ગુજરાતના 3 જિલ્લામાંથી કરોડોનો ગાંજો ઝડપાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 19:04:24

ગુજરાતમાં દારૂ પીવાના સમાચાર મળતા હતા પરંતુ હવે ડ્રગ્સ અને ગાંજો લેવાના પણ સમાચારો સામે આવી રહ્યા છે. પોલીસે મેઘા સર્ચ ઓપરેશન અંતર્ગત ગુજરાતમાં મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો હતો. ગુજરાતના ત્રણ જિલ્લા એટલે કે મહીસાગર, અરવલ્લી અને ખેડામાં કરોડોના ગાંજાનું વાવેતર ઝડપાયું હતું 


2 કરોડથી વધુના લીલા ગાંજાનો જથ્થો ઝડપાયો

અરવલ્લીના બાયડ પોલીસે વાઘવલ્લા ગામના ખેતરોમાંથી 2.27 કરોડનો લીલો ગાંજો ઝડપી પાડ્યો હતો. અરવલ્લી પોલીસે ગાંજોનું વાવેતર કરનાર 9 લોકો સામે ફરિયાદ નોંધી છે. વાઘવલ્લા ગામના ખેતરોમાં 2 હજાર કિલોથી વધારાનું લીલા ગાંજાનું વાવેતર થયું હતું. પોલીસે 2 લોકોને ઝડપી પાડ્યા છે જ્યારે 7 આરોપીઓ ફરાર છે. ગુજરાત પોલીસની કાર્યવાહીની પહેલી એવી ઘટના છે જેમાં આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.