સુરતમાં AAPના નારાજ કાર્યકર્તાઓના મહાસંમેલન !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-21 12:25:24

સુરત શહેરમાં આમ આદમી પાર્ટી પૂર્વ ઉપ પ્રમૂખ રાજુ દેઓરાએ કતારગામ વિધાનસભા વિસ્તારમાંથી ટિકિટ માંગી હતી. પણ આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ નહીં અપાતા તેઓ નારાજ થઈ ગયા છે. ગઈકાલે કતારગામ વિસ્તારમાં એક સમગ્ર ગુજરાતમાંથી 10 હજાર કાર્યકર્તાઓનો સંમેલન બોલાવવાનો દાવો કર્યો હતો, પણ 500 કાર્યકર્તા પણ સંમેલનમાં જોડાયા ના હતા. AAPના નારાજ કાર્યકર્તાઓના આ સંમેલનમાં ભાજપના કાર્યકર્તા પણ જોડાયા હતા એટલે આ સંમેલનની સચ્ચાઈ જાણીને તમને પણ નવાઈ લાગશે!!!!


કાર્યકર્તા નારાજ 

સુરતમાં દેઓરાએ ગઈકાલે AAP બંધારણ રક્ષક સમીતિ દ્વારા AAPના નારાજ કાર્યકર્તાનું મહાસંમેલન બોલાવાયું હતું. આપના પૂર્વ ઉપ પ્રમુખ રાજુ દિયોરાએ આ મહાસંમેલન બોલાવ્યું હતું અને AAPના 10 હજારથી પણ વધુ નારાજ કાર્યકર્તાઓ આ મહાસંમેલનમાં જોડાવા હોવાનું કહ્યું હતું.10000ની નારાજ કાર્યકર્તાઓની વાત વચ્ચે સંમેલનમાં માંડ 500 લોકો દેખાયા હતા, ઉપરાંત કેટલાક લોકોએ તો ભાજપના કાર્યકર્તા હોવાનું સ્વીકાર્યું હતું અને તેમને આ માટે બોલાવવામાં પણ આવ્યા હોવાનું કહ્યું હતું.


ટિકિટના મળતા નારાજ 

રાજુ દિયોરાએ કહ્યું, હું 22 મહિનાથી AAPમાં જોડાયેલો છું. AAP છોડવા નથી આવ્યો, હું પાર્ટીમાં જ છું. ગુજરાતભરમાં પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમની સાથે અન્યાય થયો છે તેમના ન્યાય માટે લડત લડીશું. જે-જે લોકો બે-બે વર્ષથી કામ કરી રહ્યા છે, પાર્ટીની વિચારધારા ઘરે ઘરે સુધી પહોંચાડવા જતા તેમને સાઈડલાઈન કરવામાં આવ્યા છે અને નવા નવા લોકોને પૈસા લઈને ટિકિટ આપવામાં આવી છે. મેં કતારગામથી ટિકિટ માગી હતી. ગુજરાતના 80 ટકા કાર્યકર્તાઓ નારાજ છે.




ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.