ગીતિકા શર્મા સુસાઇડ કેસનો 11 વર્ષે આવ્યો ચુકાદો, મખ્ય આરોપી હરિયાણાના પૂર્વ મંત્રી ગોપાલ કાંડા મુક્ત


  • Published By :
  • Published Date : 2023-07-25 20:28:31

વર્ષ 2012માં દેશભરમાં ચકચાર મચાવી દેનારા ગીતિકા શર્મા સુસાઇડ કેસમાં દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટનો ફેંસલો આવી ગયો છે. આ મામલે કોર્ટે કેસના મુખ્ય આરોપી હરિયાણા પૂર્વ મંત્રી ગોપાલ કાંડા અને તેમના મેનેજર મેનેજર અરુણા ચઢ્ઢાને મુક્ત કર્યા છે. એર હોસ્ટેશ ગીતિકા શર્માને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા મામલે હરિયાણા પૂર્વ મંત્રી ગોપાલ કાંડા અને તેમના સહયોગી મેનેજર અરુણા ચઢ્ઢા સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે લગભગ 11 વર્ષ બાદ ચુકાદો સંભળાવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે એર હોસ્ટેસ ગીતિકા શર્માના પરિવારે આરોપ લગાવ્યો હતો કે 5 ઓગસ્ટ 2012ના રોજ તેમની પુત્રીને દિલ્હીના અશોક વિહાર સ્થિત પોતાના ફ્લેટમાં સુસાઇડ કરી લીધું હતું. કારણ કે પૂર્વ મંત્રી ગોપાલ કાંડાએ ગીતિકા પર ખૂબ માનસિક ત્રાસ ગુજાર્યો હતો.


સુસાઇડ નોટમાં ગીતિકા શર્માએ લગાવ્યો હતો આરોપ

 

રાઉજ એવેન્યૂ કોર્ટના વિશેષ ન્યાયાધીશ વિકાસ ઢુલે આ મામલે સહ આરોપી અરુણા ચઢ્ઢાને પણ મુક્ત કર્યા હતા. અને કહ્યું હતું. ફરિયાદી પક્ષ દરેક દરેક ઉચિત શંકાથી પરે આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. ગીતિકા શર્મા ગોપાલ કાંડાની MDLR એરલાયન્સની પૂર્વ એર હોસ્ટેટ હતી. જે બાદમાં તેમની એક કંપનીમાં ડાયરેક્ટરના રૂપમાં પ્રમોટ કરામાં આવી હતી. 5 ઓગસ્ટ 2012ના રોજ દિલ્હીમાં તેના અચાનક જ મોતથી ચકચાર મચી ગઈ હતી. 4 ઓગસ્ટે પોતાની સુસાઇડ નોટમાં ગીતિકા શર્માએ 46 વર્ષીય ગોપાલ કાંડા અને એક અન્ય વ્યક્તિ પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટના નિર્ણય બાદ ગોપાલ કાંડાએ કહ્યું કે મારી સામે કોઈ પુરાવા ન્હોતા. મારા વિરુદ્ધમાં આ મામલો બનાવવામાં આવ્યો હતો. આજે કોર્ટે પોતાનો ચૂકાદો આપ્યો છે.


સુસાઇડ નોટમાં શું હતું?


મૃતક ગીતિકા શર્માએ સુસાઇડ પહેલા  2 પાનાની એક નોટ લખી હતી. જેમાં ગોપાલ કાંડા પર જાતિય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ગીતિકાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે આજે મેં પોતાની જાતને ખતમ કરી રહી છું. કારણ કે હું અંદરથી તૂટી ગઈ છું. મારો વિશ્વાસ તૂટી ગયો છે. મારી સાથે વિશ્વાસઘાત થયો છે. મારા મોત માટે ગોપાલ કાંડા અને અરુણા ચઢ્ઢા જવાબદાર છે. બંનેએ મારા વિશ્વાસને તોડી અને પોતાના ફાયદા માટે મારો ઉપયોગ કર્યો છે.


શું છે સમગ્ર મામલો?


5 ઓગસ્ટ 2012 ના રોજ, 23 વર્ષીય ગીતિકાએ ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં તેના ઘરમાં છતના પંખા નીચે લટકીને આત્મહત્યા કરી. પોલીસને ગીતિકા પાસેથી 2 પાનાની સુસાઈડ નોટ મળી છે, જેમાં લખ્યું હતું કે ગોપાલ કાંડા અને તેનો એક કર્મચારી તેને હેરાન કરે છે, તેથી તે આત્મહત્યા કરી રહી છે. આગળ સુસાઇડ નોટમાં ગીતિકાએ લખ્યું છે કે 'મેં મારા જીવનમાં ગોપાલ કાંડા જેવો બેશરમ વ્યક્તિ ક્યારેય જોયો નથી, તે હંમેશા જૂઠું બોલે છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .