Loksabha ચૂંટણી જીત્યા બાદ Geniben Thakor Delhi પહોંચ્યા, Sonia Gandhi સાથે મુલાકાતમાં શું ચર્ચા કરી?


  • Published By :
  • Published Date : 2024-06-10 17:13:56

ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં આ વખતે કોંગ્રેસે લોકસભાની એક બેઠક જીતીને ભાજપના નેતાઓને ઉંઘતા ઝડપી લીધા છે.... કોંગ્રેસના નેતા મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે.... અને દિલ્હી દરબારમાં ગેનીબેન ઠાકોરના વધામણાં થયા છે... બનાસનીબેન ગેનીબેન દિલ્હી પહોંચ્યા હતા... 

ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા દિલ્હી

ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં એકપણ બેઠક ન જીતી શકેલી કોંગ્રેસને 2024માં એક બેઠક ગેનીબેન ઠાકોરે અપાવી છે. બનાસકાંઠા બેઠક પર જીત મેળવ્યા બાદ ગેનીબેન ઠાકોર દિલ્હી પહોંચ્યા હતા...  દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી.... ગુજરાતમાં ભાજપનું સતત ત્રીજીવાર 26માંથી 26 બેઠક 5 લાખની લીડથી જીતવાનું સપનું હતું. ભાજપે 25 બેઠકો તો જીતી લીધી પરંતુ, બનાસકાંઠા બેઠક જીતી ન શકી. 


કોંગ્રેસના તમામ નેતાઓએ ગેનીબેનને પાઠવ્યા અભિનંદન

બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 30 હજાર કરતા વધુ મતે હાર આપી ગેનીબેન દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના તમામ નેતાઓએ ગેનીબેન ઠાકોરને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગેનીબેન સાથે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા પણ જોવા મળ્યા હતા.... અહીંયા સુધી ગેનીબેન પહોંચ્યા તેના પાછળના કારણો બહુ જ રસપ્રદ છે...,એ પણ જાણી લઈએ... 



વાવથી ગેનીબેન ઠાકોરને મળ્યા સૌથી ઓછા મત!

ગેનીબેન ઠાકોર જે રીતે ચૂંટણી લડ્યાં છે વિશ્લેષણ હજુ પણ થઈ રહ્યાં છે ...ગેનીબેન વાવથી કોંગ્રેસના ધારાસભ્ય હતા... પણ જો કોઈને એવુ લાગતુ હોય કે ગેનીબેન ઠાકોરની જીતમાં વાવ બેઠકનો ફાળો મહત્વનો હશે તો આ માન્યતા ખોટી ઠરશે... કેમ કે ગેનીબેન ધારાસભ્ય ભલે વાવના હોય પણ મત તેમને સૌથી ઓછા વાવથી જ મળ્યા છે... તમને જાણીને નવાઇ લાગશે કે વાવમાં ભાજપને 1 લાખ 02 હજાર 972 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 1 લાખ 01 હજાર 311 મત મળ્યા છે. આમ વાવ વિધાનસભા બેઠક પરથી ભાજપને કોંગ્રેસ કરતાં 1 હજાર 661 મત વધુ મળ્યા છે.... હકીકતમાં જોઇએ તો આ ચૂંટણીમાં પાલનપુર, દિયોદર અને દાંતા બેઠક ગેમ ચેન્જર બની અને ગેનીબેન જીતી ગયા..... 


કોને કેટલા મળ્યા મત?

વર્ષ 2024માં થરાદ શંકર ચૌધરી ધારાસભ્ય અને કહેવાય છે કે આ વખતે ગેનીબેનની સાચી લડાઈ રેખાબેનના બદલે શંકર ચૌધરી સાથે હતી... થરાદમાં ભાજપને 1 લાખ 04 હજાર 887 મત મળ્યા જ્યારે કોંગ્રેસને 90 હજાર 301 મત મળ્યા.. તો ભાજપ અહીંયા પણ 14 હજાર 586 મતની લીડ લઈ ગયું... વાત કરીએ ધાનેરાની તો માવજીભાઈ દેસાઈ અપક્ષ ધારાસભ્ય જ્યાં છે ત્યાં ભાજપને 90 હજાર 187 અને કોંગ્રેસને 89 હજાર 167 મત મળ્યા. તફાવત પાતળી સરસાઈનો 1 હજાર 650 મતનો આવ્યો જે ભાજપના પક્ષમાં રહ્યાો.. વાત ડીસાની કરી લઈએ તો ડીસામાં પ્રવીણ માળી ભાજપના ધારાસભ્ય જ્યાં ભાજપને 1 લાખ 339 મત અને કોંગ્રેસને 88 હજાર 804 મત મળ્યા... અહીંયા પણ 11 હજાર 535 મતની લીડ ભાજપ લઈ ગયું... 



