5 રાજ્યોમાં Election પૂર્ણ થતાં વધ્યા Gas Cylinderના ભાવ! જાણો કેટલાનો ભાવ વધારો ઝિંકાયો?


  • Published By :
  • Published Date : 2023-12-01 10:57:30

ચૂંટણી નજીક આવતા જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાતો હોય છે. ચૂંટણી સમયે કરવામાં આવતા ભાવ ઘટાડાને સામાન્ય રીતે ઈલેક્શન ઈમ્પેક્ટ કહેવાય છે. ચૂંટણીને લઈ જ્યારે લોકો ચર્ચા કરે છે ત્યારે ગેસ સિલિન્ડરની વાતો કરતા હોય છે. ચર્ચામાં લોકો એવું પણ કહેતા સંભળાય છે કે જોજો ઈલેક્શન પૂર્ણ થશેને તો પછી ફરીથી ભાવ વધારો કરી દેવામાં આવશે. આ વાત આજે પૂરવાર થઈ છે. પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થતાં જ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઝિંકાયો છે. 21 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યા છે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના. 

LPG Price: LPG Gas Cylinder Prices Released Just Before Budget 2023, Know  What Is The Price | LPG Price: બજેટ 2023 પહેલા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો  થઈ જાહેર, જાણો કેટલો છે ભાવ

ચૂંટણી આવતા ભાવમાં ઘટાડો કરાય છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતા...  

પાંચ રાજ્યોમાં ગઈકાલે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. તેલંગાણા, મિઝોરમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. માત્ર પરિણામની રાહ જોવામાં આવી રહી છે. ચૂંટણી નજીક આવતા જ ગેસ સિલિન્ડરમાં ભાવ ઘટાડો કરવામાં આવતો હોય છે. મતદાતાઓને રિઝવવા માટે ગેસ સિલિન્ડરના ભાવ ઓછા કરવામાં આવતા હોય છે. ગેસ સિલિન્ડર ઓછા ભાવમાં આપવાના વાયદા કરવામાં આવે છે પરંતુ જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ જાય છે ત્યારે ફરીથી સિલિન્ડરના ભાવમાં વધારો થઈ જાય છે. મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે પરિણામની રાહ જોવામાં આવી રહી છે. 

LPG Price Hike: મોંઘવારીની વધુ એક થપાટ, રાંધણ ગેસ સિલિન્ડરના ફરી વધ્યા ભાવ,  જાણો લેટેસ્ટ કિંમત


ક્યાં કેટલા પૈસા ચૂકવવા પડશે? 

આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં 21 રૂપિયાનો વધારો થયો છે. આ વધારો 19 કિલોના કોર્મશિયલ ગેસ સિલિન્ડરમાં  કરાયો છે. રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1796.50 રૂપિયા આજથી ચૂકવવા પડશે. ગઈકાલ સુધી એલપીજી ગેસની કિંમત પ્રતિ સિલિન્ડર 1775.50 રૂપિયા હતી. એક જ દિવસમાં 21 રૂપિયાનો વધારો કરાયો છે. કોલકાતામાં 1908, મુંબઈમાં રૂ. 1749.00 તથા ચેન્નઈમાં રૂ. 1968.50 થઈ ચૂકી છે. મહત્વની વાત એ છે કે ઘરેલું એલપીજીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જે ભાવ ગયા મહિને ગેસ સિલિન્ડર માટે ચૂકવવા પડતા હતા તે જ કિંમત યથાવત રાખવામાં આવી છે. ન તો કોઈ રાહત મળી છે ન તો ભાવમાં વધારો કરાયો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.