Geniben Thakor મળ્યા Amit Shahને, બેઠક પાછળ આ હોઈ શકે છે કારણ, અનેક તર્ક વિતર્ક અને સવાલ ઉભા થયા..!


  • Published By :
  • Published Date : 2024-08-01 13:37:29

સાંસદ ગેનીબેન ઠાકોર જ્યારથી ચૂંટાયા ત્યારથી એમની ચર્ચા થઈ રહી છે. સંસદમાં તેમણે જબરદસ્ત ભાષણ આપ્યું હતું જેમાં તેમણે બનાસકાંઠાના લોકોનો આભાર માન્યો હતો. સંસદમાં ગુજરાતનો અવાજ બનતા હોય પણ એક તસવીર જેના કારણે ગેનીબેન ઠોકરની ચર્ચાઓ વધી છે એ છે ગેનીબેન ઠાકોરની અમિત શાહ સાથે થયેલી મુલાકાત.  

ફોટો સામે આવતા અનેક તર્ક વિતર્ક

જે તસવીર સામે આવી છે તે રાજનીતિની સુંદર તસવીર કહેવાય કારણ કે ઇલેક્શન વચ્ચે જે નેતાઓ એકબીજાં પર કટાક્ષ કરતા હોય એ જીત બાદ આ રીતે સાથે પણ જોવા મળી શકે છે. ગઈકાલે ગેનીબેન ઠાકોરે સંસદ ભવનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. કેમ મુલાકાત કરી એ મોટો પ્રશ્ન હતો. ઘણાં લોકો માનતા હતા કે શું એક માત્ર કોંગ્રેસના સાંસદ ટૂંક સમયમાં કેસરિયા કરશે તો બીજા અનેક તર્ક વિતર્કો હતા..



આ કારણોસર ગેનીબેન ઠાકોર મળ્યા હતા અમિત શાહને

ગેનીબેન ઠાકોર કેમ અમિત શાહને મળવા ગયા હતા એની વાત કરીએ તો ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા, કચ્છ અને પાટણના ગામોમાં કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા BADP હેઠળ જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી અને 2020થી બંધ કરી દેવામાં આવી છે તે ગ્રાન્ટ ચૂકવવાની માગ કરી છે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ કરવાની રજૂઆત કરી હતી. તો આ ગ્રાન્ટ ત્રણ જિલ્લાઓને આપવા માટે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ થાય તે માટે મળીને ગૃહ મંત્રીને રજૂઆત કરી એટલે પક્ષપલટાની કોઈ વાત નથી! 


અર્જુન મોઢવાડિયા પણ મળ્યા હતા અમિત શાહને 

મહત્વનું છે કે ગઈકાલે અમિત શાહને મળવા માટે અર્જુન મોઢવાડીયા પણ ગયા હતા જેની પાછળનું કારણ તો મંત્રી મંડળના વિસ્તરણની આસપાસનું હોઈ શકે છે. જો ગુજરાત સરકાર મંત્રી મંડળનું વિસ્તરણ કરે તો એમાં નાવા ચેહરાઓને સ્થાન મળી શકે જેમાં અર્જુન મોઢવાડીયા હોઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.   


ભાજપનો વિજયરથ ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં રોક્યો

ગેનીબેન ઠાકોરની જેટલી ચર્ચાઓ થઈ રહી છે એટલી જ ઈન્ટ્રસ્ટિંગ એમની જીત અને ચૂંટણીના પરિણામ પણ હતા. ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વીપ પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભારે પડ્યા હતા. બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે 30 હજાર 406 મતોથી ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા છે. ખાસ વાત છે કે, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે એકલા હાથે ભાજપની હેટ્રિક રોકી લીધી અને પછી બધાના ચર્ચાનું કેન્દ્ર ગેનીબેન બન્યા!



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.