અદાણીનું સામ્રાજ્ય હચમચાવી દેનારા હિંડનબર્ગે અબજોની કમાણી કરી, આ સ્ટ્રેટેજી સફળ રહી


  • Published By :
  • Published Date : 2023-02-08 16:46:57

હિંડનબર્ગ રિસર્ચની રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અદાણી ગ્રુપના શેરોમાં 46 ટકાથી વધુનો ઘટાડો આવ્યો હતો. ખુદ ગૌતમ અદાણી પણ દુનિયાના અમીરોની યાદીમાંથી ટોપ 20માંથી પણ બહાર આવી ગયા છે. પરંતું શું તમને ખબર છે કે અદાણીના સામ્રાજ્યને હલાવી દેનારા હિંડનબર્ગે શેરોમાં ઘટાડા છતાં અબજો રૂપિયાની કમાણી કરી લીધી છે. અદાણીને ભલે નુકસાન થયું પણ હિંડનબર્ગે આ ઘટાડા બાદ જબરદસ્ત કમાણી કરી છે. આ વાત ખુદ હિંડનબર્ગ રિસર્ચે દ્વારા કહેવામાં આવી છે.


હિંડનબર્ગે કઈ રીતે કરી અબજોની કમાણી?


અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણીગ્રુપ પર આરોપ લગાવ્યો હતો કે તેણે એકાઉન્ટમાં ગડબડ કરી છે વળી અદાણીની કંપનીઓના શેર ઓવર પ્રાઈઝ પણ છે. આ ખુલાસા બાદ અદાણીના શેરોમાં જોરદાર વેચવાલી શરૂ થઈ ગઈ હતી. અદાણીના શેર ઘડાધડ ધરાશાઈ થવા લાગ્યા, જો કે આ દરમિયાન હિંડનબર્ગે અબજોની કમાણી કરી લીધી. હિંડનબર્ગે અદાણીના તુટતા શેર પર શોર્ટે સેલિંગની રણનિતી અપનાવીને અબજાની કમાણી કરી લીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે હિંડનબર્ગ એક એક્ટિવિસ્ટ શોર્ટ સેલર છે. કંપનીએ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે તે એક શોર્ટ સેલર કંપની છે અને શોર્ટ સેલિંગ કરીને જ હિંડનબર્ગ કમાણી કરે છે. 


શોર્ટ સેલિંગ શું છે?   


શેર બજારમાં શોર્ટ સેલિંગ એક ટ્રેડિંગ સ્ટ્રેટેજી કે રોકાણ રણનિતી છે. તેમાં કોઈ વ્યક્તિ કોઈ ખાસ કિંમત પર સ્ટોક કે સિક્યોરિટીઝ ખરીદે છે અને પછી કિંમત વધે ત્યારે તેને વેચી દે છે, જેનાથી ફાયદો થાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ કોઈ શેરને 100 રૂપિયામાં વેચી દે છે અને પછી તે જ શેરને 85 રૂપિયામાં ફરી ખરીદી લે છે તો તેને પ્રત્યેક શેર પર 15 રૂપિયાનો ફાયદો થયો તેમ કહેવાય. સરળ ભાષામાં કહીએ તો શોર્ટ સેલિંગ સ્ટ્રેટેજીની મદદથી કોઈ ઘટતા શેર પર પૈસા કમાવવામાં આવે છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .