GETCO : પોતાની ભૂલની ફરીથી પરીક્ષા અને છોકરાઓને કહે છે ઉંમર પૂરી થઈ ગઈ!Viral Audio અને Yuvrajsinhની પ્રતિક્રિયા પણ સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-26 16:34:36

ગુજરાતમાં થોડા દિવસ પહેલા જેટકોના પરીક્ષાર્થી વિરોધ કરી રહ્યા હતા. વડોદરામાં આવેલી જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ઘેરાવો કર્યો હતો. આખી રાત ઓફિસની બહાર બેઠા અને તે બાદ જેટકોના એમડી સાથે વાત કરી હતી અને એવા નિર્ણય પર પહોંચ્યા હતા કે માત્ર પોલ એકઝામ આપવાની રહેશે. વાતનો સ્વીકાર પણ થયો અને વિરોધ પૂર્ણ થઈ ગયો. પોલ એક્ઝામ માટે તૈયાર થયા ત્યારે તેમની સાથે હડહડતો અન્યાય થયો છે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી કારણ કે અનેક ઉમેદવારો એવા છે જેમની વય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. વય મર્યાદામાં ન હોવાને કારણે અનેક ઉમેદવારો આ પરીક્ષાથી વંચિત રહી જશે.

પરીક્ષાર્થીઓએ કર્યો હતો જેટકો ઓફિસનો ઘેરાવો 

અનેક પરીક્ષાઓ એવી હોય છે જે રદ્દ થઈ છે કારણ કે પરીક્ષાઓમાં ગેરરીતિ થતી હોય છે. આપણી સામે અનેક એવા ઉદારણો છે જેમાં પરીક્ષાઓ રદ્દ એટલા માટે થાય છે કારણ કે કોઈ વખત પેપર ફૂટી જાય છે તો કોઈ વખત પરીક્ષામાં ગેરરીતિ થાય છે. ન માત્ર પરીક્ષાઓ પરંતુ અનેક ભરતીઓ પણ આને કારણે રદ્દ થતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા જેટકોની ભરતી રદ્દ થઈ કારણ કે પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. તે આખી ઘટના આપણે જાણીએ છીએ. 

   

યુવરાજસિંહે પૂછ્યા અનેક સવાલ 

વડોદરા જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓએ ધરણા કર્યા હતા. ઠંડીમાં પણ તેઓ ઓફિસની બહાર અડીખમ બેઠા રહ્યા. વિરોધ વધે તે પહેલા પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી, પરીક્ષા નહીં આપે તેવી વાત પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી. જેટકો મામલો શાંત થયો એવું લાગ્યું ત્યારે તો એક સમાચાર એવા આવ્યા કે અનેક પરીક્ષાર્થીઓ આ ભરતી માટે લાયક નથી કારણ કે જે વય મર્યાદા હોય તે તેમાં ફિટ નથી બેસતા. એક ઓડિયો ક્લીપ આવી વાતચીતનો વાયરલ થયો છે. ઉમેદવારનો પોતાની ઉંમર વધે એમાં શું એનું નિયંત્રણ હોય? જે પરીક્ષા રદ્દ થઈ છે તે રદ્દ થવા પાછળનું કારણ જાણીએ છીએ. પોલ ટેસ્ટમાં ક્ષતિ ઉમેદવારોને કારણે નહીં પરંતુ અધિકારીની અણઆવડતને કારણે થઈ છે.

અધિકારીઓના ભૂલની સજા ભોગવે છે પરીક્ષાર્થીઓ 

મહત્વનું છે કે આજસુધી જે પરીક્ષાઓ ગુજરાતમાં રદ્દ થઈ છે તે મુખ્યત્વે અધિકારીઓના પાપે રદ્દ થઈ છે. આ તો એવી સ્થિતિ સર્જાઈ કે પાપ કરે કોઈ અને ભોગવે કોઈએ.. ક્યાં સુધી કોઈ અધિકારીના ભૂલની સજા સામાન્ય પરીક્ષાર્થી ભોગવે? શું સરકાર મીઠા ઝાડના મૂળિયા નથી કાપી રહી? 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."