સંસદમાં ગર્જ્યા Geniben Thakor, ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના લોકોનો આભાર માનતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-07-25 11:35:49

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 26માંથી 25 બેઠકો મળી છે જ્યારે એક બેઠક ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીત્યા છે. બનાસકાંઠાનું સંસદમાં પ્રતિનિધિત્વ ગેનીબેન ઠાકોર કરી રહ્યા છે. તે પહેલી વાર સાંસદ બન્યા છે. ચોમાસા સત્રમાં આજે ગેનીબેન ઠાકોર બોલ્યા હતા.. સંસદમાં તેમણે ચાંદીપુરા વાયરસને લઈ વાત કરી હતી. ગુજરાતના અનેક બાળકો ચાંદીપુરા વાયરસનો શિકાર બન્યા છે. ત્યારે સંસદમાં તેમણે સ્વાસ્થ્ય મંત્રીને વિનંતી કરી છે કે આ વાયરસ પર જલ્દી નિયંત્રણ લાવવામાં આવે. 

ચાંદીપુરા વાયરસનો વધી રહ્યો છે કહેર

ચાંદીપુરા વાયરસનો કહેર ગુજરાતમાં ઘણો જોવા મળી રહ્યો છે. અનેક બાળકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે અને અનેક બાળકોના મોત થઈ ગયા છે. પ્રતિદિન આ વાયરસનો આંકડો વધી રહ્યો છે. ગુજરાતનું આરોગ્ય મંત્રાલય આ વાયરસને લઈ ગંભીર દેખાઈ રહ્યું છે. ત્યારે સંસદમાં ગેનીબેન ઠાકોરે આ ચાંદીપુરા વાયરસનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર તથા આરોગ્ય મંત્રી જલ્દીથી જલ્દી આ રોગનું નિયંત્રણ લાવવા માટે આરોગ્ય ટીમની રચના કરે તેવી સંસદમાં રજૂઆત કરી હતી. ભાષણની શરૂઆતમાં તેમણે બનાસકાંઠાના લોકોનો આભાર માન્યો હતો. 


બનાસકાંઠા જીત્યા બાદ કોંગ્રેસમાં વધ્યો આત્મવિશ્વાસ 

મહત્વનું છે કે ગુજરાતની બનાસકાંઠા માત્ર એક જ સીટ છે જે ભાજપ હારી છે. 25 બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. જ્યારથી ધારાસભ્યમાંથી સાંસદ ગેનીબેન બન્યા છે. ત્યારથી પોલીસ તેમજ ભારતીય જનતા પાર્ટી પર અનેક વખત તેમણે આકરા પ્રહાર કર્યા છે. મહત્વનું છે કે બનાસકાંઠામાં મળેલી જીત બાદ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા છે. કોંગ્રેસમાં ઉત્સાહ આવ્યો છે. રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા હતા. ત્યારે બનાસની બેન ગેનીબેન સંસદમાં ગાજશે તેવું લાગે છે. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."