વડોદરાના મંજુસરમાં ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન થયેલા પથ્થરમારા બાદ 48 તોફાની તત્વો સામે થઈ ફરિયાદ, આ 17 આરોપી ફરાર


  • Published By :
  • Published Date : 2023-10-01 11:16:29

વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામમાં ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન ગામના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ મામલે પોલીસે આકરી કાર્યવાહી કરતા 48 તોફાની તત્વો વિરૂધ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનિય છે કે વડોદરાના મંજુસર ગામમાં ગુરુવારે શ્રીજી વિસર્જન યાત્રામાં ગણપતિ વિસર્જન દરમિયાન બે જુથો વચ્ચે પથ્થરમારો થતાં મંજૂસર અને સાવલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતી પર કાબૂ મેળવ્યો હતો. 


આ લોકો થયા ફરાર


ગણેશ વિસર્જન યાત્રામાં પથ્થરમારો કરનાર 48 જેટલા તોફાનીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જેમાં 48 પૈકી 18 આરોપોની નામજોગ ફરિયાદ દાખલ થઇ છે. આમાં એક આરોપી અબ્બાસ વાઘેલાની ધરપકડ શુક્રવાર રાતે જ પોલીસે કરી લીધી હતી, અને આગળની પૂછપછ કરવામાં આવી રહી છે. પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં 1 વસીમ જય વાઘેલા, 2 જસ નારસિંગભાઈ વાઘેલા, 3 રણજીત લક્ષ્મણ ,4 યાસીન વાઘેલા, 5 મહંમદ વાઘેલા 6) લાલ રાયસીંગ વાઘેલા 7 સચિન વાઘેલા 8) સાહિલ વાઘેલા 9 કિરણ રિક્ષાવાળા 10 સાગર વાઘેલા 11 શહેજાન વાઘેલા 12 નાસીર ચંદુ ડીલક્ષ 13 તોસીફ વાઘેલા  14 ફરીદ વાઘેલા 15 વિક્રમ ચીમનભાઈ વાઘેલા 16 નઝીર અબ્બાસ વાઘેલા 17 જીગર અબ્બાસ વાઘેલાનો સમાવેશ થયો છે. ઉલ્લેખનિય છે કે કોમી તોફાન બાદ આમાથી 17 આરોપીઓ ફરાર થઈ ગયા છે  જેમને પકડવા માટે જિલ્લા પોલીસે 17 આરોપીઓને પોલીસ મથકે હાજર થવા તેમના ઘરે નૉટિસો ફટકારી છે. 


પોલીસે શરૂ કર્યું પેટ્રોલિંગ અને કોમ્બિંગ


ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન મંજૂસર ગામમાં આવેલા વાઘેલા ફળિયામાં બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમાના બનાવને લઇ હાલમાં ગામમાં અજંપા ભરી પરિસ્થિતિ સર્જાય છે. સમગ્ર ગામ હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આ સાથે જ પથ્થરમારો કરનાર ઇસમોને ઝડપી પાડવા માટે મંજૂસર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. પથ્થરમારાની ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.


ધારાસભ્ય કેતન ઈનામદારે શું કહ્યું હતું


સાવલી તાલુકાના મંજુસરમાં થયેલી કોમી અથડામણની ઘટના અંગે સાવલીના ધારાસભ્ય  કેતન ઇમાનદારે કહ્યું હતું કે,  શાંતિ ડહોળનાર કોઈ તત્વોને  છોડવામાં નહી આવે. અમુક અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. ઈરાદાપૂર્વક પર પથ્થરમારો કરાયો છે. આ ઘટનામાં કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે.જવાબદારો સામે દાખલો બેસાડવાની કાર્યવાહી કરાશે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.