વિશ્વના ત્રીજા ક્રમના સૌથી 'અમીર' અદાણી ગ્રૂપ પર કેટલું છે દેવુ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 17:54:44

ગૌતમ અદાણી ભારતના જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન વ્યક્તી બની ગયા છે. બ્લુમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ તે વિશ્વના ત્રીજા સૌથી અમીર બિઝનેશમેન છે. હાલ તેમની સંપત્તી137.4 અબજ ડોલર (11 લાખ કરોડ રૂપિયા) જેટલી છે. આ વર્ષ દરમિયાન જ અદાણીની સંપત્તીમાં 60.9 અબજ ડોલરની વૃધ્ધી થઈ છે.


કેટલી વધી અદાણીની સંપત્તી?


બ્લૂમબર્ગના જણાવ્યા પ્રમાણે 30 માર્ચ 2014 ના દિવસે અદાણીની પાસે માત્ર 5.10 અબજ ડોલરની સંપત્તી હતી. 16 જાન્યુઆરી 2020ના દિવસે તે વધીને 11 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી. ત્યાર બાદથી અદાણીની સંપત્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. 29 એપ્રીલ 2022 આવતા સુધી તો તેમની સંપત્તી વધીને 122 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી, અદાણીની સંપત્તી કોરોના કાળમાં પણ કુદકેને ભૂસકે વધી હતી. 


આ સમગ્ર વર્ષ દરમિયાન અદાણીની કંપનીઓના પર્ફોર્મન્સની વાત કરીએ તો અદાણી પાવર 292 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ, 294 ટકા અદાણી પોર્ટસ 108 ટકા, અદાણી ટોટલ ગેસ 109 ટકા, અદાણી ટ્રાન્સમિશન 127 ટકા,અદાણી ગ્રીન 80 ટકા અને અદાણી વિલ્મરના શેરમાં 158 ટકા વધી ચુક્યા છે. 



કઈ રીતે થાય છે સંપત્તીની ગણતરી


ફોર્બ્સ કે બ્લુમબર્ગની યાદીમાં ચમકતા ધનકુબેરોની યાદી જોઈએ ત્યારે  આપણને સ્વાભાવિક રીતે એ સવાલ થાય છે કે  તેમની સંપત્તીની ગણતરી  કઈ રીતે થતી હશે.? રીચેસ્ટ લિસ્ટમાં આવતા બિઝનેશમેનની શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓના  ભાવ અને તેમનું તે કંપનીઓમાં હોલ્ડિંગના ગુણાકાર કરીને સંપત્તીનું કુલ મુલ્યાંકન નક્કી કરવામાં આવે છે. કંપનીના શેર અને તેમાં હિસ્સો જેટલો વધુ તે પ્રમાણે તે બિઝનેસમેનની સંપત્તી વધતી રહે છે. ઉદાહરણ તરીકે એક સમયે વિપ્રો કંપનીના ચેરમેન અઝીમ પ્રેમજી દેશના સૌથી ધનવાન બિઝનેશમેન હતા, અઝીમ પ્રેમજીની કંપનીના શેર ઘટતા આજે અમીર બિઝનેશમેનની યાદીમાંથી નિકળી ગયા છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે પ્રેમજીએ તેમની સંપત્તીનું દાન પણ કર્યું હોવાથી તેમની કુલ સંપત્તી ઘણી ઘટી ગઈ છે. ગૌતમ અદાણીનું તેમની કંપનીઓમાં માતબર હોલ્ડિંગ હોવાથી તેમની કંપનીઓના શેર વધવાની સાથે-સાથે તેમની સંપત્તી પણ દિનપ્રતિદિન વધી રહી છે.


અદાણી ગ્રૂપ પર 2.3 લાખ કરોડનું દેવું


અદાણીની વધતી સંપત્તી અંગે જગવિખ્યાત રેટિંગ એજન્સી ફિચ (Fitch) રેટિંગ્સે તાજેતરમાં ચેતવણી ઉચ્ચારી હતી. ફિચ રેટિંગ્સની ક્રેડિટ સાઈટ્સએ અદાણી ગ્રૂપ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર વધી રહેલા દેવા અને કેશ ફ્લો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ફિચના રિપોર્ટમાં અદાણીની કંપનીઓની આવક, દેવું અને તેના શેરના ભાવમાં અસમતોલન પર આંગણી ચિંધવામાં આવી છે.  


અદાણી ગ્રૂપની શેર બજારમાં છ કંપનીઓ લિસ્ટેડ છે અને આ કંપનીઓ પર વર્ષ 2021-22માં 2.3 લાખ કરોડનું દેવું હતું. આ દેવામાં પણ કેટલીક લોન તો ડોલરમાં ચૂકવવાની છે.  આ બાબત સૌથી વધુ ચિંતાજનક છે. અદાણીની કંપનીઓના નેટ કેશ ફ્લો એટલે કે કંપનીઓની કમાણી કરતા તેના પર લોનની ચૂકવણીનું ભારણ વધુ છે.


ફિચના રિપોર્ટમાં અદાણી ગ્રૂપના બેંકોની સાથે-સાથે પ્રધાનમંત્રી મોદી સાથેના મજબુત સંબંધોનો પણ ઉલ્લેખ કરાયો હતો. અદાણીના આ સંબંધ જ તેમના માટે સૌથી મોટી રાહતકારક બાબત છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.