સુરતમાં AAPના નારાજ કાર્યકર્તાઓના મહાસંમેલન !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-21 12:25:24

સુરત શહેરમાં આમ આદમી પાર્ટી પૂર્વ ઉપ પ્રમૂખ રાજુ દેઓરાએ કતારગામ વિધાનસભા વિસ્તારમાંથી ટિકિટ માંગી હતી. પણ આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ નહીં અપાતા તેઓ નારાજ થઈ ગયા છે. ગઈકાલે કતારગામ વિસ્તારમાં એક સમગ્ર ગુજરાતમાંથી 10 હજાર કાર્યકર્તાઓનો સંમેલન બોલાવવાનો દાવો કર્યો હતો, પણ 500 કાર્યકર્તા પણ સંમેલનમાં જોડાયા ના હતા. AAPના નારાજ કાર્યકર્તાઓના આ સંમેલનમાં ભાજપના કાર્યકર્તા પણ જોડાયા હતા એટલે આ સંમેલનની સચ્ચાઈ જાણીને તમને પણ નવાઈ લાગશે!!!!


કાર્યકર્તા નારાજ 

સુરતમાં દેઓરાએ ગઈકાલે AAP બંધારણ રક્ષક સમીતિ દ્વારા AAPના નારાજ કાર્યકર્તાનું મહાસંમેલન બોલાવાયું હતું. આપના પૂર્વ ઉપ પ્રમુખ રાજુ દિયોરાએ આ મહાસંમેલન બોલાવ્યું હતું અને AAPના 10 હજારથી પણ વધુ નારાજ કાર્યકર્તાઓ આ મહાસંમેલનમાં જોડાવા હોવાનું કહ્યું હતું.10000ની નારાજ કાર્યકર્તાઓની વાત વચ્ચે સંમેલનમાં માંડ 500 લોકો દેખાયા હતા, ઉપરાંત કેટલાક લોકોએ તો ભાજપના કાર્યકર્તા હોવાનું સ્વીકાર્યું હતું અને તેમને આ માટે બોલાવવામાં પણ આવ્યા હોવાનું કહ્યું હતું.


ટિકિટના મળતા નારાજ 

રાજુ દિયોરાએ કહ્યું, હું 22 મહિનાથી AAPમાં જોડાયેલો છું. AAP છોડવા નથી આવ્યો, હું પાર્ટીમાં જ છું. ગુજરાતભરમાં પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમની સાથે અન્યાય થયો છે તેમના ન્યાય માટે લડત લડીશું. જે-જે લોકો બે-બે વર્ષથી કામ કરી રહ્યા છે, પાર્ટીની વિચારધારા ઘરે ઘરે સુધી પહોંચાડવા જતા તેમને સાઈડલાઈન કરવામાં આવ્યા છે અને નવા નવા લોકોને પૈસા લઈને ટિકિટ આપવામાં આવી છે. મેં કતારગામથી ટિકિટ માગી હતી. ગુજરાતના 80 ટકા કાર્યકર્તાઓ નારાજ છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.