ગેનીબેન ઠાકોર અપનાવશે ગાંધી ચિંધ્યો માર્ગ! જેલભરો આંદોલન કરવા કર્યું લોકોનું આહ્વાહન! જાણો જમાવટને શું કહ્યું ગેનીબેન ઠાકોરે?


  • Published By :
  • Published Date : 2023-07-03 11:38:23

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવતા રહે છે. ભાજપની સરકાર પર અનેક વખત તેઓ પ્રહાર કરતા દેખાય છે. કોઈ વખત તેમના નિવેદનને કારણે તો કોઈ વખત તેમની ટ્વિટને કારણે તો કોઈ વખત તેઓ ભાજપમાં જોડાય છે તેવી ચર્ચાઓને કારણે તેઓ હેડલાઈન્સમાં રહેતા હોય છે. ત્યારે તેમના એક ટ્વિટથી રાજકારણ ગરમાયું છે. ટ્વિટ કરી બનાસકાંઠાના એસપીને નિશાનો બનાવી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના એસપી પર ગંભીર આરોપો લગાવ્યા છે. એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસના કાર્યકરો તેમજ પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે. જેને લઈ તેમણે જેલભરો આંદોલન કરવાની જાહેરાત કરી છે.  


ગેનીબેન ઠાકોરની ટ્વિટથી ગરમાયું રાજકારણ 

સત્તા પક્ષ પર સત્તાનો દુરૂપયોગ થવાના આરોપો અનેક વખત વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે. અનેક વખત એવા સમાચારો સામે આવ્યા હોય છે જેમાં વિપક્ષી નેતા ભાજપ પર પ્રહાર કરતા દેખાય છે. ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે મુખ્યત્વે ચર્ચામાં હોય છે. ત્યારે ફરી તેમની એક ટ્વિટથી રાજકારણ ગરમાયું છે. 

જેલભરો આંદોલન કરવાની કરી જાહેરાત 

ટ્વિટમાં ગેનીબેન ઠાકોરે લખ્યું છે કે આપ સૌ, વાવ, થરાદ તાલુકાના તમામ સમાજના વડીલો યુવાન ભાઈઓને વિનંતી છે કે, બનાસકાંઠા એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસના કાર્યકરોને અને આમ પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. ત્યારે તેની સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા માટેનો સમય પાકી ગયો છે. ત્યારે આ બાબતે જેલભરો આંદોલન સાથે જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. આપ સૌને તારીખ અને સ્થળ એકાદ દિવસ પછી નક્કી કરીને જણાવવામાં આવશે તો આપ સૌ અસત્ય સામે સત્યની લડાઈ લડવા માટે કટિબદ્ધ બની પધારશો તેવી અમે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. મહત્વનું છે કે આ વાતને લઈ ગેનીબેન ઠાકોર પત્રકાર પરિષદ કરવાના છે. કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ તેમની ટ્વિટને રિ-ટ્વિટ કરી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.