દેશનું અર્થતંત્ર મંદીની ગર્તામાં, ત્રીજા ત્રિમાસિકમાં ગ્રોથ રેટમાં ભારે ઘટાડો, GDPમાં માત્ર 4.4%ની વૃધ્ધી


  • Published By :
  • Published Date : 2023-02-28 20:46:13

દેશના અર્થતંત્રના મોરચે ખરાબ સમાચાર આવ્યા છે. દેશનો GDP રેટ નાણાકિય વર્ષ 2022-23ના ત્રિમાસિકમાં ઘટીને 4.4 રહ્યો છે. દેશમાં મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખરાબ પ્રદર્શનના કારણે GDPમાં મોટો ઘટાડો નોંધાયો છે.


NSOએ જાહેર કર્યા GDPના આંકડા   


નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા મંગળવારે જારી કરાયેલા આંકડા પરથી આ જાણકારી મળી છે. આના કારણે દેશની અર્થવ્યવસ્થા અગાઉના નાણાકીય વર્ષ 2021-22ના સમાન ત્રિમાસિક ગાળામાં 11.2 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. જ્યારે, ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 6.3 ટકા હતો. તેના બીજા એડવાન્સ અંદાજમાં, NSOએ ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આ ઉપરાંત, NSOએ છેલ્લા નાણાકીય વર્ષ 2021-22 માટે વૃદ્ધિ દરને 8.7 ટકાથી સુધારીને 9.1 ટકા કર્યો છે.


RBIએ પણ ઘટાડ્યું અનુમાન


RBIના અનુમાન મુજબ ત્રીજા ક્વાર્ટર માટે જીડીપી દર નોંધવામાં આવ્યો છે. આરબીઆઈએ આગાહીમાં કહ્યું હતું કે 2023ના ત્રીજા ક્વાર્ટર માટે જીડીપી દર 4.4 ટકા રહેશે. જ્યારે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 4.6 ટકા જીડીપી વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. તે જ સમયે, અર્થશાસ્ત્રીઓના રોઇટર્સ પોલમાં વ્યાજ દરોમાં વધારાને કારણે ત્રીજા ક્વાર્ટરમાં ભારતના આર્થિક વિકાસમાં મંદીની આગાહી કરવામાં આવી હતી. સરકારી ડેટા પણ દર્શાવે છે કે ભારતની અર્થવ્યવસ્થા ચાલુ ક્વાર્ટરમાં વધુ ધીમી પડીને 4.4 ટકા અને 2023-24 દરમિયાન સરેરાશ 6.0 ટકા થવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2022-23માં એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ ભારતીય અર્થવ્યવસ્થામાં સાત ટકાની જીડીપી રેટનું અનુમાન લગાવ્યું છે, જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ કહ્યું છે કે વૃદ્ધિ 6.8 ટકા રહેશે.


અર્થશાસ્ત્રીઓએ મંદીની આગાહી કરી  


અત્રે ઉલ્લેખનિય છે કે અર્થશાસ્ત્રીઓના પોલમાં વ્યાજ દરોમાં વધારાને કારણે ત્રીજા ક્વાર્ટરમાં ભારતના આર્થિક વિકાસમાં મંદીની આગાહી કરવામાં આવી હતી. સરકારી ડેટા પરથી એવો પણ અંદાજ લગાવવામાં આવ્યો હતો કે વર્તમાન ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થા વધુ ધીમી પડીને 4.4 ટકા થવાનો અંદાજ છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.