ગેસનો બાટલો હવે સસ્તો થશે! જાણો કેબિનેટ બેઠકમાં આ અંગે શું લેવાયો નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-10-04 16:13:40

મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. જીવન જરૂરી ચીજ વસ્તુ સતત મોંઘી થઈ રહી છે. ત્યારે મોદી કેબિનેટે આજે ફરી એક વખત મોટો નિર્ણય લીધો છે.  મોદી સરકારે આજે મહત્વનમાં નિર્ણય લેતા LPG સિલિન્ડરનામાં ભાવમાં લોકોને મોટી રાહત આપી છે. આજે મોદી સરકારની કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત પેહલા કરાઈ હતી જ્યારે હવે તે વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવી છે. ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થિઓને ગેસ સિલેન્ડર 600 રૂપિયામાં મળશે. થોડા સમય પહેલા મહિલાઓને રક્ષાબંધન તેમજ ઓણમની ભેટ આપવામાં આવી હતી. તે વખતે 200 રૂપિયા ઘટાડવાની ઘોષણા કરી હતી ત્યારે આજે ઉજ્જવલા લાભાર્થીઓને મળતી સબસિડીમાં વધારો કરાયો છે. 

600 રુપિયામાં મળશે ગેસ સિલિન્ડર!

આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તેમજ આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ચૂંટણીમાં એક મોટો મુદ્દો છે મોંઘવારીનો.  ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખી મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આજે કેબિનેટ બેઠક મળી હતી જેમાં મહત્વનો પૂર્ણ નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત પેહલા કરાઈ હતી જ્યારે હવે તે વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવી છે. ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થિઓને ગેસ સિલેન્ડર 600 રૂપિયામાં મળશે.  



ઉજ્જવળા યોજના હેઠળ 300 રુપિયાની આપવામાં આવશે સબસિડી  

કેબિનેટ મિટીંગ બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ નિર્ણય અંગે જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. અમે રક્ષાબંધન અને ઓણમના અવસર પર એલપીજી સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ કિંમત 1100 રૂપિયાથી ઘટીને 900 રૂપિયા થઈ ગઈ છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીને 700 રૂપિયામાં ગેસ મળવા લાગ્યો. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની બહેનોને હવે 300 રૂપિયાની સબસિડી મળશે. એટલે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. 


ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.