GETCO : પરીક્ષાર્થીઓએ આપવી પડશે માત્ર આ પરીક્ષા, Yuvrajsinhએ કહ્યું આ જીત ઉમેદવારો ની એકતાની છે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-28 10:47:50

લોકશાહીમાં અવાજ ઉઠાવીને પોતાના અધિકાર માટે લડવું કેમ જરૂરી છે એનું ઉદાહરણ છે જેટકોનું આંદોલન. જેટકો દ્વારા એક જાણકારી આપવામાં આવી છે, જેટકો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ જેટકોના પરીક્ષાર્થીઓમાં આનંદ છવાઈ ગયો છે. જાહેરાત જેમાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે ઉમેદવારો એ 9-9-23એ લેવાયેલી લેખિત પરીક્ષા આપી છે તો એ લોકોને ફરી લેખિત પરીક્ષા નહીં આપવી પડે. જે પોલ ટેસ્ટમાં ગેરરીતિની આશંકા હતી એ પોલ ટેસ્ટ તો આજે લેવાવાનો છે.

જેટકો દ્વારા કરવામાં આવી નવી જાહેરાત  

જેટકોના પરીક્ષાર્થીઓએ વડોદરા ખાતે વિરોધ કર્યો હતો. પરીક્ષામાં ગેરરીતિ થતા પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. જેનો વિરોધ પરીક્ષાર્થીઓએ કર્યો હતો. આખી રાત જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ સાથે રહ્યા હતા. કડકડતી ઠંડીમાં પણ જેટકોના પરીક્ષાર્થીઓ પોતાની માગ સાથે અડગ હતા. તે બાદ એમડી સાથે મિટીંગ થઈ અને પરીક્ષાર્થીઓએ આંદોલન સમેટી લીધું. જે નવી જાહેરાત કરવામાં આવી છે તે એ પરીક્ષાર્થીઓની જીત છે જે આંદોલન કરી રહ્યા હતા.   


યુવરાજસિંહએ આપી પ્રતિક્રિયા 

જેટલા પણ ઉમેદવારો વડોદરામાં વિરોધ કરી રહ્યા હતા આખે આખી રાત રસ્તા પર બેઠા હતા એ બધાની આજે જીત થઈ છે. આ લોકો ચૂપ રહ્યા હોત અન્યાય સામે તો સૌથી પહેલો ભોગ એમનો લેવાતો. જો ક્યાંય પણ ખોટું થઈ રહ્યું છે તો એ તમારું કર્તવ્ય છે કે અવાજ ઉઠાવો નહીં તો તમારો અવાજ દબાવવામાં આવશે. તમારા સપનાઓ કચડવામાં આવશે જો તમે અવાજ નહીં ઉપાડો તો આ આંદોલનમાં સૌથી વધારે ફાળો યુવાનેતા યુવરાજસિંહનો પણ રહ્યો છે. એ પણ યુવાનો સાથે આંદોલન કરવા પહોંચ્યા હતા તો આ નિર્ણયથી એ સંતુષ્ટ છે કે નહિ તે અંગેની તેમણે પ્રતિક્રિયા આપી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.