GETCO : પોતાની ભૂલની ફરીથી પરીક્ષા અને છોકરાઓને કહે છે ઉંમર પૂરી થઈ ગઈ!Viral Audio અને Yuvrajsinhની પ્રતિક્રિયા પણ સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-26 16:34:36

ગુજરાતમાં થોડા દિવસ પહેલા જેટકોના પરીક્ષાર્થી વિરોધ કરી રહ્યા હતા. વડોદરામાં આવેલી જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ઘેરાવો કર્યો હતો. આખી રાત ઓફિસની બહાર બેઠા અને તે બાદ જેટકોના એમડી સાથે વાત કરી હતી અને એવા નિર્ણય પર પહોંચ્યા હતા કે માત્ર પોલ એકઝામ આપવાની રહેશે. વાતનો સ્વીકાર પણ થયો અને વિરોધ પૂર્ણ થઈ ગયો. પોલ એક્ઝામ માટે તૈયાર થયા ત્યારે તેમની સાથે હડહડતો અન્યાય થયો છે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી કારણ કે અનેક ઉમેદવારો એવા છે જેમની વય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. વય મર્યાદામાં ન હોવાને કારણે અનેક ઉમેદવારો આ પરીક્ષાથી વંચિત રહી જશે.

પરીક્ષાર્થીઓએ કર્યો હતો જેટકો ઓફિસનો ઘેરાવો 

અનેક પરીક્ષાઓ એવી હોય છે જે રદ્દ થઈ છે કારણ કે પરીક્ષાઓમાં ગેરરીતિ થતી હોય છે. આપણી સામે અનેક એવા ઉદારણો છે જેમાં પરીક્ષાઓ રદ્દ એટલા માટે થાય છે કારણ કે કોઈ વખત પેપર ફૂટી જાય છે તો કોઈ વખત પરીક્ષામાં ગેરરીતિ થાય છે. ન માત્ર પરીક્ષાઓ પરંતુ અનેક ભરતીઓ પણ આને કારણે રદ્દ થતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા જેટકોની ભરતી રદ્દ થઈ કારણ કે પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. તે આખી ઘટના આપણે જાણીએ છીએ. 

   

યુવરાજસિંહે પૂછ્યા અનેક સવાલ 

વડોદરા જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓએ ધરણા કર્યા હતા. ઠંડીમાં પણ તેઓ ઓફિસની બહાર અડીખમ બેઠા રહ્યા. વિરોધ વધે તે પહેલા પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી, પરીક્ષા નહીં આપે તેવી વાત પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી. જેટકો મામલો શાંત થયો એવું લાગ્યું ત્યારે તો એક સમાચાર એવા આવ્યા કે અનેક પરીક્ષાર્થીઓ આ ભરતી માટે લાયક નથી કારણ કે જે વય મર્યાદા હોય તે તેમાં ફિટ નથી બેસતા. એક ઓડિયો ક્લીપ આવી વાતચીતનો વાયરલ થયો છે. ઉમેદવારનો પોતાની ઉંમર વધે એમાં શું એનું નિયંત્રણ હોય? જે પરીક્ષા રદ્દ થઈ છે તે રદ્દ થવા પાછળનું કારણ જાણીએ છીએ. પોલ ટેસ્ટમાં ક્ષતિ ઉમેદવારોને કારણે નહીં પરંતુ અધિકારીની અણઆવડતને કારણે થઈ છે.

અધિકારીઓના ભૂલની સજા ભોગવે છે પરીક્ષાર્થીઓ 

મહત્વનું છે કે આજસુધી જે પરીક્ષાઓ ગુજરાતમાં રદ્દ થઈ છે તે મુખ્યત્વે અધિકારીઓના પાપે રદ્દ થઈ છે. આ તો એવી સ્થિતિ સર્જાઈ કે પાપ કરે કોઈ અને ભોગવે કોઈએ.. ક્યાં સુધી કોઈ અધિકારીના ભૂલની સજા સામાન્ય પરીક્ષાર્થી ભોગવે? શું સરકાર મીઠા ઝાડના મૂળિયા નથી કાપી રહી? 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.