વિશ્વના ત્રીજા ક્રમના સૌથી 'અમીર' અદાણી ગ્રૂપ પર કેટલું છે દેવુ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 17:54:44

ગૌતમ અદાણી ભારતના જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન વ્યક્તી બની ગયા છે. બ્લુમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ તે વિશ્વના ત્રીજા સૌથી અમીર બિઝનેશમેન છે. હાલ તેમની સંપત્તી137.4 અબજ ડોલર (11 લાખ કરોડ રૂપિયા) જેટલી છે. આ વર્ષ દરમિયાન જ અદાણીની સંપત્તીમાં 60.9 અબજ ડોલરની વૃધ્ધી થઈ છે.


કેટલી વધી અદાણીની સંપત્તી?


બ્લૂમબર્ગના જણાવ્યા પ્રમાણે 30 માર્ચ 2014 ના દિવસે અદાણીની પાસે માત્ર 5.10 અબજ ડોલરની સંપત્તી હતી. 16 જાન્યુઆરી 2020ના દિવસે તે વધીને 11 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી. ત્યાર બાદથી અદાણીની સંપત્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. 29 એપ્રીલ 2022 આવતા સુધી તો તેમની સંપત્તી વધીને 122 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી, અદાણીની સંપત્તી કોરોના કાળમાં પણ કુદકેને ભૂસકે વધી હતી. 


આ સમગ્ર વર્ષ દરમિયાન અદાણીની કંપનીઓના પર્ફોર્મન્સની વાત કરીએ તો અદાણી પાવર 292 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ, 294 ટકા અદાણી પોર્ટસ 108 ટકા, અદાણી ટોટલ ગેસ 109 ટકા, અદાણી ટ્રાન્સમિશન 127 ટકા,અદાણી ગ્રીન 80 ટકા અને અદાણી વિલ્મરના શેરમાં 158 ટકા વધી ચુક્યા છે. 



કઈ રીતે થાય છે સંપત્તીની ગણતરી


ફોર્બ્સ કે બ્લુમબર્ગની યાદીમાં ચમકતા ધનકુબેરોની યાદી જોઈએ ત્યારે  આપણને સ્વાભાવિક રીતે એ સવાલ થાય છે કે  તેમની સંપત્તીની ગણતરી  કઈ રીતે થતી હશે.? રીચેસ્ટ લિસ્ટમાં આવતા બિઝનેશમેનની શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓના  ભાવ અને તેમનું તે કંપનીઓમાં હોલ્ડિંગના ગુણાકાર કરીને સંપત્તીનું કુલ મુલ્યાંકન નક્કી કરવામાં આવે છે. કંપનીના શેર અને તેમાં હિસ્સો જેટલો વધુ તે પ્રમાણે તે બિઝનેસમેનની સંપત્તી વધતી રહે છે. ઉદાહરણ તરીકે એક સમયે વિપ્રો કંપનીના ચેરમેન અઝીમ પ્રેમજી દેશના સૌથી ધનવાન બિઝનેશમેન હતા, અઝીમ પ્રેમજીની કંપનીના શેર ઘટતા આજે અમીર બિઝનેશમેનની યાદીમાંથી નિકળી ગયા છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે પ્રેમજીએ તેમની સંપત્તીનું દાન પણ કર્યું હોવાથી તેમની કુલ સંપત્તી ઘણી ઘટી ગઈ છે. ગૌતમ અદાણીનું તેમની કંપનીઓમાં માતબર હોલ્ડિંગ હોવાથી તેમની કંપનીઓના શેર વધવાની સાથે-સાથે તેમની સંપત્તી પણ દિનપ્રતિદિન વધી રહી છે.


અદાણી ગ્રૂપ પર 2.3 લાખ કરોડનું દેવું


અદાણીની વધતી સંપત્તી અંગે જગવિખ્યાત રેટિંગ એજન્સી ફિચ (Fitch) રેટિંગ્સે તાજેતરમાં ચેતવણી ઉચ્ચારી હતી. ફિચ રેટિંગ્સની ક્રેડિટ સાઈટ્સએ અદાણી ગ્રૂપ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર વધી રહેલા દેવા અને કેશ ફ્લો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ફિચના રિપોર્ટમાં અદાણીની કંપનીઓની આવક, દેવું અને તેના શેરના ભાવમાં અસમતોલન પર આંગણી ચિંધવામાં આવી છે.  


અદાણી ગ્રૂપની શેર બજારમાં છ કંપનીઓ લિસ્ટેડ છે અને આ કંપનીઓ પર વર્ષ 2021-22માં 2.3 લાખ કરોડનું દેવું હતું. આ દેવામાં પણ કેટલીક લોન તો ડોલરમાં ચૂકવવાની છે.  આ બાબત સૌથી વધુ ચિંતાજનક છે. અદાણીની કંપનીઓના નેટ કેશ ફ્લો એટલે કે કંપનીઓની કમાણી કરતા તેના પર લોનની ચૂકવણીનું ભારણ વધુ છે.


ફિચના રિપોર્ટમાં અદાણી ગ્રૂપના બેંકોની સાથે-સાથે પ્રધાનમંત્રી મોદી સાથેના મજબુત સંબંધોનો પણ ઉલ્લેખ કરાયો હતો. અદાણીના આ સંબંધ જ તેમના માટે સૌથી મોટી રાહતકારક બાબત છે. 



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.