ગૌતમ સિંઘાનિયાની પત્નીનો ગંભીર આરોપ, " મારો પતિ મને અને મારી પુત્રી સાથે મારપીટ કરતો હતો"


  • Published By :
  • Published Date : 2023-11-21 20:38:50

અબજોપતિ બિઝનેસમેન અને રેમન્ડ ગ્રુપના બોસ ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા વચ્ચેના છૂટાછેડાના કેસમાં નવો વળાંક આવ્યો છે. નવાઝ મોદીએ ગૌતમ સિંઘાનિયા પર મારપીટ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આના એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે નવાઝે સિંઘાનિયાની લગભગ 11,000 કરોડ રૂપિયાની સંપત્તિમાં 75 ટકા હિસ્સો પોતાના અને તેમની બે પુત્રીઓ નિહારિકા-નિસા માટે માંગ્યો છે. હવે માત્ર એક દિવસ બાદ તેણે મારપીટ કરાવાનો ગંભીર આરોપો લગાવ્યો છે.


લાત અને મુક્કા મારવાનો આરોપ


મીડિયા રિપોર્ટ મુજબ નવાઝ મોદીએ રેમન્ડના માલિક ગૌતમ સિંઘાનિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે ગૌતમ સિંઘાનિયાએ તેને અને તેની પુત્રીને નિર્દયતાથી લાતો અને મુક્કા માર્યા હતા. તેનો દાવો છે કે સિંઘાનિયાએ તેને અને તેની સગીર પુત્રી નિહારિકાને લગભગ 15 મિનિટ સુધી માર માર્યો હતો.


જન્મદિવસની પાર્ટીમાં આશ્ચર્યજનક હુમલો


નવાઝ મોદીએ કહ્યું કે 9 સપ્ટેમ્બરના રોજ ગૌતમના જન્મદિવસની પાર્ટી પછી સવારના 5 વાગ્યા હતા ત્યારે હું અને મારી બંને પુત્રીઓ પણ કેટલાક મિત્રો સાથે હાજર હતા. તેણે અચાનક હુમલો કર્યો અને ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. હું માત્ર કલ્પના કરી શકતી હતી કે તે બંદૂક અથવા કોઈ હથિયાર લેવા ગયો હતો. નવાઝે કહ્યું કે તે તેની પુત્રીને બીજા રૂમમાં ખેંચીને લઈ ગઈ અને પછી તેની પીઠને સહારો આપવા માટે  ટુવાલ લેવા ચાલી ગઈ હતી.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.