5 રાજ્યોમાં Election પૂર્ણ થતાં વધ્યા Gas Cylinderના ભાવ! જાણો કેટલાનો ભાવ વધારો ઝિંકાયો?


  • Published By :
  • Published Date : 2023-12-01 10:57:30

ચૂંટણી નજીક આવતા જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાતો હોય છે. ચૂંટણી સમયે કરવામાં આવતા ભાવ ઘટાડાને સામાન્ય રીતે ઈલેક્શન ઈમ્પેક્ટ કહેવાય છે. ચૂંટણીને લઈ જ્યારે લોકો ચર્ચા કરે છે ત્યારે ગેસ સિલિન્ડરની વાતો કરતા હોય છે. ચર્ચામાં લોકો એવું પણ કહેતા સંભળાય છે કે જોજો ઈલેક્શન પૂર્ણ થશેને તો પછી ફરીથી ભાવ વધારો કરી દેવામાં આવશે. આ વાત આજે પૂરવાર થઈ છે. પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થતાં જ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઝિંકાયો છે. 21 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યા છે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના. 

LPG Price: LPG Gas Cylinder Prices Released Just Before Budget 2023, Know  What Is The Price | LPG Price: બજેટ 2023 પહેલા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો  થઈ જાહેર, જાણો કેટલો છે ભાવ

ચૂંટણી આવતા ભાવમાં ઘટાડો કરાય છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતા...  

પાંચ રાજ્યોમાં ગઈકાલે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. તેલંગાણા, મિઝોરમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. માત્ર પરિણામની રાહ જોવામાં આવી રહી છે. ચૂંટણી નજીક આવતા જ ગેસ સિલિન્ડરમાં ભાવ ઘટાડો કરવામાં આવતો હોય છે. મતદાતાઓને રિઝવવા માટે ગેસ સિલિન્ડરના ભાવ ઓછા કરવામાં આવતા હોય છે. ગેસ સિલિન્ડર ઓછા ભાવમાં આપવાના વાયદા કરવામાં આવે છે પરંતુ જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ જાય છે ત્યારે ફરીથી સિલિન્ડરના ભાવમાં વધારો થઈ જાય છે. મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે પરિણામની રાહ જોવામાં આવી રહી છે. 

LPG Price Hike: મોંઘવારીની વધુ એક થપાટ, રાંધણ ગેસ સિલિન્ડરના ફરી વધ્યા ભાવ,  જાણો લેટેસ્ટ કિંમત


ક્યાં કેટલા પૈસા ચૂકવવા પડશે? 

આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં 21 રૂપિયાનો વધારો થયો છે. આ વધારો 19 કિલોના કોર્મશિયલ ગેસ સિલિન્ડરમાં  કરાયો છે. રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1796.50 રૂપિયા આજથી ચૂકવવા પડશે. ગઈકાલ સુધી એલપીજી ગેસની કિંમત પ્રતિ સિલિન્ડર 1775.50 રૂપિયા હતી. એક જ દિવસમાં 21 રૂપિયાનો વધારો કરાયો છે. કોલકાતામાં 1908, મુંબઈમાં રૂ. 1749.00 તથા ચેન્નઈમાં રૂ. 1968.50 થઈ ચૂકી છે. મહત્વની વાત એ છે કે ઘરેલું એલપીજીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જે ભાવ ગયા મહિને ગેસ સિલિન્ડર માટે ચૂકવવા પડતા હતા તે જ કિંમત યથાવત રાખવામાં આવી છે. ન તો કોઈ રાહત મળી છે ન તો ભાવમાં વધારો કરાયો છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.