Banaskantha લોકસભા બેઠકની ટિકિટ મળતાં જ Geniben Thakorનો હુંકાર! સાંભળો મતદાતાઓને શું કરી અપીલ?


  • Published By :
  • Published Date : 2024-03-13 14:51:50

ગઈ કાલે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે જેમાં ગુજરાતની 7 બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશની એક બેઠક પર ઉમેદવારોના નામ આવી ગયા છે. પણ આ બધાની વચ્ચે જે બેઠક પર સૌથી વધારે રસપ્રદ જંગ રહેવાની છે એ છે બનાસકાંઠા બેઠક. આ બેઠક પર ભાજપ અને કોંગ્રસ બંનેએ મહિલા ઉમેદવાર ઉતાર્યા છે. ત્યારે ગઈકાલે ગેનીબેન ઠાકોરએ નામ જાહેર થાય બાદ હુંકાર કર્યો હતો. ગેનીબેન પાલનપુરના ચરોતરમાં પોતાના સમર્થકો અને કાર્યકરો વચ્ચે હતા અને સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે મને પૈસા નથી જોતાં હીરા નથી જોતાં માટે તમારા મત જોઈએ છે અને તમારે મામેરામાં મને મત આપવાના છે.

ઉમેદવારનું નામ જાહેર થાય તે પહેલા ગેનીબેને શરૂ કર્યો હતો પ્રચાર!  

ઉમેદવારોના નામને લઈ જ્યારથી ચર્ચા થઈ રહી છે ત્યારથી એવું માનવામાં આવી રહ્યું હતું કે બનાસકાંઠાની બેઠક પરથી કોંગ્રેસ ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત કરી શકે છે. આ બધા વચ્ચે ગઈકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી જેમાં ગુજરાતની અનેક બેઠકોના નામનો સમાવેશ હતો. ઉમેદવારોના નામની જાહેરાત ના થઈ હતી તે પહેલા જ ગેનીબેન પ્રચાર કરવાનું શરૂ કરી દીધું હતું. એક નિવેદન તેમણે આપ્યું હતું. તેમણે કહ્યું કે બનાસકાંઠાના બેન ગેનીબેન અને બધી મહિલાઓને સંબોધિત કર્યા હતા.  


રેખા ચૌધરી વિશે ગેનીબેન ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે.... 

બનાસકાંઠા બેઠક પરથી ભાજપે રેખા ચૌધરીને ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોરે કાર્યક્રમ દરમિયાન રેખા ચૌધરી વિશે પણ વાત કરી હતી. તેમને કહ્યું કે બંને પક્ષોએ મહિલાઓને ટિકિટ આપી છે. અનામત નહીં હોવા છતાં પણ ઉમેદવાર પસંદ કરીને બંને પક્ષોએ લોકશાહીના મૂલ્યો માટેની શરુઆત કરી છે. અને ઉમેરવાની વાત એ છે બનાસકાંઠામાં વર્ષોથી કોઈ મહિલા સાંસદ નોતું બન્યું એટલે આ વર્ષે જે પણ સાંસદ બનશે હશે એ મહિલા બનશે.

ભાજપે રેખાબેન ચૌધરીને બનાવ્યા છે ઉમેદવાર 

બંને ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર તરીકે બેઠક પર પ્રથમ વાર મહિલા ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા છે. ભાજપે રેખાબેન ચૌધારીને મેદાને ઉતાર્યા છે. રેખાબેન ચૌધરી વ્યવસાયે 20 વર્ષથી પ્રોફેસર છે. તેઓ પટેલ સમાજના અગ્રણી ગલબાભાઇ પટેલના પરિવારમાંથી આવે છે. ગલબાભાઇ પટેલના તેઓ પૌત્રી છે. એટલે ચોધારી સમાજ મોટાભાગે રેખા બેનને સમર્થન આપશે!


કોંગ્રેસે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બનાવ્યા ઉમેદવાર

હવે ગેનીબેનની વાત કરીએ તો વર્ષ 2017માં કોંગ્રેસે વાવ બેઠક પર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને પસંદ કર્યા હતા. તે સતત બીજી વાર ત્યાંથી ચુંટણી લડ્યા ગેનીબેનને આ પહેલા 2012 માં શંકર ચૌધરી સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉતર્યા હતા પણ ત્યારે તે જીતી નોહતા શક્યા પછી 2017માં પણ એ લડ્યા અને જીત્યા એટલે એ 2 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ગેનીબેનને મેદાને ઉતારવા પાછળ કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમીકરણને ધ્યાને રાખી રહ્યુ છે.અને એટલેજ બંને પક્ષોએ ચૌધરી અને ઠાકોર સમાજ વાળું સમીકરણ અપનાવ્યું છે.  ત્યારે હવે કઈ મહિલા આ બેઠક પર બાજી માંરે છે તે જોવાનું રહ્યું.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.