ગીતિકા શર્મા સુસાઇડ કેસનો 11 વર્ષે આવ્યો ચુકાદો, મખ્ય આરોપી હરિયાણાના પૂર્વ મંત્રી ગોપાલ કાંડા મુક્ત


  • Published By :
  • Published Date : 2023-07-25 20:28:31

વર્ષ 2012માં દેશભરમાં ચકચાર મચાવી દેનારા ગીતિકા શર્મા સુસાઇડ કેસમાં દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટનો ફેંસલો આવી ગયો છે. આ મામલે કોર્ટે કેસના મુખ્ય આરોપી હરિયાણા પૂર્વ મંત્રી ગોપાલ કાંડા અને તેમના મેનેજર મેનેજર અરુણા ચઢ્ઢાને મુક્ત કર્યા છે. એર હોસ્ટેશ ગીતિકા શર્માને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા મામલે હરિયાણા પૂર્વ મંત્રી ગોપાલ કાંડા અને તેમના સહયોગી મેનેજર અરુણા ચઢ્ઢા સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે લગભગ 11 વર્ષ બાદ ચુકાદો સંભળાવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે એર હોસ્ટેસ ગીતિકા શર્માના પરિવારે આરોપ લગાવ્યો હતો કે 5 ઓગસ્ટ 2012ના રોજ તેમની પુત્રીને દિલ્હીના અશોક વિહાર સ્થિત પોતાના ફ્લેટમાં સુસાઇડ કરી લીધું હતું. કારણ કે પૂર્વ મંત્રી ગોપાલ કાંડાએ ગીતિકા પર ખૂબ માનસિક ત્રાસ ગુજાર્યો હતો.


સુસાઇડ નોટમાં ગીતિકા શર્માએ લગાવ્યો હતો આરોપ

 

રાઉજ એવેન્યૂ કોર્ટના વિશેષ ન્યાયાધીશ વિકાસ ઢુલે આ મામલે સહ આરોપી અરુણા ચઢ્ઢાને પણ મુક્ત કર્યા હતા. અને કહ્યું હતું. ફરિયાદી પક્ષ દરેક દરેક ઉચિત શંકાથી પરે આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. ગીતિકા શર્મા ગોપાલ કાંડાની MDLR એરલાયન્સની પૂર્વ એર હોસ્ટેટ હતી. જે બાદમાં તેમની એક કંપનીમાં ડાયરેક્ટરના રૂપમાં પ્રમોટ કરામાં આવી હતી. 5 ઓગસ્ટ 2012ના રોજ દિલ્હીમાં તેના અચાનક જ મોતથી ચકચાર મચી ગઈ હતી. 4 ઓગસ્ટે પોતાની સુસાઇડ નોટમાં ગીતિકા શર્માએ 46 વર્ષીય ગોપાલ કાંડા અને એક અન્ય વ્યક્તિ પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટના નિર્ણય બાદ ગોપાલ કાંડાએ કહ્યું કે મારી સામે કોઈ પુરાવા ન્હોતા. મારા વિરુદ્ધમાં આ મામલો બનાવવામાં આવ્યો હતો. આજે કોર્ટે પોતાનો ચૂકાદો આપ્યો છે.


સુસાઇડ નોટમાં શું હતું?


મૃતક ગીતિકા શર્માએ સુસાઇડ પહેલા  2 પાનાની એક નોટ લખી હતી. જેમાં ગોપાલ કાંડા પર જાતિય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ગીતિકાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે આજે મેં પોતાની જાતને ખતમ કરી રહી છું. કારણ કે હું અંદરથી તૂટી ગઈ છું. મારો વિશ્વાસ તૂટી ગયો છે. મારી સાથે વિશ્વાસઘાત થયો છે. મારા મોત માટે ગોપાલ કાંડા અને અરુણા ચઢ્ઢા જવાબદાર છે. બંનેએ મારા વિશ્વાસને તોડી અને પોતાના ફાયદા માટે મારો ઉપયોગ કર્યો છે.


શું છે સમગ્ર મામલો?


5 ઓગસ્ટ 2012 ના રોજ, 23 વર્ષીય ગીતિકાએ ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં તેના ઘરમાં છતના પંખા નીચે લટકીને આત્મહત્યા કરી. પોલીસને ગીતિકા પાસેથી 2 પાનાની સુસાઈડ નોટ મળી છે, જેમાં લખ્યું હતું કે ગોપાલ કાંડા અને તેનો એક કર્મચારી તેને હેરાન કરે છે, તેથી તે આત્મહત્યા કરી રહી છે. આગળ સુસાઇડ નોટમાં ગીતિકાએ લખ્યું છે કે 'મેં મારા જીવનમાં ગોપાલ કાંડા જેવો બેશરમ વ્યક્તિ ક્યારેય જોયો નથી, તે હંમેશા જૂઠું બોલે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.