ગીરની ગાયોની અસલ નસલને બચાવવા માટે અમરેલીમાં અભિયાન, IVF વાનનું લોકાર્પણ


  • Published By :
  • Published Date : 2023-01-03 14:51:58

ગીરની ગાયો દુનિયાભરમાં પ્રખ્યાત છે, એક જ સમયે 15 લિટર દુધ આપવા સક્ષમ ગીરની અસલ ગાયની ઓલાદ ધીરે-ધીરે ઘટી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દેશમાં અસલ ગીરની ગાયની ઓલાદો આગામી એક દાયકામાં લુપ્ત થઈ જશે. ગીરની જાતવાન ગાયોની અસલ નસ્લને બચાવવા માટે અમરેલીમાં ખાસ અમરેલીમા આઇવીએફ લેબ કાર્યરત થઇ ગઇ છે. આ ઉપક્રમે IVF વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે માત્ર નવ સ્થળે જ ગીરની ઓરીજનલ નસલ જળવાય છે, ત્યારે આવનારા એક દાયકામા અમરેલીમા મોટા પ્રમાણમા અસલ નસલની ગીર ગાય પેદા થાય તેવું મહાઅભિયાન હાથ ધરવામા આવ્યું છે. 


IVF વાન શા માટે?


અમરેલીમાં દેશની સૌપ્રથમ IVF વાન દ્વારા ગીરની ગાયોનું સંવર્ધન કરવામાં આવશે. IVF વાનમાં ઓરીજનલ ગીર નસલના આખલાના શુક્રાણુ તથા ગાયના અંડ મારફત લેબમાં ભ્રુણને વિકસાવવામા આવશે. આ ભ્રુણનુ કોઇપણ ગાયમા આરોપણ કરવામા આવશે. આ એક રીતે કોઈ પણ ગાય દ્વારા વાછરડુ ગીર નસલનુ જ પેદા થશે. IVFની મદદથી ખુબ જ ઝડપથી ગીર ગાયની સંખ્યા વધારી શકાશે.


ગીર ગાય સંવર્ધન ખર્ચ કોણ ભોગવશે?


કેન્દ્રીય પશુપાલન મંત્રાલય, રાજય સરકાર અને અમર ડેરીના સંયુકત ઉપક્રમે આ ભગીરથ કાર્ય હાથ પર લેવાયું છે.  IVF ટેકનોલોજીની મદદથી ગીર ગાયના સંવર્ધન પાછળ 21 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે.  આ ગર્ભધાનના તમામ ખર્ચમાંથી  કેટલીક રકમ કેન્દ્ર સરકાર, અમુલ ફેડરેશન અને બાકીની રકમ અમર ડેરી ભોગવશે. શરૂઆતમા 200 ગાયોને IVF ટ્રીટમેન્ટ આપી વાછરડા પેદા કરવાનુ આયોજન કરાયું છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.