GeniBen Thakor આ લોકસભા સીટ પરથી લડવા માગે છે ચૂંટણી, જો Congress ગેનીબેનને ટિકીટ આપે છે તો થશે મહિલા Vs મહિલાનો જંગ!


  • Published By :
  • Published Date : 2024-03-08 13:15:58

આજ સવારથી એક સમાચાર પર ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસ ગમે ત્યારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. દરેક લોકોને ઈન્તેઝારી છે એ જોવામાં કે કોંગ્રસ કોને ઉમેદવાર તરીકે ઘોષિત કરશે. એવી માહિતી સામે આવી છે કે આજે કોંગ્રેસ દ્વારા 40 ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે જેમાં દિગ્ગજ નેતાઓનો સમાવેશ હોઈ શકે છે. ગુજરાતની બેઠકો માટે પણ નામની જાહેરાત થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. આ બધા વચ્ચે ગુજરાતના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે જો હાઈકમાન્ડ ટિકીટ આપશે તો તે બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે બનાસકાંઠા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ રેખાબેન ચૌધરીના નામની જાહેરાત કરી છે. 


 

40 ઉમેદવારોના નામની કોંગ્રેસ કરી શકે છે જાહેરાત!

લોકસભા ચૂંટણીની તારીખ આગામી દિવસોમાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી પ્રેસ કોન્ફરન્સ પર સૌ કોઈની નજર રહેલી છે. ચૂંટણીની તારીખોની જેટલી ઉતાવળ હોય છે તેવી જ રીતે કઈ પાર્ટી કોને ઉમેદવાર બનાવશે તેની પણ ઉત્સુક્તા લોકોને રહેતી હોય છે. શનિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી જેમાં 195 ઉમેદવારોના નામ હતા ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આજે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. મળતી માહિતી અનુસાર 40 ઉમેદવારોના નામ  હોઈ શકે છે જેમાં દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ હોઈ શકે છે. 



આજે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી કરી શકે છે જાહેર!

ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. ભાજપની પાર્લિયામેન્ટ બોર્ડની બેઠક જ્યારથી થઈ હતી ત્યારથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે ગમે ત્યારે ઉમેદવારોના નામોની જાહેરાત થઈ શકે છે. રોજે સમાચાર આવતા હતા કે આજે ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે પરંતુ ભાજપે શનિવારે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ત્યારે બધાની નજર કોંગ્રેસના ઉમેદવારો પર હતી. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આજે ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ જાહેર કરી શકે છે અને તેમાં 40 ઉમેદવારોના નામ હોવાની સંભાવના છે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક સંપન્ન થઈ ગઈ છે અને આજે ઉમેદવારોને લઈ બનેલું સસ્પેન્સ પૂર્ણ થઈ શકે છે. 



બે સીટો પર આમ આદમી પાર્ટી ઉતારવાના છે ઉમેદવાર!

મહત્વનું છે કે ગુજરાતની બેઠકો માટે આજે ઉમેદવારોના નામની જાહેરાત થશે કે કેમ તેની પર અસમંજસ છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારવાની છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આપના ઉમેદવાર છે. ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવા જ્યારે ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા ચૂંટણી લડશે. મહત્વનું છે ભાજપે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.       


કોંગ્રેસ 24 બેઠકો પર ઉતારશે પોતાના ઉમેદવાર!  

મહત્વનું છે કે ગુજરાતની બેઠકો માટે આજે ઉમેદવારોના નામની જાહેરાત થશે કે કેમ તેની પર અસમંજસ છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારવાની છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આપના ઉમેદવાર છે. ભરૂત લોકસભા બેઠક પર ચૈતર વસાવા જ્યારે ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણા ચૂંટણી લડશે. મહત્વનું છે ભાજપે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.       




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે