ગીતિકા શર્મા સુસાઇડ કેસનો 11 વર્ષે આવ્યો ચુકાદો, મખ્ય આરોપી હરિયાણાના પૂર્વ મંત્રી ગોપાલ કાંડા મુક્ત


  • Published By :
  • Published Date : 2023-07-25 20:28:31

વર્ષ 2012માં દેશભરમાં ચકચાર મચાવી દેનારા ગીતિકા શર્મા સુસાઇડ કેસમાં દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટનો ફેંસલો આવી ગયો છે. આ મામલે કોર્ટે કેસના મુખ્ય આરોપી હરિયાણા પૂર્વ મંત્રી ગોપાલ કાંડા અને તેમના મેનેજર મેનેજર અરુણા ચઢ્ઢાને મુક્ત કર્યા છે. એર હોસ્ટેશ ગીતિકા શર્માને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા મામલે હરિયાણા પૂર્વ મંત્રી ગોપાલ કાંડા અને તેમના સહયોગી મેનેજર અરુણા ચઢ્ઢા સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે લગભગ 11 વર્ષ બાદ ચુકાદો સંભળાવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે એર હોસ્ટેસ ગીતિકા શર્માના પરિવારે આરોપ લગાવ્યો હતો કે 5 ઓગસ્ટ 2012ના રોજ તેમની પુત્રીને દિલ્હીના અશોક વિહાર સ્થિત પોતાના ફ્લેટમાં સુસાઇડ કરી લીધું હતું. કારણ કે પૂર્વ મંત્રી ગોપાલ કાંડાએ ગીતિકા પર ખૂબ માનસિક ત્રાસ ગુજાર્યો હતો.


સુસાઇડ નોટમાં ગીતિકા શર્માએ લગાવ્યો હતો આરોપ

 

રાઉજ એવેન્યૂ કોર્ટના વિશેષ ન્યાયાધીશ વિકાસ ઢુલે આ મામલે સહ આરોપી અરુણા ચઢ્ઢાને પણ મુક્ત કર્યા હતા. અને કહ્યું હતું. ફરિયાદી પક્ષ દરેક દરેક ઉચિત શંકાથી પરે આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. ગીતિકા શર્મા ગોપાલ કાંડાની MDLR એરલાયન્સની પૂર્વ એર હોસ્ટેટ હતી. જે બાદમાં તેમની એક કંપનીમાં ડાયરેક્ટરના રૂપમાં પ્રમોટ કરામાં આવી હતી. 5 ઓગસ્ટ 2012ના રોજ દિલ્હીમાં તેના અચાનક જ મોતથી ચકચાર મચી ગઈ હતી. 4 ઓગસ્ટે પોતાની સુસાઇડ નોટમાં ગીતિકા શર્માએ 46 વર્ષીય ગોપાલ કાંડા અને એક અન્ય વ્યક્તિ પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટના નિર્ણય બાદ ગોપાલ કાંડાએ કહ્યું કે મારી સામે કોઈ પુરાવા ન્હોતા. મારા વિરુદ્ધમાં આ મામલો બનાવવામાં આવ્યો હતો. આજે કોર્ટે પોતાનો ચૂકાદો આપ્યો છે.


સુસાઇડ નોટમાં શું હતું?


મૃતક ગીતિકા શર્માએ સુસાઇડ પહેલા  2 પાનાની એક નોટ લખી હતી. જેમાં ગોપાલ કાંડા પર જાતિય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ગીતિકાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે આજે મેં પોતાની જાતને ખતમ કરી રહી છું. કારણ કે હું અંદરથી તૂટી ગઈ છું. મારો વિશ્વાસ તૂટી ગયો છે. મારી સાથે વિશ્વાસઘાત થયો છે. મારા મોત માટે ગોપાલ કાંડા અને અરુણા ચઢ્ઢા જવાબદાર છે. બંનેએ મારા વિશ્વાસને તોડી અને પોતાના ફાયદા માટે મારો ઉપયોગ કર્યો છે.


શું છે સમગ્ર મામલો?


5 ઓગસ્ટ 2012 ના રોજ, 23 વર્ષીય ગીતિકાએ ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં તેના ઘરમાં છતના પંખા નીચે લટકીને આત્મહત્યા કરી. પોલીસને ગીતિકા પાસેથી 2 પાનાની સુસાઈડ નોટ મળી છે, જેમાં લખ્યું હતું કે ગોપાલ કાંડા અને તેનો એક કર્મચારી તેને હેરાન કરે છે, તેથી તે આત્મહત્યા કરી રહી છે. આગળ સુસાઇડ નોટમાં ગીતિકાએ લખ્યું છે કે 'મેં મારા જીવનમાં ગોપાલ કાંડા જેવો બેશરમ વ્યક્તિ ક્યારેય જોયો નથી, તે હંમેશા જૂઠું બોલે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.