ગુલામ નબી આઝાદ આજે નવી પાર્ટીના નામની જાહેરાત કરી શકે છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 09:08:16

ગુલામ નબી આઝાદની નવી પાર્ટીનું નામ અને ધ્વજ ફાઈનલ થઈ ગયો છે. આઝાદ આજે નવરાત્રીના પહેલા દિવસ પર પાર્ટીના નામની જાહેરાત કરી શકે છે. આ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આઝાદ જમ્મુ-કાશ્મીરની ચાર દિવસીય મુલાકાતે ગયા રવિવારે સવારે જમ્મુ પહોંચ્યા હતા.

Ghulam Nabi Azad revealed his true character: Congress on resignation | Mint

ગુલામ નબી આઝાદની ફાઇલ તસવીર 


જમ્મુ એરપોર્ટથી આઝાદ સીધા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા

પોતાના નિવાસસ્થાનની બહાર પત્રકારો સાથેની ટૂંકી વાતચીતમાં આઝાદે કહ્યું કે હું અહીં નેતાઓ અને કાર્યકરોને મળવા આવ્યો છું. પાર્ટીની શરૂઆત કરતા પહેલા હું સોમવારે મીડિયાને આમંત્રિત કરીશ. તેના નજીકના મિત્રોના જણાવ્યા અનુસાર નામ અને ધ્વજ ફાઈનલ થઈ ગયો છે. ટૂંક સમયમાં એક-બે દિવસમાં તે જાહેર થશે. સૂત્રોએ જણાવ્યું કે આઝાદ આજે નવરાત્રિ પર પાર્ટીના નામની જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યા છે.


આઝાદના નિવાસસ્થાને દિવસભર બેઠકોનો દોર ચાલ્યો

પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારાચંદ, ડો.મનોહર લાલ શર્મા, જીએમ સરોરી, અબ્દુલ મજીદ વાની, બલવાન સિંહ, ગૌરવ ચોપરા, જુગલ કિશોર વગેરેએ ભાગ લીધો હતો. આ દરમિયાન પાર્ટીના નામની ચર્ચા થઈ હતી. જમ્મુની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ આઝાદ 27 સપ્ટેમ્બરે શ્રીનગર જશે. તેઓ બે દિવસ કાશ્મીરમાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે.


પંદર હજારથી વધુ લોકોએ આઝાદને પાર્ટીનું નામ સૂચવ્યું

જમ્મુ અને કાશ્મીરના પંદર હજારથી વધુ લોકોએ આઝાદને પાર્ટીનું નામ સૂચવ્યું હતું. જો કે તેમણે દિલ્હીમાં પાર્ટીના નામ પર ચર્ચા કરી છે, પરંતુ તેને અંતિમ સ્વરૂપ આપવા માટે તેમણે જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે પણ વિગતવાર ચર્ચા કરી છે. સપ્ટેમ્બર મહિનામાં ગુલામ નબી આઝાદની આ બીજી મુલાકાત છે. આ પહેલા કોંગ્રેસ છોડ્યા બાદ તેઓ 4 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીર આવ્યા હતા. તેમણે રેલીઓ યોજી અને 400 થી વધુ પ્રતિનિધિમંડળો સાથે વાતચીત કરી


પાર્ટીનો એજન્ડા સ્પષ્ટ કરવામાં આવ્યો હતો

પાર્ટીનો એજન્ડા સ્પષ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ પાર્ટીનું નામ નક્કી થઈ શક્યું નથી. આઝાદે અનુચ્છેદ 370 પર પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો છે કે આ કલમ પરત કરી શકાતી નથી કારણ કે તેના માટે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. તેમણે કહ્યું છે કે તેમની પાર્ટી જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા, સ્થાનિક લોકોને નોકરીઓ અને જમીન અધિકારો સુરક્ષિત કરવા માટે લડશે.તે મહિલાઓનું સન્માન, કાશ્મીરી સ્થળાંતર કરનારાઓનું પુનર્વસન, દરેક ક્ષેત્રમાં સમાન વિકાસ પર કામ કરશે. કોંગ્રેસના મોટાભાગના નેતાઓ આઝાદના સમર્થનમાં પાર્ટી છોડી ચૂક્યા છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.