બનાસકાંઠાના સાંસદ બન્યા બાદ Geniben Thakorએ વાવના ધારાસભ્ય તરીકેના પદ પરથી આપ્યું રાજીનામું, સાંભળો શું કહ્યું રાજીનામું આપ્યા બાદ.


  • Published By :
  • Published Date : 2024-06-13 15:22:50

ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 25 લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે જ્યારે એક બેઠક પર ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે.. ભારતીય જનતા પાર્ટીના વિજય રથને ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં રોક્યો છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોર જીત્યા જે બાદ વાવના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આજે આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે રાજીનામું સોંપ્યું છે..


બનાસકાંઠા બેઠક પર થઈ ગેનીબેન ઠાકોરની જીત

લોકસભા ચૂંટણીમાં અનેક બેઠકો એવી હતી જે ખુબ ચર્ચામાં રહી.. બનાસકાંઠા, ભરૂચ, આણંદ જેવી બેઠકો હતી જ્યાં ઉમેદવારો વચ્ચે ટફ ફાઈટ હતી. સૌથી વધારે ચર્ચા બનાસકાંઠા બેઠકની હતી કારણ કે બંને પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી હતી. ગેનીબેન ઠાકોરે બનાસની બેન તરીકે પોતાનો પ્રચાર કર્યો જ્યારે ભાજપના ઉમેદવાર ડો. રેખા ચૌધરીએ બનાસની દીકરી તરીકે પ્રચાર કર્યો હતો. બનાસકાંઠા માટે કહેવાતું હતું કે ગેનીબેન ઠાકોરનો મુકાબલો રેખા ચૌધરી સામે નથી પરંતુ શંકર ચૌધરી સામે છે. રેખા બેન ચૌધરી પાસે સંગઠનની શક્તિ હતી, પરંતુ ગેનીબેન ઠાકોરે ત્યાં જીત હાસલ કરી...


ધારાસભ્ય પદ પરથી ગેનીબેન ઠાકોરે આપ્યું રાજીનામું 

જ્યારે લોકસભા બેઠકનું પરિણામ આવ્યું ત્યારે બનાસકાંઠાના પરિણામ પર સૌ કોઈની નજર હતી. પરિણામ પણ રસપ્રદ હતા..કોઈ વખત ગેનીબેન આગળ હોય તો કોઈ વખત રેખાબેન આગળ હોય.. રસાકસી બાદ અંતે ગેનીબેન ઠાકોર જીતી ગયા.. સાંસદ બની ગયા એટલા માટે ગેનીબેન ઠાકોરને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવું પડે.. વાવના ધારાસભ્ય તરીકે તેમણે આજે રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યું છે. ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું એટલા માટે હવે આવનાર 6 મહિનાની અંદર ત્યાં પેટા ચૂંટણી યોજાશે. હવે ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.  




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.