ગિફ્ટ સીટીનું થશે વિસ્તરણ, ગાંધીનગરના ચાર ગામને સમાવવામાં આવશે, વિસ્તાર વધીને 157 એકર થશે


  • Published By :
  • Published Date : 2023-12-24 14:26:20

ગુજરાત સરકારે ગાંધીનગર નજીક આવેલી ગિફ્ટ સીટીમાં દારૂના સેવનની મંજુરી આપી ત્યારથી આ મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે ગિફ્ટ સિટીના વિકાસ માટે સરકારે આજે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. 35 એકરમાં ફેલાયેલી ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરવા માટે અને તેના વધુ વિકાસ માટે આ સિટીમાં ગાંધીનગર તાલુકાના ચાર ગામને સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ચાર ગામોનો 122 એકર વિસ્તાર ગિફ્ટ સિટીની અંદર આવરી લેવામાં આવશે. 


આ ગામોનો થશે સમાવેશ


ગિફ્ટ સિટીના વિકાસ અને વિસ્તાર માટે ગાંધીનગરના શાહપુર, ડભોડા, લવારપુર અને વલાદ ગામ ગિફ્ટ સિટીમાં ભેળવવામાં આવી શકે છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ અહીં ગિફ્ટ સિટીની અંદર મિની એયરપોર્ટનું  પણ  નિર્માણ કરવામાં આવશે, ઉપરાંત ગિફ્ટ સિટીની અંદર ચારથી છ ફાઈવ સ્ટાર હોટલ પણ બનશે. આગામી દિવસોમાં ગિફ્ટ સિટીનો વિસ્તાર વધારીને 157 એકર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.  


ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર થશે


રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગે શુક્રવારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ વહેંચવા અને પીવા પર મંજૂરની મોહર લગાવી છે. જો કે, ગિફ્ટ સિટીમાં દારૂ પીવાશે, પરંતુ પીધા બાદ બહાર આવવાને લઈને સસ્પેન્સ છે. નશાબંધીની ધારા 24-1-ખ અંતર્ગત દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. આ મામલે વિગતવાર ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર થઇ શકે છે. નોંધનિય છે કે, નશાબંધીની ધારા 24-1-ખને ધ્યાનમાં રાખી નિયમો  તૈયાર થશે.  મુંબઈની જેમ ગિફ્ટ સિટીમાં પણ FL3 લાયસન્સ સાથે દારૂ પીરસવાનો પરવાનો આપવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ FL1 અને FL2 પ્રકારના લાયસન્સ અપાયા છે. FL1  લાયસન્સ હોલ્ડરને દારૂ હોલસેલમાં વેચવાનો પરવાનો આપે છે. FL2 લાયસન્સ અંતર્ગત પરમિટ ધરાવનારાઓને રિટેલ દારૂ વેચવાનો પરવાનો મળે છે FL3 લાયસન્સ અંતર્ગત પરવાનાના નિયમો તૈયાર થઈ રહ્યા છે. ગિફ્ટ સિટીની હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટોને  FL3 લાયસન્સના પરવાના હેઠળ દારૂ પીરસવામં આવશે.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.