5 રાજ્યોમાં Election પૂર્ણ થતાં વધ્યા Gas Cylinderના ભાવ! જાણો કેટલાનો ભાવ વધારો ઝિંકાયો?


  • Published By :
  • Published Date : 2023-12-01 10:57:30

ચૂંટણી નજીક આવતા જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાતો હોય છે. ચૂંટણી સમયે કરવામાં આવતા ભાવ ઘટાડાને સામાન્ય રીતે ઈલેક્શન ઈમ્પેક્ટ કહેવાય છે. ચૂંટણીને લઈ જ્યારે લોકો ચર્ચા કરે છે ત્યારે ગેસ સિલિન્ડરની વાતો કરતા હોય છે. ચર્ચામાં લોકો એવું પણ કહેતા સંભળાય છે કે જોજો ઈલેક્શન પૂર્ણ થશેને તો પછી ફરીથી ભાવ વધારો કરી દેવામાં આવશે. આ વાત આજે પૂરવાર થઈ છે. પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થતાં જ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઝિંકાયો છે. 21 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યા છે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના. 

LPG Price: LPG Gas Cylinder Prices Released Just Before Budget 2023, Know  What Is The Price | LPG Price: બજેટ 2023 પહેલા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો  થઈ જાહેર, જાણો કેટલો છે ભાવ

ચૂંટણી આવતા ભાવમાં ઘટાડો કરાય છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતા...  

પાંચ રાજ્યોમાં ગઈકાલે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. તેલંગાણા, મિઝોરમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. માત્ર પરિણામની રાહ જોવામાં આવી રહી છે. ચૂંટણી નજીક આવતા જ ગેસ સિલિન્ડરમાં ભાવ ઘટાડો કરવામાં આવતો હોય છે. મતદાતાઓને રિઝવવા માટે ગેસ સિલિન્ડરના ભાવ ઓછા કરવામાં આવતા હોય છે. ગેસ સિલિન્ડર ઓછા ભાવમાં આપવાના વાયદા કરવામાં આવે છે પરંતુ જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ જાય છે ત્યારે ફરીથી સિલિન્ડરના ભાવમાં વધારો થઈ જાય છે. મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે પરિણામની રાહ જોવામાં આવી રહી છે. 

LPG Price Hike: મોંઘવારીની વધુ એક થપાટ, રાંધણ ગેસ સિલિન્ડરના ફરી વધ્યા ભાવ,  જાણો લેટેસ્ટ કિંમત


ક્યાં કેટલા પૈસા ચૂકવવા પડશે? 

આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં 21 રૂપિયાનો વધારો થયો છે. આ વધારો 19 કિલોના કોર્મશિયલ ગેસ સિલિન્ડરમાં  કરાયો છે. રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1796.50 રૂપિયા આજથી ચૂકવવા પડશે. ગઈકાલ સુધી એલપીજી ગેસની કિંમત પ્રતિ સિલિન્ડર 1775.50 રૂપિયા હતી. એક જ દિવસમાં 21 રૂપિયાનો વધારો કરાયો છે. કોલકાતામાં 1908, મુંબઈમાં રૂ. 1749.00 તથા ચેન્નઈમાં રૂ. 1968.50 થઈ ચૂકી છે. મહત્વની વાત એ છે કે ઘરેલું એલપીજીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જે ભાવ ગયા મહિને ગેસ સિલિન્ડર માટે ચૂકવવા પડતા હતા તે જ કિંમત યથાવત રાખવામાં આવી છે. ન તો કોઈ રાહત મળી છે ન તો ભાવમાં વધારો કરાયો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.