GETCO : પરીક્ષાર્થીઓએ આપવી પડશે માત્ર આ પરીક્ષા, Yuvrajsinhએ કહ્યું આ જીત ઉમેદવારો ની એકતાની છે, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-28 10:47:50

લોકશાહીમાં અવાજ ઉઠાવીને પોતાના અધિકાર માટે લડવું કેમ જરૂરી છે એનું ઉદાહરણ છે જેટકોનું આંદોલન. જેટકો દ્વારા એક જાણકારી આપવામાં આવી છે, જેટકો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ જેટકોના પરીક્ષાર્થીઓમાં આનંદ છવાઈ ગયો છે. જાહેરાત જેમાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે ઉમેદવારો એ 9-9-23એ લેવાયેલી લેખિત પરીક્ષા આપી છે તો એ લોકોને ફરી લેખિત પરીક્ષા નહીં આપવી પડે. જે પોલ ટેસ્ટમાં ગેરરીતિની આશંકા હતી એ પોલ ટેસ્ટ તો આજે લેવાવાનો છે.

જેટકો દ્વારા કરવામાં આવી નવી જાહેરાત  

જેટકોના પરીક્ષાર્થીઓએ વડોદરા ખાતે વિરોધ કર્યો હતો. પરીક્ષામાં ગેરરીતિ થતા પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. જેનો વિરોધ પરીક્ષાર્થીઓએ કર્યો હતો. આખી રાત જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ સાથે રહ્યા હતા. કડકડતી ઠંડીમાં પણ જેટકોના પરીક્ષાર્થીઓ પોતાની માગ સાથે અડગ હતા. તે બાદ એમડી સાથે મિટીંગ થઈ અને પરીક્ષાર્થીઓએ આંદોલન સમેટી લીધું. જે નવી જાહેરાત કરવામાં આવી છે તે એ પરીક્ષાર્થીઓની જીત છે જે આંદોલન કરી રહ્યા હતા.   


યુવરાજસિંહએ આપી પ્રતિક્રિયા 

જેટલા પણ ઉમેદવારો વડોદરામાં વિરોધ કરી રહ્યા હતા આખે આખી રાત રસ્તા પર બેઠા હતા એ બધાની આજે જીત થઈ છે. આ લોકો ચૂપ રહ્યા હોત અન્યાય સામે તો સૌથી પહેલો ભોગ એમનો લેવાતો. જો ક્યાંય પણ ખોટું થઈ રહ્યું છે તો એ તમારું કર્તવ્ય છે કે અવાજ ઉઠાવો નહીં તો તમારો અવાજ દબાવવામાં આવશે. તમારા સપનાઓ કચડવામાં આવશે જો તમે અવાજ નહીં ઉપાડો તો આ આંદોલનમાં સૌથી વધારે ફાળો યુવાનેતા યુવરાજસિંહનો પણ રહ્યો છે. એ પણ યુવાનો સાથે આંદોલન કરવા પહોંચ્યા હતા તો આ નિર્ણયથી એ સંતુષ્ટ છે કે નહિ તે અંગેની તેમણે પ્રતિક્રિયા આપી છે.  



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..