Geniben Thakor હવે સંસદમાં, સંસદમાં આજથી સત્રનો પ્રારંભ, બનાસકાંઠાના સાંસદ તરીકે કરી હતી જીત હાંસલ, જુઓ શપથનો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-24 18:12:50

ગુજરાતમાં ભાજપ પાસે 26માંથી 26 બેઠકો હતી. આ વખતે ભાજપના  ઉમેદવાર પાંચ લાખની લીડ સાથે જીતશે તેવી વાતો ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવતી, આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ 26એ 26 બેઠક જીતશે તેવા દાવો કરવામાં આવ્યા હતા પરંતુ એક બેઠક ભાજપના હાથમાંથી જતી રહી. બનાસકાંઠામાં ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીત્યા. આજે ગેનીબેન ઠાકોરે સાંસદ તરીકેના શપથ લીધા હતા...     

બનાસકાંઠા લોકસભા બેઠક પર થઈ ગેનીબેન ઠાકોરની જીત 

ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે.. રાજકીય લેબોરેટરી ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે ગુજરાતમાં અનેક રાજકીય પ્રયોગો કરવામાં આવ્યા છે. કોઈ પણ રાજ્યમાં કોઈ બદલાવ કરવો હોય તો તેમનું implementation ગુજરાતમાં થાય છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 25 બેઠકો પર જીત હાંસલ કરી છે.. બનાસકાંઠા બેઠક એવી છે જ્યાં ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. આજે સંસદનું પ્રથમ સત્ર હતું. આજે સાંસદોએ શપથ લીધા હતા. ગેનીબેન ઠાકોરે પણ સાંસદ તરીકેના શપથ લીધા.  


સાંસદ તરીકે ગેનીબેન ઠાકોરે લીધા શપથ

ગુજરાતમાં અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ હતો. ઉમેદવારોએ ટફ ફાઈટ આપી હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ તેમજ વલસાડ બેઠક એવી હતી જ્યાં કોણ જીતશે તેની પર સવાલ હતો. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ડો.રેખાબેન ચૌધરીને ટિકીટ આપી જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી.. ગેનીબેન ઠાકોરે બનાસની બેન તરીકે પોતાની છાપ ઉભી કરી જ્યારે રેખાબેન ચૌધરીએ બનાસની દીકરી તરીકે પોતાને પ્રસ્થાપિત કરી. ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરી. ત્યારે આજે સાંસદ તરીકે ગેનીબેન ઠાકોરે શપથ લીધા છે. વિધાનસભામાં દેખાતા ગેનીબેન હવે સંસદમાં દેખાશે..  



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.