GETCO : પોતાની ભૂલની ફરીથી પરીક્ષા અને છોકરાઓને કહે છે ઉંમર પૂરી થઈ ગઈ!Viral Audio અને Yuvrajsinhની પ્રતિક્રિયા પણ સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-26 16:34:36

ગુજરાતમાં થોડા દિવસ પહેલા જેટકોના પરીક્ષાર્થી વિરોધ કરી રહ્યા હતા. વડોદરામાં આવેલી જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ઘેરાવો કર્યો હતો. આખી રાત ઓફિસની બહાર બેઠા અને તે બાદ જેટકોના એમડી સાથે વાત કરી હતી અને એવા નિર્ણય પર પહોંચ્યા હતા કે માત્ર પોલ એકઝામ આપવાની રહેશે. વાતનો સ્વીકાર પણ થયો અને વિરોધ પૂર્ણ થઈ ગયો. પોલ એક્ઝામ માટે તૈયાર થયા ત્યારે તેમની સાથે હડહડતો અન્યાય થયો છે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી કારણ કે અનેક ઉમેદવારો એવા છે જેમની વય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. વય મર્યાદામાં ન હોવાને કારણે અનેક ઉમેદવારો આ પરીક્ષાથી વંચિત રહી જશે.

પરીક્ષાર્થીઓએ કર્યો હતો જેટકો ઓફિસનો ઘેરાવો 

અનેક પરીક્ષાઓ એવી હોય છે જે રદ્દ થઈ છે કારણ કે પરીક્ષાઓમાં ગેરરીતિ થતી હોય છે. આપણી સામે અનેક એવા ઉદારણો છે જેમાં પરીક્ષાઓ રદ્દ એટલા માટે થાય છે કારણ કે કોઈ વખત પેપર ફૂટી જાય છે તો કોઈ વખત પરીક્ષામાં ગેરરીતિ થાય છે. ન માત્ર પરીક્ષાઓ પરંતુ અનેક ભરતીઓ પણ આને કારણે રદ્દ થતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા જેટકોની ભરતી રદ્દ થઈ કારણ કે પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. તે આખી ઘટના આપણે જાણીએ છીએ. 

   

યુવરાજસિંહે પૂછ્યા અનેક સવાલ 

વડોદરા જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓએ ધરણા કર્યા હતા. ઠંડીમાં પણ તેઓ ઓફિસની બહાર અડીખમ બેઠા રહ્યા. વિરોધ વધે તે પહેલા પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી, પરીક્ષા નહીં આપે તેવી વાત પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી. જેટકો મામલો શાંત થયો એવું લાગ્યું ત્યારે તો એક સમાચાર એવા આવ્યા કે અનેક પરીક્ષાર્થીઓ આ ભરતી માટે લાયક નથી કારણ કે જે વય મર્યાદા હોય તે તેમાં ફિટ નથી બેસતા. એક ઓડિયો ક્લીપ આવી વાતચીતનો વાયરલ થયો છે. ઉમેદવારનો પોતાની ઉંમર વધે એમાં શું એનું નિયંત્રણ હોય? જે પરીક્ષા રદ્દ થઈ છે તે રદ્દ થવા પાછળનું કારણ જાણીએ છીએ. પોલ ટેસ્ટમાં ક્ષતિ ઉમેદવારોને કારણે નહીં પરંતુ અધિકારીની અણઆવડતને કારણે થઈ છે.

અધિકારીઓના ભૂલની સજા ભોગવે છે પરીક્ષાર્થીઓ 

મહત્વનું છે કે આજસુધી જે પરીક્ષાઓ ગુજરાતમાં રદ્દ થઈ છે તે મુખ્યત્વે અધિકારીઓના પાપે રદ્દ થઈ છે. આ તો એવી સ્થિતિ સર્જાઈ કે પાપ કરે કોઈ અને ભોગવે કોઈએ.. ક્યાં સુધી કોઈ અધિકારીના ભૂલની સજા સામાન્ય પરીક્ષાર્થી ભોગવે? શું સરકાર મીઠા ઝાડના મૂળિયા નથી કાપી રહી? 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.