ગેસનો બાટલો હવે સસ્તો થશે! જાણો કેબિનેટ બેઠકમાં આ અંગે શું લેવાયો નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-10-04 16:13:40

મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. જીવન જરૂરી ચીજ વસ્તુ સતત મોંઘી થઈ રહી છે. ત્યારે મોદી કેબિનેટે આજે ફરી એક વખત મોટો નિર્ણય લીધો છે.  મોદી સરકારે આજે મહત્વનમાં નિર્ણય લેતા LPG સિલિન્ડરનામાં ભાવમાં લોકોને મોટી રાહત આપી છે. આજે મોદી સરકારની કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત પેહલા કરાઈ હતી જ્યારે હવે તે વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવી છે. ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થિઓને ગેસ સિલેન્ડર 600 રૂપિયામાં મળશે. થોડા સમય પહેલા મહિલાઓને રક્ષાબંધન તેમજ ઓણમની ભેટ આપવામાં આવી હતી. તે વખતે 200 રૂપિયા ઘટાડવાની ઘોષણા કરી હતી ત્યારે આજે ઉજ્જવલા લાભાર્થીઓને મળતી સબસિડીમાં વધારો કરાયો છે. 

600 રુપિયામાં મળશે ગેસ સિલિન્ડર!

આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તેમજ આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ચૂંટણીમાં એક મોટો મુદ્દો છે મોંઘવારીનો.  ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખી મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આજે કેબિનેટ બેઠક મળી હતી જેમાં મહત્વનો પૂર્ણ નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત પેહલા કરાઈ હતી જ્યારે હવે તે વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવી છે. ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થિઓને ગેસ સિલેન્ડર 600 રૂપિયામાં મળશે.  



ઉજ્જવળા યોજના હેઠળ 300 રુપિયાની આપવામાં આવશે સબસિડી  

કેબિનેટ મિટીંગ બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ નિર્ણય અંગે જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. અમે રક્ષાબંધન અને ઓણમના અવસર પર એલપીજી સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ કિંમત 1100 રૂપિયાથી ઘટીને 900 રૂપિયા થઈ ગઈ છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીને 700 રૂપિયામાં ગેસ મળવા લાગ્યો. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની બહેનોને હવે 300 રૂપિયાની સબસિડી મળશે. એટલે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. 


ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે