જામનગરમાં 333 વર્ષથી માત્ર નોબતના તાલે યોજાય છે ગરબી અને ઈશ્વર વિવાહ, શું છે તેની અન્ય વિશેષતાઓ?


  • Published By :
  • Published Date : 2023-10-22 19:23:03

જામનગર શહેરમાં 333 વર્ષ જૂની પ્રાચીન ગરબી એટલે જલાની જારની ગરબી આજ દિવસ સુધી આ ગરબીને આધુનિકતાનો સ્પર્શ થયો નથી. લાઉડ સ્પીકર નહીં અને સંગીત વાજીંત્રો પણ નહી માત્ર નોબતના તાલે પુરૂષો દ્વારા રમાતી ગરબીમાં પરંપરાગત લાલ-પીળા-કેશરી અબોટીયા પહેરી રમાતી ગરબીનું એક વિશેષ મહાત્મય છે અને તેમાંય નવરાત્રીના સાતમાં નોરતાએ યોજાતા ઈશ્વરવિવાહ નિહાળવા એ એક લ્હાવા સમાન છે. ગરબીમાં છંદ અને ઇશ્વર વિવાહ ઉપર જર્મનીની એક યુનિવર્સીટી રિસર્ચ કર્યુ છે ત્યારે શનિવારના આ ગરબીમાં ઇશ્વર વિવાહનું આયેાજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતાં.


નાતજાતનો ભેદભાવ વિના સૌ ગરબી રમે છે


જામનગરની પ્રાચીન ગરબી જલાની જારમાં ગરબીમાં મંડળનું કોઈ નામ નથી, અહી ગરબી મંડળના કોઈ સંચાલક નથી, કોઈ ફંડફાળો નથી, તો વળી અહીં કોઈ પ્રકારનો નાતજાતનો ભેદભાવ પણ નથી અને મંડપમાં ક્યાય પણ લાઉડસ્પીકર કે આધુનિક વાજીંત્રો પણ નથી. ગરબીમાં માતાજીના મઢ ઉપર જામ રાજવી વિભા એકના શાસનકાળ સમયનો સોનારૂપાનો ગરબો પધરાવવામાં આવે છે અને ઇશ્વર વિવાહ શરૂ થાય એટલે એકપણ ક્ષણના વિરામ વગર સાડા ત્રણ કલાક સુધી સતત ગાવામાં અને રમવામાં આવે છે અને ગરબીમાં ચાંદી જડીત મઢ તથા ચાંદી જડીત માં નવદુર્ગાના પુતળા સદીઓ પુરાણા છે. શનિવારના ઇશ્વર વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારના લોકો સહિત મોટી સંખ્યામાં શહેરીજનોને લાભ લીધો હતો.


4 કલાક સુધી સતત ઈશ્વર વિવાહનું ગાન અને રાસ


આ ગરબીમાં ઈશ્વર વિવાહનું આગવું મહત્ત્વ છે. રાજાશાહીના વખત ચાલી રહેલી જલાનીજારની ગરબીમાં આસો સુદ સાતમને મંગળવારના રાત્રે 12:30 કલાકે ઈશ્વરવિવાહ ઉત્સવનો પ્રારંભ થયો હતો. એક પણ ક્ષણના વિરામ વગર સાડા ત્રણ કલાક સુધી ઈશ્વર વિવાહના ગાન સાથે ખેલૈયાઓએ રાસ લીધા હતા. શ્રોતાઓને અર્થ સરળતાથી સમજવા મળે તે માટે ઈશ્વરવિવાહની દરેક પંક્તિ ચાર વખત ગાવામાં આવી હતી.પિતાંબરી, અબોટિયું વગેરેનો પહેરવેશ પહેરીને તેમજ કપાળે ચંદનનું તિલક કરીને ઈશ્વર વિવાહના છંદના ગાયન સાથે સાડા ત્રણ કલાક સુધી ખેલૈયાઓ અવિરત ગરબે ઘૂમ્યા હતા. જેમાં ભગવાન શિવજીના વેશધારી દ્વારા પણ રાસ લેવાયો હતો. સમગ્ર જલાનીજાર વિસ્તારના લોકો તથા અન્ય મહિલાઓ સહિતના શ્રોતાગણ પરોઢિયા સુધી ઈશ્વર વિવાહમાં જોડાયા હતા.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી