ગુજરાતના 3 જિલ્લામાંથી કરોડોનો ગાંજો ઝડપાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 19:04:24

ગુજરાતમાં દારૂ પીવાના સમાચાર મળતા હતા પરંતુ હવે ડ્રગ્સ અને ગાંજો લેવાના પણ સમાચારો સામે આવી રહ્યા છે. પોલીસે મેઘા સર્ચ ઓપરેશન અંતર્ગત ગુજરાતમાં મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો હતો. ગુજરાતના ત્રણ જિલ્લા એટલે કે મહીસાગર, અરવલ્લી અને ખેડામાં કરોડોના ગાંજાનું વાવેતર ઝડપાયું હતું 


2 કરોડથી વધુના લીલા ગાંજાનો જથ્થો ઝડપાયો

અરવલ્લીના બાયડ પોલીસે વાઘવલ્લા ગામના ખેતરોમાંથી 2.27 કરોડનો લીલો ગાંજો ઝડપી પાડ્યો હતો. અરવલ્લી પોલીસે ગાંજોનું વાવેતર કરનાર 9 લોકો સામે ફરિયાદ નોંધી છે. વાઘવલ્લા ગામના ખેતરોમાં 2 હજાર કિલોથી વધારાનું લીલા ગાંજાનું વાવેતર થયું હતું. પોલીસે 2 લોકોને ઝડપી પાડ્યા છે જ્યારે 7 આરોપીઓ ફરાર છે. ગુજરાત પોલીસની કાર્યવાહીની પહેલી એવી ઘટના છે જેમાં આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.