પોસ્ટર બેલેટની વાત કરીએ તો.. 

હવે વાત કરી લઈએ પોસ્ટલ બેલેટની તો ભાજપને 5 હજાર 717 મત અને કોંગ્રેસને 4 હજાર 811 મત મળ્યા તેમાં પણ ભાજપ 906 મત વધારે લઈ ગયું તો સવાલ એ થાય કે 4 વિધાનસભામાં ભાજપના મત વધારે છે તો ગેનીબેન ક્યાં કાઠુ કાઢી ગયા... તો એ બેઠકો છે દાંતા, પાલનપુર અને દિયોદર.... દાંતામાં ભાજપને 82 હજાર 439 મત અને કોંગ્રેસને 93 હજાર 457 મત મળ્યા હતા.. જ્યાં કોંગ્રેસ 11 હજાર 18 મત વધારે લઈ ગયું... , વાત પાલનપુરની કરીએ તો ભાજપને 76 હજાર 687 મત અને કોંગ્રેસને 1 લાખ 5 હજાર 837 મત મળ્યા છે... 29 હજાર 150 મતની લીડથી પાલનપુર વિધાનસભામાં કોંગ્રેસની જીત થઈ... વાત કરીએ દિયોદરની તો ભાજપને મળ્યા 77 હજાર 619 મત અને કોંગ્રેસને મળ્યા 98 હજાર 195 મત  અહીંયા પણ કોંગ્રેસને 20 હજાર 576 મતની લીડ મળી.... 



સ્થાનિક સમસ્યાથી કંટાળેલા શહેરી લોકોએ આપ્યો કોંગ્રેસને મત

2019માં જે પાલનપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપને 38 હજાર 786 મતની લીડ મળી હતી તે જ મતવિસ્તારમાંથી આ વખતે ભાજપને 29 હજાર 150 મત ઓછા મળ્યા. ભાજપને મળેલા આ ઓછા મતનો સીધો ફાયદો કોંગ્રેસને મળ્યો અને ગેનીબેનની જીત થઇ. પાલનપુરમાંથી કોંગ્રેસને અનઅપેક્ષિત લીડ મળવાની પાછળ રહેલા કારણોની વાત કરીએ તો પાલનપુરમાંથી કોંગ્રેસને અનઅપેક્ષિત લીડ મળવા પાછળનું એક કારણ એ પણ હોઇ શકે કે, પાલનપુરમાં ટ્રાફિક, ગટર જેવા લોકોને સીધી અસર કરતાં પ્રશ્નો વર્ષોથી છે. જેનું કોઇ નિરાકરણ આવ્યું નથી. વળી, પાલનપુર નગરપાલિકામાં ભાજપનું શાસન છે એટલે સ્થાનિક સમસ્યાથી કંટાળેલા શહેરી મતદારોનો ઝુકાવ કોંગ્રેસ તરફી રહ્યો હોય.


ભાજપનું ક્લીન સ્વીપનું સપનું રોકાયું..!

સામાન્ય રીતે એવું મનાય છે કે શહેરી વિસ્તારનો મતદાર ભાજપ તરફી ઝુકાવ ધરાવે છે પરંતુ પાલનપુર શહેરી વિસ્તાર હોવા છતાં ત્યાંના મતદારોએ કોંગ્રેસને વધુ મત આપ્યા. આ બાબત ભાજપ માટે લાલબત્તી સમાન છે. એટલે આ ત્રણ બેઠકોની મતપેટી ખુલી અને ગેનીબેન અને કોંગ્રેસે ઈતિહાસ રચ્યો  અને ભાજપનું ક્લિન સ્વીપનું સ્વપ્ન રોળાયું.... હવે ગેનીબેન દિલ્હી દરબારમાં પહોંચ્યા છે... એકલાહાથે પ્રચાર કરી ભાજપને ટક્કર આપી અને દિલ્હીમાં ગેનીબેન પહોંચ્યા જ્યાં તેમના વધામણા કરવામાં આવ્યા.... હવે કોંગ્રેસને પણ ગેનીબેન પાસેથી શીખવાનું છે.... 



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.