જામનગરમાં 333 વર્ષથી માત્ર નોબતના તાલે યોજાય છે ગરબી અને ઈશ્વર વિવાહ, શું છે તેની અન્ય વિશેષતાઓ?


  • Published By :
  • Published Date : 2023-10-22 19:23:03

જામનગર શહેરમાં 333 વર્ષ જૂની પ્રાચીન ગરબી એટલે જલાની જારની ગરબી આજ દિવસ સુધી આ ગરબીને આધુનિકતાનો સ્પર્શ થયો નથી. લાઉડ સ્પીકર નહીં અને સંગીત વાજીંત્રો પણ નહી માત્ર નોબતના તાલે પુરૂષો દ્વારા રમાતી ગરબીમાં પરંપરાગત લાલ-પીળા-કેશરી અબોટીયા પહેરી રમાતી ગરબીનું એક વિશેષ મહાત્મય છે અને તેમાંય નવરાત્રીના સાતમાં નોરતાએ યોજાતા ઈશ્વરવિવાહ નિહાળવા એ એક લ્હાવા સમાન છે. ગરબીમાં છંદ અને ઇશ્વર વિવાહ ઉપર જર્મનીની એક યુનિવર્સીટી રિસર્ચ કર્યુ છે ત્યારે શનિવારના આ ગરબીમાં ઇશ્વર વિવાહનું આયેાજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતાં.


નાતજાતનો ભેદભાવ વિના સૌ ગરબી રમે છે


જામનગરની પ્રાચીન ગરબી જલાની જારમાં ગરબીમાં મંડળનું કોઈ નામ નથી, અહી ગરબી મંડળના કોઈ સંચાલક નથી, કોઈ ફંડફાળો નથી, તો વળી અહીં કોઈ પ્રકારનો નાતજાતનો ભેદભાવ પણ નથી અને મંડપમાં ક્યાય પણ લાઉડસ્પીકર કે આધુનિક વાજીંત્રો પણ નથી. ગરબીમાં માતાજીના મઢ ઉપર જામ રાજવી વિભા એકના શાસનકાળ સમયનો સોનારૂપાનો ગરબો પધરાવવામાં આવે છે અને ઇશ્વર વિવાહ શરૂ થાય એટલે એકપણ ક્ષણના વિરામ વગર સાડા ત્રણ કલાક સુધી સતત ગાવામાં અને રમવામાં આવે છે અને ગરબીમાં ચાંદી જડીત મઢ તથા ચાંદી જડીત માં નવદુર્ગાના પુતળા સદીઓ પુરાણા છે. શનિવારના ઇશ્વર વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારના લોકો સહિત મોટી સંખ્યામાં શહેરીજનોને લાભ લીધો હતો.


4 કલાક સુધી સતત ઈશ્વર વિવાહનું ગાન અને રાસ


આ ગરબીમાં ઈશ્વર વિવાહનું આગવું મહત્ત્વ છે. રાજાશાહીના વખત ચાલી રહેલી જલાનીજારની ગરબીમાં આસો સુદ સાતમને મંગળવારના રાત્રે 12:30 કલાકે ઈશ્વરવિવાહ ઉત્સવનો પ્રારંભ થયો હતો. એક પણ ક્ષણના વિરામ વગર સાડા ત્રણ કલાક સુધી ઈશ્વર વિવાહના ગાન સાથે ખેલૈયાઓએ રાસ લીધા હતા. શ્રોતાઓને અર્થ સરળતાથી સમજવા મળે તે માટે ઈશ્વરવિવાહની દરેક પંક્તિ ચાર વખત ગાવામાં આવી હતી.પિતાંબરી, અબોટિયું વગેરેનો પહેરવેશ પહેરીને તેમજ કપાળે ચંદનનું તિલક કરીને ઈશ્વર વિવાહના છંદના ગાયન સાથે સાડા ત્રણ કલાક સુધી ખેલૈયાઓ અવિરત ગરબે ઘૂમ્યા હતા. જેમાં ભગવાન શિવજીના વેશધારી દ્વારા પણ રાસ લેવાયો હતો. સમગ્ર જલાનીજાર વિસ્તારના લોકો તથા અન્ય મહિલાઓ સહિતના શ્રોતાગણ પરોઢિયા સુધી ઈશ્વર વિવાહમાં જોડાયા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.