Geniben Thakor હવે સંસદમાં, સંસદમાં આજથી સત્રનો પ્રારંભ, બનાસકાંઠાના સાંસદ તરીકે કરી હતી જીત હાંસલ, જુઓ શપથનો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-24 18:12:50

ગુજરાતમાં ભાજપ પાસે 26માંથી 26 બેઠકો હતી. આ વખતે ભાજપના  ઉમેદવાર પાંચ લાખની લીડ સાથે જીતશે તેવી વાતો ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવતી, આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ 26એ 26 બેઠક જીતશે તેવા દાવો કરવામાં આવ્યા હતા પરંતુ એક બેઠક ભાજપના હાથમાંથી જતી રહી. બનાસકાંઠામાં ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીત્યા. આજે ગેનીબેન ઠાકોરે સાંસદ તરીકેના શપથ લીધા હતા...     

બનાસકાંઠા લોકસભા બેઠક પર થઈ ગેનીબેન ઠાકોરની જીત 

ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે.. રાજકીય લેબોરેટરી ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે ગુજરાતમાં અનેક રાજકીય પ્રયોગો કરવામાં આવ્યા છે. કોઈ પણ રાજ્યમાં કોઈ બદલાવ કરવો હોય તો તેમનું implementation ગુજરાતમાં થાય છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 25 બેઠકો પર જીત હાંસલ કરી છે.. બનાસકાંઠા બેઠક એવી છે જ્યાં ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. આજે સંસદનું પ્રથમ સત્ર હતું. આજે સાંસદોએ શપથ લીધા હતા. ગેનીબેન ઠાકોરે પણ સાંસદ તરીકેના શપથ લીધા.  


સાંસદ તરીકે ગેનીબેન ઠાકોરે લીધા શપથ

ગુજરાતમાં અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ હતો. ઉમેદવારોએ ટફ ફાઈટ આપી હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ તેમજ વલસાડ બેઠક એવી હતી જ્યાં કોણ જીતશે તેની પર સવાલ હતો. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ડો.રેખાબેન ચૌધરીને ટિકીટ આપી જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી.. ગેનીબેન ઠાકોરે બનાસની બેન તરીકે પોતાની છાપ ઉભી કરી જ્યારે રેખાબેન ચૌધરીએ બનાસની દીકરી તરીકે પોતાને પ્રસ્થાપિત કરી. ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરી. ત્યારે આજે સાંસદ તરીકે ગેનીબેન ઠાકોરે શપથ લીધા છે. વિધાનસભામાં દેખાતા ગેનીબેન હવે સંસદમાં દેખાશે..  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.