ગેસનો બાટલો હવે સસ્તો થશે! જાણો કેબિનેટ બેઠકમાં આ અંગે શું લેવાયો નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-10-04 16:13:40

મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. જીવન જરૂરી ચીજ વસ્તુ સતત મોંઘી થઈ રહી છે. ત્યારે મોદી કેબિનેટે આજે ફરી એક વખત મોટો નિર્ણય લીધો છે.  મોદી સરકારે આજે મહત્વનમાં નિર્ણય લેતા LPG સિલિન્ડરનામાં ભાવમાં લોકોને મોટી રાહત આપી છે. આજે મોદી સરકારની કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત પેહલા કરાઈ હતી જ્યારે હવે તે વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવી છે. ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થિઓને ગેસ સિલેન્ડર 600 રૂપિયામાં મળશે. થોડા સમય પહેલા મહિલાઓને રક્ષાબંધન તેમજ ઓણમની ભેટ આપવામાં આવી હતી. તે વખતે 200 રૂપિયા ઘટાડવાની ઘોષણા કરી હતી ત્યારે આજે ઉજ્જવલા લાભાર્થીઓને મળતી સબસિડીમાં વધારો કરાયો છે. 

600 રુપિયામાં મળશે ગેસ સિલિન્ડર!

આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તેમજ આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ચૂંટણીમાં એક મોટો મુદ્દો છે મોંઘવારીનો.  ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખી મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આજે કેબિનેટ બેઠક મળી હતી જેમાં મહત્વનો પૂર્ણ નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત પેહલા કરાઈ હતી જ્યારે હવે તે વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવી છે. ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થિઓને ગેસ સિલેન્ડર 600 રૂપિયામાં મળશે.  



ઉજ્જવળા યોજના હેઠળ 300 રુપિયાની આપવામાં આવશે સબસિડી  

કેબિનેટ મિટીંગ બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ નિર્ણય અંગે જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. અમે રક્ષાબંધન અને ઓણમના અવસર પર એલપીજી સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ કિંમત 1100 રૂપિયાથી ઘટીને 900 રૂપિયા થઈ ગઈ છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીને 700 રૂપિયામાં ગેસ મળવા લાગ્યો. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની બહેનોને હવે 300 રૂપિયાની સબસિડી મળશે. એટલે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. 


રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .