DryState વાળા Gujaratમાંથી GIFTCity બાકાત! Rushikesh Patelને અંધારામાં રખાયા અને સરકારે લઈ લીધો આ નિર્ણય! સાંભળો મંત્રીનું જુનું નિવેદન


  • Published By :
  • Published Date : 2023-12-23 14:44:08

ગઈકાલથી દરેક જગ્યા પર એક વાતની ચર્ચા થઈ રહી છે. ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી છે. આ વાતને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ વિરોધ કરી રહ્યા છે. એક તરફ સરકારે દારૂબંધીમાંથી ગાંધીનગરના ગિફ્ટસીટીમાં છુટછાટ આપી છે તો બીજી તરફ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે થોડા દિવસ પહેલા આપેલું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. જેમાં ઋષિકેશ પટેલ કહી રહ્યા હતા કે ગુજરાતમાં દારૂ પીવાની મંજુરી ન આપી શકાય.    

ગુજરાત દારૂબંધી વાળું રાજ્ય છે. ક્યારે પણ.... - ઋષિકેશ પટેલ 

થોડા દિવસો પહેલા સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે દારૂબંધીને લઈ નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે ગુજરાત દારૂબંધીવાળું રાજ્ય છે. એટલે ક્યારે પણ એ અંગે કોઈ કરાર કે વેપાર કરવાની મંજૂરી ગુજરાત ન આપી શકે. .. ગુજરાતમાં ઉત્પાદન પણ ન થઈ શકે અને પીવાની પણ મંજૂરી ન આપી શકે. જ્યારે ગઈ કાલે જ સરકારે મોટો નિર્ણય લીધો છે કે ગિફ્ટસિટીમાં વાઇન એંડ ડાઈન શરૂ કરી દેવામાં આવશે! મંત્રીના નિવેદનને થોડા કલાકો જ થયા અને સરકાર દ્વારા આવો નિર્ણય કરવામાં આવ્યો.  

ગુજરાત ગ્લોબલ સમીટની પ્રવક્તા મંત્રીએ આપી હતી જાણકારી  

જ્યારે ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું ત્યારે એ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટેની પત્રકાર પરિષદ કરી રહ્યા હતા. ઋષિકેશ પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ મામલે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે 10મી વાઇબ્રન્ટ ગુજરાતમાં ઐતિહાસિક બની રહેશે. જેમાં 25 જેટલા દેશો વાઇબ્રન્ટ ગુજરાતના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાશે. 16 જેટલી સંસ્થા પાર્ટન ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાશે. 72 દેશોના 75 હજાર ડેલીગેટ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે રજીસ્ટેશન કરાવ્યું છે.



પ્રેક્ટિકલ થઈ સરકારના નિર્ણય અંગે વિચારવું પડશે!

આ નિર્ણયને તમે કઈ રીતે જુઓ છો એ ખબર નથી પરંતુ પ્રેક્ટિકલી એ ફોરેન બિઝનેસ અને ઇન્વેસ્ટર માટે સારી રીતે જોવામાં આવે છે ભાજપ પક્ષ તરીકે આમાં ખોટું પડ્યું છે કારણકે પહેલાથી ભાજપે આનો વિરોધ કર્યો છે જ્યારે શંકરસિંહ વાઘેલાએ દારૂની છૂટ વિષે કહ્યું હતું ત્યારે પણ ભાજપએ ના કહી હતી અને અત્યારે ભાજપની સરકાર માજ આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ ઘટનાને જોતા પ્રશ્ન પૂછવાનું મન થાય કે પ્રવક્તા મંત્રીને અંધારામાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે પછી ગાંધીનગર ગુજરાતમાં નથી આવતું? 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી