જામનગરમાં 333 વર્ષથી માત્ર નોબતના તાલે યોજાય છે ગરબી અને ઈશ્વર વિવાહ, શું છે તેની અન્ય વિશેષતાઓ?


  • Published By :
  • Published Date : 2023-10-22 19:23:03

જામનગર શહેરમાં 333 વર્ષ જૂની પ્રાચીન ગરબી એટલે જલાની જારની ગરબી આજ દિવસ સુધી આ ગરબીને આધુનિકતાનો સ્પર્શ થયો નથી. લાઉડ સ્પીકર નહીં અને સંગીત વાજીંત્રો પણ નહી માત્ર નોબતના તાલે પુરૂષો દ્વારા રમાતી ગરબીમાં પરંપરાગત લાલ-પીળા-કેશરી અબોટીયા પહેરી રમાતી ગરબીનું એક વિશેષ મહાત્મય છે અને તેમાંય નવરાત્રીના સાતમાં નોરતાએ યોજાતા ઈશ્વરવિવાહ નિહાળવા એ એક લ્હાવા સમાન છે. ગરબીમાં છંદ અને ઇશ્વર વિવાહ ઉપર જર્મનીની એક યુનિવર્સીટી રિસર્ચ કર્યુ છે ત્યારે શનિવારના આ ગરબીમાં ઇશ્વર વિવાહનું આયેાજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતાં.


નાતજાતનો ભેદભાવ વિના સૌ ગરબી રમે છે


જામનગરની પ્રાચીન ગરબી જલાની જારમાં ગરબીમાં મંડળનું કોઈ નામ નથી, અહી ગરબી મંડળના કોઈ સંચાલક નથી, કોઈ ફંડફાળો નથી, તો વળી અહીં કોઈ પ્રકારનો નાતજાતનો ભેદભાવ પણ નથી અને મંડપમાં ક્યાય પણ લાઉડસ્પીકર કે આધુનિક વાજીંત્રો પણ નથી. ગરબીમાં માતાજીના મઢ ઉપર જામ રાજવી વિભા એકના શાસનકાળ સમયનો સોનારૂપાનો ગરબો પધરાવવામાં આવે છે અને ઇશ્વર વિવાહ શરૂ થાય એટલે એકપણ ક્ષણના વિરામ વગર સાડા ત્રણ કલાક સુધી સતત ગાવામાં અને રમવામાં આવે છે અને ગરબીમાં ચાંદી જડીત મઢ તથા ચાંદી જડીત માં નવદુર્ગાના પુતળા સદીઓ પુરાણા છે. શનિવારના ઇશ્વર વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારના લોકો સહિત મોટી સંખ્યામાં શહેરીજનોને લાભ લીધો હતો.


4 કલાક સુધી સતત ઈશ્વર વિવાહનું ગાન અને રાસ


આ ગરબીમાં ઈશ્વર વિવાહનું આગવું મહત્ત્વ છે. રાજાશાહીના વખત ચાલી રહેલી જલાનીજારની ગરબીમાં આસો સુદ સાતમને મંગળવારના રાત્રે 12:30 કલાકે ઈશ્વરવિવાહ ઉત્સવનો પ્રારંભ થયો હતો. એક પણ ક્ષણના વિરામ વગર સાડા ત્રણ કલાક સુધી ઈશ્વર વિવાહના ગાન સાથે ખેલૈયાઓએ રાસ લીધા હતા. શ્રોતાઓને અર્થ સરળતાથી સમજવા મળે તે માટે ઈશ્વરવિવાહની દરેક પંક્તિ ચાર વખત ગાવામાં આવી હતી.પિતાંબરી, અબોટિયું વગેરેનો પહેરવેશ પહેરીને તેમજ કપાળે ચંદનનું તિલક કરીને ઈશ્વર વિવાહના છંદના ગાયન સાથે સાડા ત્રણ કલાક સુધી ખેલૈયાઓ અવિરત ગરબે ઘૂમ્યા હતા. જેમાં ભગવાન શિવજીના વેશધારી દ્વારા પણ રાસ લેવાયો હતો. સમગ્ર જલાનીજાર વિસ્તારના લોકો તથા અન્ય મહિલાઓ સહિતના શ્રોતાગણ પરોઢિયા સુધી ઈશ્વર વિવાહમાં જોડાયા હતા.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.