે બંને પાર્ટીમાં વિચારણા ચાલી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે 2 ઉમેદવારોને ટિકિટ મળી શકે છે તેવા સંકેતો આપ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રાધનપૂરથી રઘુભાઈ રબારી ચૂંટણી લડશે જ્યારે ડીસામાંથી ગોવાભાઈ દેસાઈ ચૂંટણી લડશે. 

Pradesh Congress president Jagdish Thakore threatened the police at a  public meeting - પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જનસભામાં પોલીસને ધમકી  આપી – News18 Gujarati

હાઈકમાન્ડ ઉમેદવારના નામ પર લગાડશે મોહર

કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા ગેનીબેન ઠાકોરના આવા દાવાથી ગુજરાતમાં રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસની સ્ક્રીંગ કમિટીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 25 તારીખે જગદીશ ઠાકોર અને સુખરામ રાવઠા દિલ્હી જશે જે બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારને જાહેર કરશે. હાઈકમાન્ડ નામ પર મોહર લગાડશે તે બાદ ઉમેદવારોના નામ જાહેર થશે.   




થોડા સમય પહેલા સામ પિત્રોડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે ફરી એક વખત સામ પિત્રોડાએ ફરી એક વખત નિવેદન આપ્યું છે. તેમના નિવેદનના લીધે કોંગ્રેસ પાર્ટી ફરી એક વાર બેકફૂટ પર આવી ગયી છે . કારણ કે ફરી એક વાર સામ પિત્રોડાએ ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.

AstraZeneca દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.. છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિનની ચર્ચાઓ થઈ રહી છે... ભારતમાં આપણે જેને કોરોના વેક્સિન કોવિશિલ્ડ તરીકે જાણીએ તે રસીના તમામ સ્ટોકને કંપનીએ પરત મંગાવી દીધા છે તેવી માહિતી સામે આવી છે..

આગામી દિવસો માટે પણ અનેક જગ્યાઓ પર હિટવેવની આગાહી કરવામાં આવી છે પરંતુ તેની સાથે સાથે અનેક જગ્યાઓ માટે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.... રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 12મી અને 13મી તારીખ દરમિયાન છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં માવઠું આવી શકે છે...

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યો હતો. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે.