અદાણીનું સામ્રાજ્ય હચમચાવી દેનારા હિંડનબર્ગે અબજોની કમાણી કરી, આ સ્ટ્રેટેજી સફળ રહી


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-02-08 16:46:57

હિંડનબર્ગ રિસર્ચની રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અદાણી ગ્રુપના શેરોમાં 46 ટકાથી વધુનો ઘટાડો આવ્યો હતો. ખુદ ગૌતમ અદાણી પણ દુનિયાના અમીરોની યાદીમાંથી ટોપ 20માંથી પણ બહાર આવી ગયા છે. પરંતું શું તમને ખબર છે કે અદાણીના સામ્રાજ્યને હલાવી દેનારા હિંડનબર્ગે શેરોમાં ઘટાડા છતાં અબજો રૂપિયાની કમાણી કરી લીધી છે. અદાણીને ભલે નુકસાન થયું પણ હિંડનબર્ગે આ ઘટાડા બાદ જબરદસ્ત કમાણી કરી છે. આ વાત ખુદ હિંડનબર્ગ રિસર્ચે દ્વારા કહેવામાં આવી છે.


હિંડનબર્ગે કઈ રીતે કરી અબજોની કમાણી?


અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણીગ્રુપ પર આરોપ લગાવ્યો હતો કે તેણે એકાઉન્ટમાં ગડબડ કરી છે વળી અદાણીની કંપનીઓના શેર ઓવર પ્રાઈઝ પણ છે. આ ખુલાસા બાદ અદાણીના શેરોમાં જોરદાર વેચવાલી શરૂ થઈ ગઈ હતી. અદાણીના શેર ઘડાધડ ધરાશાઈ થવા લાગ્યા, જો કે આ દરમિયાન હિંડનબર્ગે અબજોની કમાણી કરી લીધી. હિંડનબર્ગે અદાણીના તુટતા શેર પર શોર્ટે સેલિંગની રણનિતી અપનાવીને અબજાની કમાણી કરી લીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે હિંડનબર્ગ એક એક્ટિવિસ્ટ શોર્ટ સેલર છે. કંપનીએ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે તે એક શોર્ટ સેલર કંપની છે અને શોર્ટ સેલિંગ કરીને જ હિંડનબર્ગ કમાણી કરે છે. 


શોર્ટ સેલિંગ શું છે?   


શેર બજારમાં શોર્ટ સેલિંગ એક ટ્રેડિંગ સ્ટ્રેટેજી કે રોકાણ રણનિતી છે. તેમાં કોઈ વ્યક્તિ કોઈ ખાસ કિંમત પર સ્ટોક કે સિક્યોરિટીઝ ખરીદે છે અને પછી કિંમત વધે ત્યારે તેને વેચી દે છે, જેનાથી ફાયદો થાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ કોઈ શેરને 100 રૂપિયામાં વેચી દે છે અને પછી તે જ શેરને 85 રૂપિયામાં ફરી ખરીદી લે છે તો તેને પ્રત્યેક શેર પર 15 રૂપિયાનો ફાયદો થયો તેમ કહેવાય. સરળ ભાષામાં કહીએ તો શોર્ટ સેલિંગ સ્ટ્રેટેજીની મદદથી કોઈ ઘટતા શેર પર પૈસા કમાવવામાં આવે છે.



ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.