સંસદમાં ગર્જ્યા Geniben Thakor, ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના લોકોનો આભાર માનતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-07-25 11:35:49

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 26માંથી 25 બેઠકો મળી છે જ્યારે એક બેઠક ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીત્યા છે. બનાસકાંઠાનું સંસદમાં પ્રતિનિધિત્વ ગેનીબેન ઠાકોર કરી રહ્યા છે. તે પહેલી વાર સાંસદ બન્યા છે. ચોમાસા સત્રમાં આજે ગેનીબેન ઠાકોર બોલ્યા હતા.. સંસદમાં તેમણે ચાંદીપુરા વાયરસને લઈ વાત કરી હતી. ગુજરાતના અનેક બાળકો ચાંદીપુરા વાયરસનો શિકાર બન્યા છે. ત્યારે સંસદમાં તેમણે સ્વાસ્થ્ય મંત્રીને વિનંતી કરી છે કે આ વાયરસ પર જલ્દી નિયંત્રણ લાવવામાં આવે. 

ચાંદીપુરા વાયરસનો વધી રહ્યો છે કહેર

ચાંદીપુરા વાયરસનો કહેર ગુજરાતમાં ઘણો જોવા મળી રહ્યો છે. અનેક બાળકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે અને અનેક બાળકોના મોત થઈ ગયા છે. પ્રતિદિન આ વાયરસનો આંકડો વધી રહ્યો છે. ગુજરાતનું આરોગ્ય મંત્રાલય આ વાયરસને લઈ ગંભીર દેખાઈ રહ્યું છે. ત્યારે સંસદમાં ગેનીબેન ઠાકોરે આ ચાંદીપુરા વાયરસનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર તથા આરોગ્ય મંત્રી જલ્દીથી જલ્દી આ રોગનું નિયંત્રણ લાવવા માટે આરોગ્ય ટીમની રચના કરે તેવી સંસદમાં રજૂઆત કરી હતી. ભાષણની શરૂઆતમાં તેમણે બનાસકાંઠાના લોકોનો આભાર માન્યો હતો. 


બનાસકાંઠા જીત્યા બાદ કોંગ્રેસમાં વધ્યો આત્મવિશ્વાસ 

મહત્વનું છે કે ગુજરાતની બનાસકાંઠા માત્ર એક જ સીટ છે જે ભાજપ હારી છે. 25 બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. જ્યારથી ધારાસભ્યમાંથી સાંસદ ગેનીબેન બન્યા છે. ત્યારથી પોલીસ તેમજ ભારતીય જનતા પાર્ટી પર અનેક વખત તેમણે આકરા પ્રહાર કર્યા છે. મહત્વનું છે કે બનાસકાંઠામાં મળેલી જીત બાદ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા છે. કોંગ્રેસમાં ઉત્સાહ આવ્યો છે. રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા હતા. ત્યારે બનાસની બેન ગેનીબેન સંસદમાં ગાજશે તેવું લાગે છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.