સંસદમાં ગર્જ્યા Geniben Thakor, ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના લોકોનો આભાર માનતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-07-25 11:35:49

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 26માંથી 25 બેઠકો મળી છે જ્યારે એક બેઠક ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીત્યા છે. બનાસકાંઠાનું સંસદમાં પ્રતિનિધિત્વ ગેનીબેન ઠાકોર કરી રહ્યા છે. તે પહેલી વાર સાંસદ બન્યા છે. ચોમાસા સત્રમાં આજે ગેનીબેન ઠાકોર બોલ્યા હતા.. સંસદમાં તેમણે ચાંદીપુરા વાયરસને લઈ વાત કરી હતી. ગુજરાતના અનેક બાળકો ચાંદીપુરા વાયરસનો શિકાર બન્યા છે. ત્યારે સંસદમાં તેમણે સ્વાસ્થ્ય મંત્રીને વિનંતી કરી છે કે આ વાયરસ પર જલ્દી નિયંત્રણ લાવવામાં આવે. 

ચાંદીપુરા વાયરસનો વધી રહ્યો છે કહેર

ચાંદીપુરા વાયરસનો કહેર ગુજરાતમાં ઘણો જોવા મળી રહ્યો છે. અનેક બાળકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે અને અનેક બાળકોના મોત થઈ ગયા છે. પ્રતિદિન આ વાયરસનો આંકડો વધી રહ્યો છે. ગુજરાતનું આરોગ્ય મંત્રાલય આ વાયરસને લઈ ગંભીર દેખાઈ રહ્યું છે. ત્યારે સંસદમાં ગેનીબેન ઠાકોરે આ ચાંદીપુરા વાયરસનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર તથા આરોગ્ય મંત્રી જલ્દીથી જલ્દી આ રોગનું નિયંત્રણ લાવવા માટે આરોગ્ય ટીમની રચના કરે તેવી સંસદમાં રજૂઆત કરી હતી. ભાષણની શરૂઆતમાં તેમણે બનાસકાંઠાના લોકોનો આભાર માન્યો હતો. 


બનાસકાંઠા જીત્યા બાદ કોંગ્રેસમાં વધ્યો આત્મવિશ્વાસ 

મહત્વનું છે કે ગુજરાતની બનાસકાંઠા માત્ર એક જ સીટ છે જે ભાજપ હારી છે. 25 બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. જ્યારથી ધારાસભ્યમાંથી સાંસદ ગેનીબેન બન્યા છે. ત્યારથી પોલીસ તેમજ ભારતીય જનતા પાર્ટી પર અનેક વખત તેમણે આકરા પ્રહાર કર્યા છે. મહત્વનું છે કે બનાસકાંઠામાં મળેલી જીત બાદ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા છે. કોંગ્રેસમાં ઉત્સાહ આવ્યો છે. રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા હતા. ત્યારે બનાસની બેન ગેનીબેન સંસદમાં ગાજશે તેવું લાગે છે. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.