દેશનું અર્થતંત્ર મંદીની ગર્તામાં, ત્રીજા ત્રિમાસિકમાં ગ્રોથ રેટમાં ભારે ઘટાડો, GDPમાં માત્ર 4.4%ની વૃધ્ધી


  • Published By :
  • Published Date : 2023-02-28 20:46:13

દેશના અર્થતંત્રના મોરચે ખરાબ સમાચાર આવ્યા છે. દેશનો GDP રેટ નાણાકિય વર્ષ 2022-23ના ત્રિમાસિકમાં ઘટીને 4.4 રહ્યો છે. દેશમાં મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખરાબ પ્રદર્શનના કારણે GDPમાં મોટો ઘટાડો નોંધાયો છે.


NSOએ જાહેર કર્યા GDPના આંકડા   


નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા મંગળવારે જારી કરાયેલા આંકડા પરથી આ જાણકારી મળી છે. આના કારણે દેશની અર્થવ્યવસ્થા અગાઉના નાણાકીય વર્ષ 2021-22ના સમાન ત્રિમાસિક ગાળામાં 11.2 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. જ્યારે, ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 6.3 ટકા હતો. તેના બીજા એડવાન્સ અંદાજમાં, NSOએ ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આ ઉપરાંત, NSOએ છેલ્લા નાણાકીય વર્ષ 2021-22 માટે વૃદ્ધિ દરને 8.7 ટકાથી સુધારીને 9.1 ટકા કર્યો છે.


RBIએ પણ ઘટાડ્યું અનુમાન


RBIના અનુમાન મુજબ ત્રીજા ક્વાર્ટર માટે જીડીપી દર નોંધવામાં આવ્યો છે. આરબીઆઈએ આગાહીમાં કહ્યું હતું કે 2023ના ત્રીજા ક્વાર્ટર માટે જીડીપી દર 4.4 ટકા રહેશે. જ્યારે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 4.6 ટકા જીડીપી વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. તે જ સમયે, અર્થશાસ્ત્રીઓના રોઇટર્સ પોલમાં વ્યાજ દરોમાં વધારાને કારણે ત્રીજા ક્વાર્ટરમાં ભારતના આર્થિક વિકાસમાં મંદીની આગાહી કરવામાં આવી હતી. સરકારી ડેટા પણ દર્શાવે છે કે ભારતની અર્થવ્યવસ્થા ચાલુ ક્વાર્ટરમાં વધુ ધીમી પડીને 4.4 ટકા અને 2023-24 દરમિયાન સરેરાશ 6.0 ટકા થવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2022-23માં એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ ભારતીય અર્થવ્યવસ્થામાં સાત ટકાની જીડીપી રેટનું અનુમાન લગાવ્યું છે, જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ કહ્યું છે કે વૃદ્ધિ 6.8 ટકા રહેશે.


અર્થશાસ્ત્રીઓએ મંદીની આગાહી કરી  


અત્રે ઉલ્લેખનિય છે કે અર્થશાસ્ત્રીઓના પોલમાં વ્યાજ દરોમાં વધારાને કારણે ત્રીજા ક્વાર્ટરમાં ભારતના આર્થિક વિકાસમાં મંદીની આગાહી કરવામાં આવી હતી. સરકારી ડેટા પરથી એવો પણ અંદાજ લગાવવામાં આવ્યો હતો કે વર્તમાન ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થા વધુ ધીમી પડીને 4.4 ટકા થવાનો અંદાજ છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.