વધતા હાર્ટ એટેકના કેસને લઈ તંત્ર એલર્ટ, ગરબા આયોજકો માટે આરોગ્ય વિભાગની ગાઈડલાઈન જાહેર


  • Published By :
  • Published Date : 2023-10-10 21:47:57

રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવોના કારણે સામાન્ય માણસ જ નહીં રાજ્ય સરકાર પણ ચિંતિત છે. આગામી દિવસોમાં નવરાત્રી મહોત્સવ શરૂ થવાનો છે. મા આદ્ય શક્તિના આરાધનાના પર્વને લઈ ખૈલાયાઓમાં અનેરોલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખૈલૈયાઓ નવરાત્રીના નવ દિવસ સુધી મનમુકીને ગરબે ઘુમતા હોય છે, ત્યારે  તેમનું આરોગ્ય જોખમાઈ શકે છે. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે અને યુવાનોમાં હાર્ટએટેકના વધતા કેસોને લઈ સરકાર ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં મુખ્યત્વે નવરાત્રિના આયોજકોએ મેડિકલ કીટ રાખવી પડશે. તેમજ 8 કોર્પોરેશન, 157 નપા માટે ખાસ માર્ગદર્શિકા અમલી રહેશે. અમદાવાદ, સુરત, રાજકોટમાં હાર્ટએટેકના સતત વધતા બનાવોને લઈ નવરાત્રીના આયોજકો દ્વારા તબીબોની ઈમરજન્સી ટીમ, એમ્બ્યુલન્સ સહિત મેડિકલ સેવા ગરબા ગ્રાઉન્ડ નજીક મળી રહે તે માટે સુચના આપવામાં આવી છે. ગરબા રમતી વખતે ક્યાંક થોડીઘણી પણ તકલીફ જણાય તો રમવાનું તુરત જ બંધ કરી મેડિકલ સેવા માટે આગ્રહ રાખવા જણાવાયું છે.

 

શું છે માર્ગદર્શિકામાં?


રાજ્ય આરોગ્ય વિભાગ દ્વાકા જાહેર કરવામાં આવેલી આ માર્ગદર્શિતા મુજબ ગરબાના સ્થળે આયોજકોએ ગ્રીન કોરિડોર ફરજિયાત તૈયાર કરવો પડશે. ઉપરાંત વિના મૂલ્યે આરોગ્યની ટીમ માટે એક સ્ટોલ ફાળવવો પડશે તથા ગરબાના સ્થળથી હોસ્પિટલ પહોંચવા માટે એમ્બ્યુલન્સ રાખવી પડશે. ગરબા સ્થળની હોસ્પિટલમાં એરાઉન્ડ ધ કલોક સારવાર મળે તેવી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. રાજ્યના દરેક કલેકટર, ડીડીઓ, મ્યુનિસિપલ કમિશનરને આરોગ્ય વિભાગની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં PHC અને CHC સેન્ટરોને સૂચનાઓ આપવામાં આવશે. જેનમાં તમામ ગરબાના આયોજન સ્થળની નજીક 108ના પોઇન્ટ ગોઠવવાથી લઈ, દર્દીઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડી શકાય તેના અંગે વ્યવસ્થા કરવાની રહેશે. આ સાથે CPRની તાલીમ લીધેલા લોકોને ગરબા સ્થળે રાખવા માટેની પણ વ્યવસ્થા આયોજકોએ કરવાની રહેશે.જ્યારે બીજી તરફ હોસ્પિટલોમાં પણ સમયસર સારવાર મળી રહે તેના માટે તમામ સ્થાનો પર હોસ્પિટલમાં રાત્રીના 12 વાગ્યા સુધી હાજર રહેવાની સૂચના અપાશે. તેમજ ડૉક્ટરોની ટીમ પણ ઉપલબ્ધ રહે તેની કાળજી રાખવાની રહેશે. જ્યારે ભાજપના ડોકટર સેલના કાર્યકરો પણ ગરબા સ્થળે હાજર રહેશે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.