રસ્તાના નિર્માણ દરમિયાન ગેનીબેન ઠાકોરે લીધી સ્થળ મુલાકાત, કામગીરીને જોતા ધારાસભ્યએ લીધો આ નિર્ણય! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-21 10:45:55

ગુજરાતને વિકસીત રાજ્ય તરીકે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં પ્રસ્થાપિત કરવાની કોશિશ સત્તા પક્ષ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત મોડલ બતાવીને દેશમાં કેટલો વિકાસ થયો છે તે બતાવવાની કોશિશ કરાતી હોય છે. પરંતુ કડવી વાસ્તવિક્તા શું છે તે આપણે સૌ જાણીએ છીએ. રોડ રસ્તા પર ફરતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે. રસ્તાઓની બિસ્માર હાલત, રસ્તા પર પડતાં ખાડાઓને લઈ લોકો ત્રસ્ત છે. વિદેશથી જ્યારે મહેમાનો આવે ત્યારે રોડ રસ્તાને જે સ્થળની મુલાકાત લેવાના હોય તે સ્થળની કાયાપલટ કરી દેવામાં આવતી હોય છે. પરંતુ સામાન્ય માણસને પડતી મુશ્કેલી તો ત્યાંની ત્યાં જ હોય છે. રસ્તા પર પડતા ખાડાને લઈ લોકોએ જાણે માની લીધું હોય કે આપણે રસ્તા પરથી નહીં પરંતું ખાડા પરથી પસાર થઈ રહ્યા છીએ. ખાડામાં જો રસ્તો દેખાય તો લોકો તેને અહોભાગ્ય માનતા હોય છે. 

રસ્તાના નિર્માણ દરમિયાન થતાં ભ્રષ્ટાચાર અંગે ઘણી વખત કરાઈ છે ચર્ચા

ચોમાસા દરમિયાન રસ્તાનું ધોવાણ થતું હોય છે. પરંતુ ચોમાસા સિવાય પણ અનેક વખત એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં વ્યક્તિ એક હાથથી રસ્તા પર લાગેલા ડામરને ઉખાડતા દેખાય છે. તો કોઈ વખત ચાદરની જેમ રસ્તો આખો ઉઠતો હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો ન માત્ર લોકો પરંતુ વિપક્ષના નેતાઓ અનેક વખત લગાવે છે. ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને લઈ હમેશા ચર્ચામાં આવતા હોય છે પરંતુ આ વખતે જે કામ તેમણે કર્યું છે તે ચર્ચામાં આવ્યું છે. 

રસ્તાનું નિર્માણ પૂર્ણ ન થાય ત્યાં સુધી યુવાનોની ટીમ રાખવામાં આવશે  

રસ્તાના નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તા વાળા માલ સામાનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેવા આક્ષેપો લગાવવામાં આવતા હોય છે. રસ્તાનું નિર્માણ થતું હતું તે જગ્યાની મુલાકાત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લીધી હતી. જ્યારે ગેનીબેન ઠાકોરે ભાભર થી કટાવ વચ્ચે બની રહેલા રોડ કામની મુલાકાત લીધી ત્યારે તેમને જાણવા મળ્યું કે નિર્માણ દરમિયાન યોગ્ય ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવતું નથી. જેને લઈ યોગ્ય ગુણવત્તા વાળું મટિરીયલ વાપરવામાં આવે તેવી સૂચના આપી દીધી હતી. વાવના ધારાસભ્યે કહ્યું કે જ્યાં સુધી કામ પૂર્ણ નાં થાય ત્યાં સુધી કામગીરી દરમિયાન સ્થાનિક યુવાનોની ટીમ બનાવીને ત્યાં રાખવામાં આવશે. હવે ટીમ બની છે તો તે ત્યાં રહી નિર્માણ કાર્ય કેવી રીતે થાય છે તેની પર નજર રાખશે.   


જનતાના પૈસાએ થાય છે વિકાસના કામો!

મહત્વનું છે કે રોડ રસ્તામાં થતાં ખાડાને કારણે ન માત્ર વાહનોને નુકસાન પહોંચે છે પરંતુ માણસના શરીરને પણ કષ્ટ પહોંચે છે. રસ્તા પર પડતા ખાડા, રસ્તાના નિર્માણ પાછળ કરવામાં આવતો ખર્ચ ઉપરાંત નિર્માણ પછી સમારકામ કરવા માટે કરવામાં આવતો ખર્ચ જનતાના પૈસાએ થાય છે. જનતા જે ટેક્સ ભરે છે તે પૈસાથી વિકાસના કામો થતાં હોય છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.