ગેનીબેન ઠાકોર અપનાવશે ગાંધી ચિંધ્યો માર્ગ! જેલભરો આંદોલન કરવા કર્યું લોકોનું આહ્વાહન! જાણો જમાવટને શું કહ્યું ગેનીબેન ઠાકોરે?


  • Published By :
  • Published Date : 2023-07-03 11:38:23

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવતા રહે છે. ભાજપની સરકાર પર અનેક વખત તેઓ પ્રહાર કરતા દેખાય છે. કોઈ વખત તેમના નિવેદનને કારણે તો કોઈ વખત તેમની ટ્વિટને કારણે તો કોઈ વખત તેઓ ભાજપમાં જોડાય છે તેવી ચર્ચાઓને કારણે તેઓ હેડલાઈન્સમાં રહેતા હોય છે. ત્યારે તેમના એક ટ્વિટથી રાજકારણ ગરમાયું છે. ટ્વિટ કરી બનાસકાંઠાના એસપીને નિશાનો બનાવી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના એસપી પર ગંભીર આરોપો લગાવ્યા છે. એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસના કાર્યકરો તેમજ પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે. જેને લઈ તેમણે જેલભરો આંદોલન કરવાની જાહેરાત કરી છે.  


ગેનીબેન ઠાકોરની ટ્વિટથી ગરમાયું રાજકારણ 

સત્તા પક્ષ પર સત્તાનો દુરૂપયોગ થવાના આરોપો અનેક વખત વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે. અનેક વખત એવા સમાચારો સામે આવ્યા હોય છે જેમાં વિપક્ષી નેતા ભાજપ પર પ્રહાર કરતા દેખાય છે. ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે મુખ્યત્વે ચર્ચામાં હોય છે. ત્યારે ફરી તેમની એક ટ્વિટથી રાજકારણ ગરમાયું છે. 

જેલભરો આંદોલન કરવાની કરી જાહેરાત 

ટ્વિટમાં ગેનીબેન ઠાકોરે લખ્યું છે કે આપ સૌ, વાવ, થરાદ તાલુકાના તમામ સમાજના વડીલો યુવાન ભાઈઓને વિનંતી છે કે, બનાસકાંઠા એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસના કાર્યકરોને અને આમ પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. ત્યારે તેની સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા માટેનો સમય પાકી ગયો છે. ત્યારે આ બાબતે જેલભરો આંદોલન સાથે જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. આપ સૌને તારીખ અને સ્થળ એકાદ દિવસ પછી નક્કી કરીને જણાવવામાં આવશે તો આપ સૌ અસત્ય સામે સત્યની લડાઈ લડવા માટે કટિબદ્ધ બની પધારશો તેવી અમે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. મહત્વનું છે કે આ વાતને લઈ ગેનીબેન ઠાકોર પત્રકાર પરિષદ કરવાના છે. કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ તેમની ટ્વિટને રિ-ટ્વિટ કરી છે. 



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?