રસ્તાના નિર્માણ દરમિયાન ગેનીબેન ઠાકોરે લીધી સ્થળ મુલાકાત, કામગીરીને જોતા ધારાસભ્યએ લીધો આ નિર્ણય! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-21 10:45:55

ગુજરાતને વિકસીત રાજ્ય તરીકે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં પ્રસ્થાપિત કરવાની કોશિશ સત્તા પક્ષ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત મોડલ બતાવીને દેશમાં કેટલો વિકાસ થયો છે તે બતાવવાની કોશિશ કરાતી હોય છે. પરંતુ કડવી વાસ્તવિક્તા શું છે તે આપણે સૌ જાણીએ છીએ. રોડ રસ્તા પર ફરતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે. રસ્તાઓની બિસ્માર હાલત, રસ્તા પર પડતાં ખાડાઓને લઈ લોકો ત્રસ્ત છે. વિદેશથી જ્યારે મહેમાનો આવે ત્યારે રોડ રસ્તાને જે સ્થળની મુલાકાત લેવાના હોય તે સ્થળની કાયાપલટ કરી દેવામાં આવતી હોય છે. પરંતુ સામાન્ય માણસને પડતી મુશ્કેલી તો ત્યાંની ત્યાં જ હોય છે. રસ્તા પર પડતા ખાડાને લઈ લોકોએ જાણે માની લીધું હોય કે આપણે રસ્તા પરથી નહીં પરંતું ખાડા પરથી પસાર થઈ રહ્યા છીએ. ખાડામાં જો રસ્તો દેખાય તો લોકો તેને અહોભાગ્ય માનતા હોય છે. 

રસ્તાના નિર્માણ દરમિયાન થતાં ભ્રષ્ટાચાર અંગે ઘણી વખત કરાઈ છે ચર્ચા

ચોમાસા દરમિયાન રસ્તાનું ધોવાણ થતું હોય છે. પરંતુ ચોમાસા સિવાય પણ અનેક વખત એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં વ્યક્તિ એક હાથથી રસ્તા પર લાગેલા ડામરને ઉખાડતા દેખાય છે. તો કોઈ વખત ચાદરની જેમ રસ્તો આખો ઉઠતો હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો ન માત્ર લોકો પરંતુ વિપક્ષના નેતાઓ અનેક વખત લગાવે છે. ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને લઈ હમેશા ચર્ચામાં આવતા હોય છે પરંતુ આ વખતે જે કામ તેમણે કર્યું છે તે ચર્ચામાં આવ્યું છે. 

રસ્તાનું નિર્માણ પૂર્ણ ન થાય ત્યાં સુધી યુવાનોની ટીમ રાખવામાં આવશે  

રસ્તાના નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તા વાળા માલ સામાનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેવા આક્ષેપો લગાવવામાં આવતા હોય છે. રસ્તાનું નિર્માણ થતું હતું તે જગ્યાની મુલાકાત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લીધી હતી. જ્યારે ગેનીબેન ઠાકોરે ભાભર થી કટાવ વચ્ચે બની રહેલા રોડ કામની મુલાકાત લીધી ત્યારે તેમને જાણવા મળ્યું કે નિર્માણ દરમિયાન યોગ્ય ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવતું નથી. જેને લઈ યોગ્ય ગુણવત્તા વાળું મટિરીયલ વાપરવામાં આવે તેવી સૂચના આપી દીધી હતી. વાવના ધારાસભ્યે કહ્યું કે જ્યાં સુધી કામ પૂર્ણ નાં થાય ત્યાં સુધી કામગીરી દરમિયાન સ્થાનિક યુવાનોની ટીમ બનાવીને ત્યાં રાખવામાં આવશે. હવે ટીમ બની છે તો તે ત્યાં રહી નિર્માણ કાર્ય કેવી રીતે થાય છે તેની પર નજર રાખશે.   


જનતાના પૈસાએ થાય છે વિકાસના કામો!

મહત્વનું છે કે રોડ રસ્તામાં થતાં ખાડાને કારણે ન માત્ર વાહનોને નુકસાન પહોંચે છે પરંતુ માણસના શરીરને પણ કષ્ટ પહોંચે છે. રસ્તા પર પડતા ખાડા, રસ્તાના નિર્માણ પાછળ કરવામાં આવતો ખર્ચ ઉપરાંત નિર્માણ પછી સમારકામ કરવા માટે કરવામાં આવતો ખર્ચ જનતાના પૈસાએ થાય છે. જનતા જે ટેક્સ ભરે છે તે પૈસાથી વિકાસના કામો થતાં હોય છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.