ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી એક જ જ મંચ પર જોવા મળ્યા, કોંગ્રેસના MLA પાર્ટી સાથે છેડો ફાડશે તેવી અટકળોએ જોર પકડ્યું


  • Published By :
  • Published Date : 2023-05-16 14:19:22

કોંગ્રેસના અગ્રણી નેતા અને વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગમે ત્યારે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ રાજકિય વર્તુળોમાં જોર પકડી રહ્યું છે. ભાભરમાં સર્વ સમાજ સેવા સમિતિ દ્વારા વાલ્મિકી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નના પ્રસંગમાં ભાજપના નેતા અને વિધાનસભા અધ્યક્ષ  શંકર ચૌધરી, કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નવદંપત્તિને આશીર્વાદ આપવા માટે સમારોહ સ્થળ પર પહોંચ્યા હતા. આ કારણે ગેનીબેન ઠાકોર કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી અટકળોનું બજાર ગરમ છે. 


ગેની બેન અને શંકર ચૌધરી એક જ મંચ પર 


ભાજપના નેતા શંકર ચૌધરી અને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના રાજકારણમાં એકબીજાના કટ્ટર પ્રતિસ્પર્ધી છે. જો કે તે બંને ભાભર ખાતે વાલ્મિકી સમાજના સમુહ લગ્નમાં એક જ કારમાં સાથે આવતા તેમ જ એકબીજાના વખાણ કરતા લોકોમાં રાજકીય ક્ષેત્રે કંઈક નવાજૂની થશે તેવી ચર્ચા થઈ રહી છે. આ અગાઉ પણ ગેનીબેનએ નડાબેટ ખાતે ભાજપ સરકારના વિકાસ કાર્યોની ભરપેટ પ્રશંસા કરી હતી. તદ્દન વિરોધી વિચારણીવાળા બનાસકાંઠાના ભાજપ તેમજ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓની વાલ્મિકી સમાજના કાર્યક્રમમાં એક મંચ પર હાજરીના કારણે નવા રાજકીય સમીકરણો સર્જશે તેવી શક્યતાને નકારી શકાય નહીં. 


ગેની બેન ઠાકોરે શું કહ્યું?


વાલ્મિકી સમાજના સમુહ લગ્નમાં ઉપસ્થિત રહેલા ગેનીબેન ઠાકોરે મંચ પરથી પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ” આદિવાસીઓ વર્ષો પહેલા ખિસ્તી ધર્મમાં જોડાયા હતા. આ લોકોએ આજે ખિસ્તી ધર્મ અપનાવી IAS,IPS,મામલતદાર, TDO જેવી મહત્વની પોસ્ટ પર કાર્યરત છે, અને સુખરૂપ જીવન વિતાવી રહ્યા છે. હવે આપણને જાણવા મળ્યું છે કે દલિત સમુદાયના લોકો પણ ખિસ્તી ધર્મ તરફ વળ્યાં છે. આ ચિંતાજનક બાબત છે. માટે હું હિન્દુ ધર્મના તમામ ધર્મગુરુઓ, સંતો ,મહંતો,વડીલો અને આગેવાનો ને વિનતી કરું છું કે આપ આ લોકોને મદદ અને રક્ષણ તથા સન્માન આપવા આગળ આવો, આજે આપણે આ તમામ લોકોની મદદમાં નહીં આવીએ તો સમાજો ક્યાંક ને ક્યાંક બીજા ધર્મમાં જોડાશે. આપણે ધર્મ રક્ષા કાજે આ સેવા કાર્ય કરી આવા તમામ સમાજના લોકોની મદદ કરવી પડશે.



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?