ગૌતમ સિંઘાનિયાની પત્નીનો ગંભીર આરોપ, " મારો પતિ મને અને મારી પુત્રી સાથે મારપીટ કરતો હતો"


  • Published By :
  • Published Date : 2023-11-21 20:38:50

અબજોપતિ બિઝનેસમેન અને રેમન્ડ ગ્રુપના બોસ ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા વચ્ચેના છૂટાછેડાના કેસમાં નવો વળાંક આવ્યો છે. નવાઝ મોદીએ ગૌતમ સિંઘાનિયા પર મારપીટ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આના એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે નવાઝે સિંઘાનિયાની લગભગ 11,000 કરોડ રૂપિયાની સંપત્તિમાં 75 ટકા હિસ્સો પોતાના અને તેમની બે પુત્રીઓ નિહારિકા-નિસા માટે માંગ્યો છે. હવે માત્ર એક દિવસ બાદ તેણે મારપીટ કરાવાનો ગંભીર આરોપો લગાવ્યો છે.


લાત અને મુક્કા મારવાનો આરોપ


મીડિયા રિપોર્ટ મુજબ નવાઝ મોદીએ રેમન્ડના માલિક ગૌતમ સિંઘાનિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે ગૌતમ સિંઘાનિયાએ તેને અને તેની પુત્રીને નિર્દયતાથી લાતો અને મુક્કા માર્યા હતા. તેનો દાવો છે કે સિંઘાનિયાએ તેને અને તેની સગીર પુત્રી નિહારિકાને લગભગ 15 મિનિટ સુધી માર માર્યો હતો.


જન્મદિવસની પાર્ટીમાં આશ્ચર્યજનક હુમલો


નવાઝ મોદીએ કહ્યું કે 9 સપ્ટેમ્બરના રોજ ગૌતમના જન્મદિવસની પાર્ટી પછી સવારના 5 વાગ્યા હતા ત્યારે હું અને મારી બંને પુત્રીઓ પણ કેટલાક મિત્રો સાથે હાજર હતા. તેણે અચાનક હુમલો કર્યો અને ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. હું માત્ર કલ્પના કરી શકતી હતી કે તે બંદૂક અથવા કોઈ હથિયાર લેવા ગયો હતો. નવાઝે કહ્યું કે તે તેની પુત્રીને બીજા રૂમમાં ખેંચીને લઈ ગઈ અને પછી તેની પીઠને સહારો આપવા માટે  ટુવાલ લેવા ચાલી ગઈ હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે