Geniben Thakor હવે સંસદમાં, સંસદમાં આજથી સત્રનો પ્રારંભ, બનાસકાંઠાના સાંસદ તરીકે કરી હતી જીત હાંસલ, જુઓ શપથનો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-24 18:12:50

ગુજરાતમાં ભાજપ પાસે 26માંથી 26 બેઠકો હતી. આ વખતે ભાજપના  ઉમેદવાર પાંચ લાખની લીડ સાથે જીતશે તેવી વાતો ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવતી, આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ 26એ 26 બેઠક જીતશે તેવા દાવો કરવામાં આવ્યા હતા પરંતુ એક બેઠક ભાજપના હાથમાંથી જતી રહી. બનાસકાંઠામાં ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીત્યા. આજે ગેનીબેન ઠાકોરે સાંસદ તરીકેના શપથ લીધા હતા...     

બનાસકાંઠા લોકસભા બેઠક પર થઈ ગેનીબેન ઠાકોરની જીત 

ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે.. રાજકીય લેબોરેટરી ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે ગુજરાતમાં અનેક રાજકીય પ્રયોગો કરવામાં આવ્યા છે. કોઈ પણ રાજ્યમાં કોઈ બદલાવ કરવો હોય તો તેમનું implementation ગુજરાતમાં થાય છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 25 બેઠકો પર જીત હાંસલ કરી છે.. બનાસકાંઠા બેઠક એવી છે જ્યાં ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. આજે સંસદનું પ્રથમ સત્ર હતું. આજે સાંસદોએ શપથ લીધા હતા. ગેનીબેન ઠાકોરે પણ સાંસદ તરીકેના શપથ લીધા.  


સાંસદ તરીકે ગેનીબેન ઠાકોરે લીધા શપથ

ગુજરાતમાં અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ હતો. ઉમેદવારોએ ટફ ફાઈટ આપી હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ તેમજ વલસાડ બેઠક એવી હતી જ્યાં કોણ જીતશે તેની પર સવાલ હતો. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ડો.રેખાબેન ચૌધરીને ટિકીટ આપી જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી.. ગેનીબેન ઠાકોરે બનાસની બેન તરીકે પોતાની છાપ ઉભી કરી જ્યારે રેખાબેન ચૌધરીએ બનાસની દીકરી તરીકે પોતાને પ્રસ્થાપિત કરી. ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરી. ત્યારે આજે સાંસદ તરીકે ગેનીબેન ઠાકોરે શપથ લીધા છે. વિધાનસભામાં દેખાતા ગેનીબેન હવે સંસદમાં દેખાશે..  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.