બનાસકાંઠાના સાંસદ બન્યા બાદ Geniben Thakorએ વાવના ધારાસભ્ય તરીકેના પદ પરથી આપ્યું રાજીનામું, સાંભળો શું કહ્યું રાજીનામું આપ્યા બાદ.


  • Published By :
  • Published Date : 2024-06-13 15:22:50

ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 25 લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે જ્યારે એક બેઠક પર ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે.. ભારતીય જનતા પાર્ટીના વિજય રથને ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં રોક્યો છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોર જીત્યા જે બાદ વાવના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આજે આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે રાજીનામું સોંપ્યું છે..


બનાસકાંઠા બેઠક પર થઈ ગેનીબેન ઠાકોરની જીત

લોકસભા ચૂંટણીમાં અનેક બેઠકો એવી હતી જે ખુબ ચર્ચામાં રહી.. બનાસકાંઠા, ભરૂચ, આણંદ જેવી બેઠકો હતી જ્યાં ઉમેદવારો વચ્ચે ટફ ફાઈટ હતી. સૌથી વધારે ચર્ચા બનાસકાંઠા બેઠકની હતી કારણ કે બંને પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી હતી. ગેનીબેન ઠાકોરે બનાસની બેન તરીકે પોતાનો પ્રચાર કર્યો જ્યારે ભાજપના ઉમેદવાર ડો. રેખા ચૌધરીએ બનાસની દીકરી તરીકે પ્રચાર કર્યો હતો. બનાસકાંઠા માટે કહેવાતું હતું કે ગેનીબેન ઠાકોરનો મુકાબલો રેખા ચૌધરી સામે નથી પરંતુ શંકર ચૌધરી સામે છે. રેખા બેન ચૌધરી પાસે સંગઠનની શક્તિ હતી, પરંતુ ગેનીબેન ઠાકોરે ત્યાં જીત હાસલ કરી...


ધારાસભ્ય પદ પરથી ગેનીબેન ઠાકોરે આપ્યું રાજીનામું 

જ્યારે લોકસભા બેઠકનું પરિણામ આવ્યું ત્યારે બનાસકાંઠાના પરિણામ પર સૌ કોઈની નજર હતી. પરિણામ પણ રસપ્રદ હતા..કોઈ વખત ગેનીબેન આગળ હોય તો કોઈ વખત રેખાબેન આગળ હોય.. રસાકસી બાદ અંતે ગેનીબેન ઠાકોર જીતી ગયા.. સાંસદ બની ગયા એટલા માટે ગેનીબેન ઠાકોરને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવું પડે.. વાવના ધારાસભ્ય તરીકે તેમણે આજે રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યું છે. ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું એટલા માટે હવે આવનાર 6 મહિનાની અંદર ત્યાં પેટા ચૂંટણી યોજાશે. હવે ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.  




૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.