GETCO : પરીક્ષાર્થીઓએ આપવી પડશે માત્ર આ પરીક્ષા, Yuvrajsinhએ કહ્યું આ જીત ઉમેદવારો ની એકતાની છે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-28 10:47:50

લોકશાહીમાં અવાજ ઉઠાવીને પોતાના અધિકાર માટે લડવું કેમ જરૂરી છે એનું ઉદાહરણ છે જેટકોનું આંદોલન. જેટકો દ્વારા એક જાણકારી આપવામાં આવી છે, જેટકો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ જેટકોના પરીક્ષાર્થીઓમાં આનંદ છવાઈ ગયો છે. જાહેરાત જેમાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે ઉમેદવારો એ 9-9-23એ લેવાયેલી લેખિત પરીક્ષા આપી છે તો એ લોકોને ફરી લેખિત પરીક્ષા નહીં આપવી પડે. જે પોલ ટેસ્ટમાં ગેરરીતિની આશંકા હતી એ પોલ ટેસ્ટ તો આજે લેવાવાનો છે.

જેટકો દ્વારા કરવામાં આવી નવી જાહેરાત  

જેટકોના પરીક્ષાર્થીઓએ વડોદરા ખાતે વિરોધ કર્યો હતો. પરીક્ષામાં ગેરરીતિ થતા પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. જેનો વિરોધ પરીક્ષાર્થીઓએ કર્યો હતો. આખી રાત જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ સાથે રહ્યા હતા. કડકડતી ઠંડીમાં પણ જેટકોના પરીક્ષાર્થીઓ પોતાની માગ સાથે અડગ હતા. તે બાદ એમડી સાથે મિટીંગ થઈ અને પરીક્ષાર્થીઓએ આંદોલન સમેટી લીધું. જે નવી જાહેરાત કરવામાં આવી છે તે એ પરીક્ષાર્થીઓની જીત છે જે આંદોલન કરી રહ્યા હતા.   


યુવરાજસિંહએ આપી પ્રતિક્રિયા 

જેટલા પણ ઉમેદવારો વડોદરામાં વિરોધ કરી રહ્યા હતા આખે આખી રાત રસ્તા પર બેઠા હતા એ બધાની આજે જીત થઈ છે. આ લોકો ચૂપ રહ્યા હોત અન્યાય સામે તો સૌથી પહેલો ભોગ એમનો લેવાતો. જો ક્યાંય પણ ખોટું થઈ રહ્યું છે તો એ તમારું કર્તવ્ય છે કે અવાજ ઉઠાવો નહીં તો તમારો અવાજ દબાવવામાં આવશે. તમારા સપનાઓ કચડવામાં આવશે જો તમે અવાજ નહીં ઉપાડો તો આ આંદોલનમાં સૌથી વધારે ફાળો યુવાનેતા યુવરાજસિંહનો પણ રહ્યો છે. એ પણ યુવાનો સાથે આંદોલન કરવા પહોંચ્યા હતા તો આ નિર્ણયથી એ સંતુષ્ટ છે કે નહિ તે અંગેની તેમણે પ્રતિક્રિયા આપી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.