બનાસકાંઠાના સાંસદ બન્યા બાદ Geniben Thakorએ વાવના ધારાસભ્ય તરીકેના પદ પરથી આપ્યું રાજીનામું, સાંભળો શું કહ્યું રાજીનામું આપ્યા બાદ.


  • Published By :
  • Published Date : 2024-06-13 15:22:50

ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 25 લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે જ્યારે એક બેઠક પર ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે.. ભારતીય જનતા પાર્ટીના વિજય રથને ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં રોક્યો છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોર જીત્યા જે બાદ વાવના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આજે આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે રાજીનામું સોંપ્યું છે..


બનાસકાંઠા બેઠક પર થઈ ગેનીબેન ઠાકોરની જીત

લોકસભા ચૂંટણીમાં અનેક બેઠકો એવી હતી જે ખુબ ચર્ચામાં રહી.. બનાસકાંઠા, ભરૂચ, આણંદ જેવી બેઠકો હતી જ્યાં ઉમેદવારો વચ્ચે ટફ ફાઈટ હતી. સૌથી વધારે ચર્ચા બનાસકાંઠા બેઠકની હતી કારણ કે બંને પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી હતી. ગેનીબેન ઠાકોરે બનાસની બેન તરીકે પોતાનો પ્રચાર કર્યો જ્યારે ભાજપના ઉમેદવાર ડો. રેખા ચૌધરીએ બનાસની દીકરી તરીકે પ્રચાર કર્યો હતો. બનાસકાંઠા માટે કહેવાતું હતું કે ગેનીબેન ઠાકોરનો મુકાબલો રેખા ચૌધરી સામે નથી પરંતુ શંકર ચૌધરી સામે છે. રેખા બેન ચૌધરી પાસે સંગઠનની શક્તિ હતી, પરંતુ ગેનીબેન ઠાકોરે ત્યાં જીત હાસલ કરી...


ધારાસભ્ય પદ પરથી ગેનીબેન ઠાકોરે આપ્યું રાજીનામું 

જ્યારે લોકસભા બેઠકનું પરિણામ આવ્યું ત્યારે બનાસકાંઠાના પરિણામ પર સૌ કોઈની નજર હતી. પરિણામ પણ રસપ્રદ હતા..કોઈ વખત ગેનીબેન આગળ હોય તો કોઈ વખત રેખાબેન આગળ હોય.. રસાકસી બાદ અંતે ગેનીબેન ઠાકોર જીતી ગયા.. સાંસદ બની ગયા એટલા માટે ગેનીબેન ઠાકોરને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવું પડે.. વાવના ધારાસભ્ય તરીકે તેમણે આજે રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યું છે. ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું એટલા માટે હવે આવનાર 6 મહિનાની અંદર ત્યાં પેટા ચૂંટણી યોજાશે. હવે ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.