Banaskantha લોકસભા બેઠકની ટિકિટ મળતાં જ Geniben Thakorનો હુંકાર! સાંભળો મતદાતાઓને શું કરી અપીલ?


  • Published By :
  • Published Date : 2024-03-13 14:51:50

ગઈ કાલે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે જેમાં ગુજરાતની 7 બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશની એક બેઠક પર ઉમેદવારોના નામ આવી ગયા છે. પણ આ બધાની વચ્ચે જે બેઠક પર સૌથી વધારે રસપ્રદ જંગ રહેવાની છે એ છે બનાસકાંઠા બેઠક. આ બેઠક પર ભાજપ અને કોંગ્રસ બંનેએ મહિલા ઉમેદવાર ઉતાર્યા છે. ત્યારે ગઈકાલે ગેનીબેન ઠાકોરએ નામ જાહેર થાય બાદ હુંકાર કર્યો હતો. ગેનીબેન પાલનપુરના ચરોતરમાં પોતાના સમર્થકો અને કાર્યકરો વચ્ચે હતા અને સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે મને પૈસા નથી જોતાં હીરા નથી જોતાં માટે તમારા મત જોઈએ છે અને તમારે મામેરામાં મને મત આપવાના છે.

ઉમેદવારનું નામ જાહેર થાય તે પહેલા ગેનીબેને શરૂ કર્યો હતો પ્રચાર!  

ઉમેદવારોના નામને લઈ જ્યારથી ચર્ચા થઈ રહી છે ત્યારથી એવું માનવામાં આવી રહ્યું હતું કે બનાસકાંઠાની બેઠક પરથી કોંગ્રેસ ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત કરી શકે છે. આ બધા વચ્ચે ગઈકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી જેમાં ગુજરાતની અનેક બેઠકોના નામનો સમાવેશ હતો. ઉમેદવારોના નામની જાહેરાત ના થઈ હતી તે પહેલા જ ગેનીબેન પ્રચાર કરવાનું શરૂ કરી દીધું હતું. એક નિવેદન તેમણે આપ્યું હતું. તેમણે કહ્યું કે બનાસકાંઠાના બેન ગેનીબેન અને બધી મહિલાઓને સંબોધિત કર્યા હતા.  


રેખા ચૌધરી વિશે ગેનીબેન ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે.... 

બનાસકાંઠા બેઠક પરથી ભાજપે રેખા ચૌધરીને ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોરે કાર્યક્રમ દરમિયાન રેખા ચૌધરી વિશે પણ વાત કરી હતી. તેમને કહ્યું કે બંને પક્ષોએ મહિલાઓને ટિકિટ આપી છે. અનામત નહીં હોવા છતાં પણ ઉમેદવાર પસંદ કરીને બંને પક્ષોએ લોકશાહીના મૂલ્યો માટેની શરુઆત કરી છે. અને ઉમેરવાની વાત એ છે બનાસકાંઠામાં વર્ષોથી કોઈ મહિલા સાંસદ નોતું બન્યું એટલે આ વર્ષે જે પણ સાંસદ બનશે હશે એ મહિલા બનશે.

ભાજપે રેખાબેન ચૌધરીને બનાવ્યા છે ઉમેદવાર 

બંને ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર તરીકે બેઠક પર પ્રથમ વાર મહિલા ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા છે. ભાજપે રેખાબેન ચૌધારીને મેદાને ઉતાર્યા છે. રેખાબેન ચૌધરી વ્યવસાયે 20 વર્ષથી પ્રોફેસર છે. તેઓ પટેલ સમાજના અગ્રણી ગલબાભાઇ પટેલના પરિવારમાંથી આવે છે. ગલબાભાઇ પટેલના તેઓ પૌત્રી છે. એટલે ચોધારી સમાજ મોટાભાગે રેખા બેનને સમર્થન આપશે!


કોંગ્રેસે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બનાવ્યા ઉમેદવાર

હવે ગેનીબેનની વાત કરીએ તો વર્ષ 2017માં કોંગ્રેસે વાવ બેઠક પર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને પસંદ કર્યા હતા. તે સતત બીજી વાર ત્યાંથી ચુંટણી લડ્યા ગેનીબેનને આ પહેલા 2012 માં શંકર ચૌધરી સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉતર્યા હતા પણ ત્યારે તે જીતી નોહતા શક્યા પછી 2017માં પણ એ લડ્યા અને જીત્યા એટલે એ 2 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ગેનીબેનને મેદાને ઉતારવા પાછળ કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમીકરણને ધ્યાને રાખી રહ્યુ છે.અને એટલેજ બંને પક્ષોએ ચૌધરી અને ઠાકોર સમાજ વાળું સમીકરણ અપનાવ્યું છે.  ત્યારે હવે કઈ મહિલા આ બેઠક પર બાજી માંરે છે તે જોવાનું રહ્યું.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"