રસ્તાના નિર્માણ દરમિયાન ગેનીબેન ઠાકોરે લીધી સ્થળ મુલાકાત, કામગીરીને જોતા ધારાસભ્યએ લીધો આ નિર્ણય! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-21 10:45:55

ગુજરાતને વિકસીત રાજ્ય તરીકે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં પ્રસ્થાપિત કરવાની કોશિશ સત્તા પક્ષ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત મોડલ બતાવીને દેશમાં કેટલો વિકાસ થયો છે તે બતાવવાની કોશિશ કરાતી હોય છે. પરંતુ કડવી વાસ્તવિક્તા શું છે તે આપણે સૌ જાણીએ છીએ. રોડ રસ્તા પર ફરતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે. રસ્તાઓની બિસ્માર હાલત, રસ્તા પર પડતાં ખાડાઓને લઈ લોકો ત્રસ્ત છે. વિદેશથી જ્યારે મહેમાનો આવે ત્યારે રોડ રસ્તાને જે સ્થળની મુલાકાત લેવાના હોય તે સ્થળની કાયાપલટ કરી દેવામાં આવતી હોય છે. પરંતુ સામાન્ય માણસને પડતી મુશ્કેલી તો ત્યાંની ત્યાં જ હોય છે. રસ્તા પર પડતા ખાડાને લઈ લોકોએ જાણે માની લીધું હોય કે આપણે રસ્તા પરથી નહીં પરંતું ખાડા પરથી પસાર થઈ રહ્યા છીએ. ખાડામાં જો રસ્તો દેખાય તો લોકો તેને અહોભાગ્ય માનતા હોય છે. 

રસ્તાના નિર્માણ દરમિયાન થતાં ભ્રષ્ટાચાર અંગે ઘણી વખત કરાઈ છે ચર્ચા

ચોમાસા દરમિયાન રસ્તાનું ધોવાણ થતું હોય છે. પરંતુ ચોમાસા સિવાય પણ અનેક વખત એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં વ્યક્તિ એક હાથથી રસ્તા પર લાગેલા ડામરને ઉખાડતા દેખાય છે. તો કોઈ વખત ચાદરની જેમ રસ્તો આખો ઉઠતો હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો ન માત્ર લોકો પરંતુ વિપક્ષના નેતાઓ અનેક વખત લગાવે છે. ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને લઈ હમેશા ચર્ચામાં આવતા હોય છે પરંતુ આ વખતે જે કામ તેમણે કર્યું છે તે ચર્ચામાં આવ્યું છે. 

રસ્તાનું નિર્માણ પૂર્ણ ન થાય ત્યાં સુધી યુવાનોની ટીમ રાખવામાં આવશે  

રસ્તાના નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તા વાળા માલ સામાનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેવા આક્ષેપો લગાવવામાં આવતા હોય છે. રસ્તાનું નિર્માણ થતું હતું તે જગ્યાની મુલાકાત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લીધી હતી. જ્યારે ગેનીબેન ઠાકોરે ભાભર થી કટાવ વચ્ચે બની રહેલા રોડ કામની મુલાકાત લીધી ત્યારે તેમને જાણવા મળ્યું કે નિર્માણ દરમિયાન યોગ્ય ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવતું નથી. જેને લઈ યોગ્ય ગુણવત્તા વાળું મટિરીયલ વાપરવામાં આવે તેવી સૂચના આપી દીધી હતી. વાવના ધારાસભ્યે કહ્યું કે જ્યાં સુધી કામ પૂર્ણ નાં થાય ત્યાં સુધી કામગીરી દરમિયાન સ્થાનિક યુવાનોની ટીમ બનાવીને ત્યાં રાખવામાં આવશે. હવે ટીમ બની છે તો તે ત્યાં રહી નિર્માણ કાર્ય કેવી રીતે થાય છે તેની પર નજર રાખશે.   


જનતાના પૈસાએ થાય છે વિકાસના કામો!

મહત્વનું છે કે રોડ રસ્તામાં થતાં ખાડાને કારણે ન માત્ર વાહનોને નુકસાન પહોંચે છે પરંતુ માણસના શરીરને પણ કષ્ટ પહોંચે છે. રસ્તા પર પડતા ખાડા, રસ્તાના નિર્માણ પાછળ કરવામાં આવતો ખર્ચ ઉપરાંત નિર્માણ પછી સમારકામ કરવા માટે કરવામાં આવતો ખર્ચ જનતાના પૈસાએ થાય છે. જનતા જે ટેક્સ ભરે છે તે પૈસાથી વિકાસના કામો થતાં હોય છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.