GeniBen Thakor આ લોકસભા સીટ પરથી લડવા માગે છે ચૂંટણી, જો Congress ગેનીબેનને ટિકીટ આપે છે તો થશે મહિલા Vs મહિલાનો જંગ!


  • Published By :
  • Published Date : 2024-03-08 13:15:58

આજ સવારથી એક સમાચાર પર ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસ ગમે ત્યારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. દરેક લોકોને ઈન્તેઝારી છે એ જોવામાં કે કોંગ્રસ કોને ઉમેદવાર તરીકે ઘોષિત કરશે. એવી માહિતી સામે આવી છે કે આજે કોંગ્રેસ દ્વારા 40 ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે જેમાં દિગ્ગજ નેતાઓનો સમાવેશ હોઈ શકે છે. ગુજરાતની બેઠકો માટે પણ નામની જાહેરાત થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. આ બધા વચ્ચે ગુજરાતના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે જો હાઈકમાન્ડ ટિકીટ આપશે તો તે બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે બનાસકાંઠા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ રેખાબેન ચૌધરીના નામની જાહેરાત કરી છે. 


 

40 ઉમેદવારોના નામની કોંગ્રેસ કરી શકે છે જાહેરાત!

લોકસભા ચૂંટણીની તારીખ આગામી દિવસોમાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી પ્રેસ કોન્ફરન્સ પર સૌ કોઈની નજર રહેલી છે. ચૂંટણીની તારીખોની જેટલી ઉતાવળ હોય છે તેવી જ રીતે કઈ પાર્ટી કોને ઉમેદવાર બનાવશે તેની પણ ઉત્સુક્તા લોકોને રહેતી હોય છે. શનિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી જેમાં 195 ઉમેદવારોના નામ હતા ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આજે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. મળતી માહિતી અનુસાર 40 ઉમેદવારોના નામ  હોઈ શકે છે જેમાં દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ હોઈ શકે છે. 



આજે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી કરી શકે છે જાહેર!

ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. ભાજપની પાર્લિયામેન્ટ બોર્ડની બેઠક જ્યારથી થઈ હતી ત્યારથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે ગમે ત્યારે ઉમેદવારોના નામોની જાહેરાત થઈ શકે છે. રોજે સમાચાર આવતા હતા કે આજે ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે પરંતુ ભાજપે શનિવારે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ત્યારે બધાની નજર કોંગ્રેસના ઉમેદવારો પર હતી. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આજે ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ જાહેર કરી શકે છે અને તેમાં 40 ઉમેદવારોના નામ હોવાની સંભાવના છે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક સંપન્ન થઈ ગઈ છે અને આજે ઉમેદવારોને લઈ બનેલું સસ્પેન્સ પૂર્ણ થઈ શકે છે. 



બે સીટો પર આમ આદમી પાર્ટી ઉતારવાના છે ઉમેદવાર!

મહત્વનું છે કે ગુજરાતની બેઠકો માટે આજે ઉમેદવારોના નામની જાહેરાત થશે કે કેમ તેની પર અસમંજસ છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારવાની છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આપના ઉમેદવાર છે. ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવા જ્યારે ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા ચૂંટણી લડશે. મહત્વનું છે ભાજપે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.       


કોંગ્રેસ 24 બેઠકો પર ઉતારશે પોતાના ઉમેદવાર!  

મહત્વનું છે કે ગુજરાતની બેઠકો માટે આજે ઉમેદવારોના નામની જાહેરાત થશે કે કેમ તેની પર અસમંજસ છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારવાની છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આપના ઉમેદવાર છે. ભરૂત લોકસભા બેઠક પર ચૈતર વસાવા જ્યારે ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણા ચૂંટણી લડશે. મહત્વનું છે ભાજપે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.       




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.