માલધારી બાદ કોળી સમાજનું મહાસંમેલન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 19:51:06

જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર પર દબાણ વધારવા અનેક સમાજ આગળ આવી રહ્યા છે. માલધારી સમાજ બાદ કોળી સમાજે સરકાર વિરૂદ્ધ બાંયો ચઠાવી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જસદણ તાલુકામાં કોળી સમાજનું મહાસંમેલન યોજાતા રાજકારણ ગરમાયું છે.

કોળી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઊમટી પડ્યા.


અમારા સમાજની 10 માગણી પર સરકાર ધ્યાન આપે - કોળી સમાજ

જસદણ કોળી સમાજના પ્રમુખે કહ્યું કે અમારો સમાજ મોટો અને પછાત હોવાથી અમે સરકારને રજૂઆત કરવાના છીએ કે ઠાકોર વિકાસ નિગામમાં જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેને વધારામાં આવે. સરકાર અમારી 9 પડતર માગણી પર ધ્યાન આપે તેવી રજૂઆત કરવામાં આવશે.સરકાર તેમની માગને તાત્કાલિક સ્વીકારે તેવી માગ કરી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે સંમેલનમાં સમાજના તમામ લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું છતાં પણ કુંવરજીભાઈ અને ભોળા ગોહિલ બંન્નેને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓ કેમ હાજર રહ્યા નહીં તે પ્રશ્ન છે.

Kunvarji Bavaliya Suspended From All India Koli Samaj Before Gujarat  Assembly Elections | વિધાનસભા ચૂંટણી પહેલાં કોળી સમાજમાંથી કુંવરજી  બાવળીયાને સસ્પેન્ડ કરાયા, જાણો કુંવરજીએ ...


વાંકાનેરના AAPના નેતા વિક્રમ સોરાણી રહ્યા હતા ઉપસ્થિત

વિક્રમ સોરાણીએ જણાવ્યું હતું કે, આ સંમેલન અમારા સમાજમાં જે કુરિવાજો છે એને દૂર કરવા અને સમાજના તમામ વિદ્યાર્થીઓને મદદ કરવા થયું છે, બીજું અમારા સમાજની નવ માગણી પડતર છે, જેને સરકાર તાત્કાલિક સ્વીકારે એવી માગ કરવામાં આવી હતી.  

 

સરકારની ચિંતામાં થતો વધારો 

એક તરફ સરકારી કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ આંદોલનો કરી રહ્યા છે તો બીજી તરફ અનેક સમાજો મહાસંમેલન કરી પોતાનું શક્તિ પ્રદર્શન કરી સરકારને ઝૂકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. માલધારી સમાજની અનેક માગ સ્વીકારાતા કોળી સમાજ પણ આંદોલનના માર્ગે આગળ વધી શકે છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"