દેશનું અર્થતંત્ર મંદીની ગર્તામાં, ત્રીજા ત્રિમાસિકમાં ગ્રોથ રેટમાં ભારે ઘટાડો, GDPમાં માત્ર 4.4%ની વૃધ્ધી


  • Published By :
  • Published Date : 2023-02-28 20:46:13

દેશના અર્થતંત્રના મોરચે ખરાબ સમાચાર આવ્યા છે. દેશનો GDP રેટ નાણાકિય વર્ષ 2022-23ના ત્રિમાસિકમાં ઘટીને 4.4 રહ્યો છે. દેશમાં મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખરાબ પ્રદર્શનના કારણે GDPમાં મોટો ઘટાડો નોંધાયો છે.


NSOએ જાહેર કર્યા GDPના આંકડા   


નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા મંગળવારે જારી કરાયેલા આંકડા પરથી આ જાણકારી મળી છે. આના કારણે દેશની અર્થવ્યવસ્થા અગાઉના નાણાકીય વર્ષ 2021-22ના સમાન ત્રિમાસિક ગાળામાં 11.2 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. જ્યારે, ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 6.3 ટકા હતો. તેના બીજા એડવાન્સ અંદાજમાં, NSOએ ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આ ઉપરાંત, NSOએ છેલ્લા નાણાકીય વર્ષ 2021-22 માટે વૃદ્ધિ દરને 8.7 ટકાથી સુધારીને 9.1 ટકા કર્યો છે.


RBIએ પણ ઘટાડ્યું અનુમાન


RBIના અનુમાન મુજબ ત્રીજા ક્વાર્ટર માટે જીડીપી દર નોંધવામાં આવ્યો છે. આરબીઆઈએ આગાહીમાં કહ્યું હતું કે 2023ના ત્રીજા ક્વાર્ટર માટે જીડીપી દર 4.4 ટકા રહેશે. જ્યારે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 4.6 ટકા જીડીપી વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. તે જ સમયે, અર્થશાસ્ત્રીઓના રોઇટર્સ પોલમાં વ્યાજ દરોમાં વધારાને કારણે ત્રીજા ક્વાર્ટરમાં ભારતના આર્થિક વિકાસમાં મંદીની આગાહી કરવામાં આવી હતી. સરકારી ડેટા પણ દર્શાવે છે કે ભારતની અર્થવ્યવસ્થા ચાલુ ક્વાર્ટરમાં વધુ ધીમી પડીને 4.4 ટકા અને 2023-24 દરમિયાન સરેરાશ 6.0 ટકા થવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2022-23માં એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ ભારતીય અર્થવ્યવસ્થામાં સાત ટકાની જીડીપી રેટનું અનુમાન લગાવ્યું છે, જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ કહ્યું છે કે વૃદ્ધિ 6.8 ટકા રહેશે.


અર્થશાસ્ત્રીઓએ મંદીની આગાહી કરી  


અત્રે ઉલ્લેખનિય છે કે અર્થશાસ્ત્રીઓના પોલમાં વ્યાજ દરોમાં વધારાને કારણે ત્રીજા ક્વાર્ટરમાં ભારતના આર્થિક વિકાસમાં મંદીની આગાહી કરવામાં આવી હતી. સરકારી ડેટા પરથી એવો પણ અંદાજ લગાવવામાં આવ્યો હતો કે વર્તમાન ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થા વધુ ધીમી પડીને 4.4 ટકા થવાનો અંદાજ છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.