Banaskantha લોકસભા બેઠકની ટિકિટ મળતાં જ Geniben Thakorનો હુંકાર! સાંભળો મતદાતાઓને શું કરી અપીલ?


  • Published By :
  • Published Date : 2024-03-13 14:51:50

ગઈ કાલે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે જેમાં ગુજરાતની 7 બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશની એક બેઠક પર ઉમેદવારોના નામ આવી ગયા છે. પણ આ બધાની વચ્ચે જે બેઠક પર સૌથી વધારે રસપ્રદ જંગ રહેવાની છે એ છે બનાસકાંઠા બેઠક. આ બેઠક પર ભાજપ અને કોંગ્રસ બંનેએ મહિલા ઉમેદવાર ઉતાર્યા છે. ત્યારે ગઈકાલે ગેનીબેન ઠાકોરએ નામ જાહેર થાય બાદ હુંકાર કર્યો હતો. ગેનીબેન પાલનપુરના ચરોતરમાં પોતાના સમર્થકો અને કાર્યકરો વચ્ચે હતા અને સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે મને પૈસા નથી જોતાં હીરા નથી જોતાં માટે તમારા મત જોઈએ છે અને તમારે મામેરામાં મને મત આપવાના છે.

ઉમેદવારનું નામ જાહેર થાય તે પહેલા ગેનીબેને શરૂ કર્યો હતો પ્રચાર!  

ઉમેદવારોના નામને લઈ જ્યારથી ચર્ચા થઈ રહી છે ત્યારથી એવું માનવામાં આવી રહ્યું હતું કે બનાસકાંઠાની બેઠક પરથી કોંગ્રેસ ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત કરી શકે છે. આ બધા વચ્ચે ગઈકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી જેમાં ગુજરાતની અનેક બેઠકોના નામનો સમાવેશ હતો. ઉમેદવારોના નામની જાહેરાત ના થઈ હતી તે પહેલા જ ગેનીબેન પ્રચાર કરવાનું શરૂ કરી દીધું હતું. એક નિવેદન તેમણે આપ્યું હતું. તેમણે કહ્યું કે બનાસકાંઠાના બેન ગેનીબેન અને બધી મહિલાઓને સંબોધિત કર્યા હતા.  


રેખા ચૌધરી વિશે ગેનીબેન ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે.... 

બનાસકાંઠા બેઠક પરથી ભાજપે રેખા ચૌધરીને ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોરે કાર્યક્રમ દરમિયાન રેખા ચૌધરી વિશે પણ વાત કરી હતી. તેમને કહ્યું કે બંને પક્ષોએ મહિલાઓને ટિકિટ આપી છે. અનામત નહીં હોવા છતાં પણ ઉમેદવાર પસંદ કરીને બંને પક્ષોએ લોકશાહીના મૂલ્યો માટેની શરુઆત કરી છે. અને ઉમેરવાની વાત એ છે બનાસકાંઠામાં વર્ષોથી કોઈ મહિલા સાંસદ નોતું બન્યું એટલે આ વર્ષે જે પણ સાંસદ બનશે હશે એ મહિલા બનશે.

ભાજપે રેખાબેન ચૌધરીને બનાવ્યા છે ઉમેદવાર 

બંને ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર તરીકે બેઠક પર પ્રથમ વાર મહિલા ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા છે. ભાજપે રેખાબેન ચૌધારીને મેદાને ઉતાર્યા છે. રેખાબેન ચૌધરી વ્યવસાયે 20 વર્ષથી પ્રોફેસર છે. તેઓ પટેલ સમાજના અગ્રણી ગલબાભાઇ પટેલના પરિવારમાંથી આવે છે. ગલબાભાઇ પટેલના તેઓ પૌત્રી છે. એટલે ચોધારી સમાજ મોટાભાગે રેખા બેનને સમર્થન આપશે!


કોંગ્રેસે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બનાવ્યા ઉમેદવાર

હવે ગેનીબેનની વાત કરીએ તો વર્ષ 2017માં કોંગ્રેસે વાવ બેઠક પર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને પસંદ કર્યા હતા. તે સતત બીજી વાર ત્યાંથી ચુંટણી લડ્યા ગેનીબેનને આ પહેલા 2012 માં શંકર ચૌધરી સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉતર્યા હતા પણ ત્યારે તે જીતી નોહતા શક્યા પછી 2017માં પણ એ લડ્યા અને જીત્યા એટલે એ 2 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ગેનીબેનને મેદાને ઉતારવા પાછળ કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમીકરણને ધ્યાને રાખી રહ્યુ છે.અને એટલેજ બંને પક્ષોએ ચૌધરી અને ઠાકોર સમાજ વાળું સમીકરણ અપનાવ્યું છે.  ત્યારે હવે કઈ મહિલા આ બેઠક પર બાજી માંરે છે તે જોવાનું રહ્યું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.