સુરતમાં AAPના નારાજ કાર્યકર્તાઓના મહાસંમેલન !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-21 12:25:24

સુરત શહેરમાં આમ આદમી પાર્ટી પૂર્વ ઉપ પ્રમૂખ રાજુ દેઓરાએ કતારગામ વિધાનસભા વિસ્તારમાંથી ટિકિટ માંગી હતી. પણ આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ નહીં અપાતા તેઓ નારાજ થઈ ગયા છે. ગઈકાલે કતારગામ વિસ્તારમાં એક સમગ્ર ગુજરાતમાંથી 10 હજાર કાર્યકર્તાઓનો સંમેલન બોલાવવાનો દાવો કર્યો હતો, પણ 500 કાર્યકર્તા પણ સંમેલનમાં જોડાયા ના હતા. AAPના નારાજ કાર્યકર્તાઓના આ સંમેલનમાં ભાજપના કાર્યકર્તા પણ જોડાયા હતા એટલે આ સંમેલનની સચ્ચાઈ જાણીને તમને પણ નવાઈ લાગશે!!!!


કાર્યકર્તા નારાજ 

સુરતમાં દેઓરાએ ગઈકાલે AAP બંધારણ રક્ષક સમીતિ દ્વારા AAPના નારાજ કાર્યકર્તાનું મહાસંમેલન બોલાવાયું હતું. આપના પૂર્વ ઉપ પ્રમુખ રાજુ દિયોરાએ આ મહાસંમેલન બોલાવ્યું હતું અને AAPના 10 હજારથી પણ વધુ નારાજ કાર્યકર્તાઓ આ મહાસંમેલનમાં જોડાવા હોવાનું કહ્યું હતું.10000ની નારાજ કાર્યકર્તાઓની વાત વચ્ચે સંમેલનમાં માંડ 500 લોકો દેખાયા હતા, ઉપરાંત કેટલાક લોકોએ તો ભાજપના કાર્યકર્તા હોવાનું સ્વીકાર્યું હતું અને તેમને આ માટે બોલાવવામાં પણ આવ્યા હોવાનું કહ્યું હતું.


ટિકિટના મળતા નારાજ 

રાજુ દિયોરાએ કહ્યું, હું 22 મહિનાથી AAPમાં જોડાયેલો છું. AAP છોડવા નથી આવ્યો, હું પાર્ટીમાં જ છું. ગુજરાતભરમાં પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમની સાથે અન્યાય થયો છે તેમના ન્યાય માટે લડત લડીશું. જે-જે લોકો બે-બે વર્ષથી કામ કરી રહ્યા છે, પાર્ટીની વિચારધારા ઘરે ઘરે સુધી પહોંચાડવા જતા તેમને સાઈડલાઈન કરવામાં આવ્યા છે અને નવા નવા લોકોને પૈસા લઈને ટિકિટ આપવામાં આવી છે. મેં કતારગામથી ટિકિટ માગી હતી. ગુજરાતના 80 ટકા કાર્યકર્તાઓ નારાજ છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.