ગીરની ગાયોની અસલ નસલને બચાવવા માટે અમરેલીમાં અભિયાન, IVF વાનનું લોકાર્પણ


  • Published By :
  • Published Date : 2023-01-03 14:51:58

ગીરની ગાયો દુનિયાભરમાં પ્રખ્યાત છે, એક જ સમયે 15 લિટર દુધ આપવા સક્ષમ ગીરની અસલ ગાયની ઓલાદ ધીરે-ધીરે ઘટી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દેશમાં અસલ ગીરની ગાયની ઓલાદો આગામી એક દાયકામાં લુપ્ત થઈ જશે. ગીરની જાતવાન ગાયોની અસલ નસ્લને બચાવવા માટે અમરેલીમાં ખાસ અમરેલીમા આઇવીએફ લેબ કાર્યરત થઇ ગઇ છે. આ ઉપક્રમે IVF વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે માત્ર નવ સ્થળે જ ગીરની ઓરીજનલ નસલ જળવાય છે, ત્યારે આવનારા એક દાયકામા અમરેલીમા મોટા પ્રમાણમા અસલ નસલની ગીર ગાય પેદા થાય તેવું મહાઅભિયાન હાથ ધરવામા આવ્યું છે. 


IVF વાન શા માટે?


અમરેલીમાં દેશની સૌપ્રથમ IVF વાન દ્વારા ગીરની ગાયોનું સંવર્ધન કરવામાં આવશે. IVF વાનમાં ઓરીજનલ ગીર નસલના આખલાના શુક્રાણુ તથા ગાયના અંડ મારફત લેબમાં ભ્રુણને વિકસાવવામા આવશે. આ ભ્રુણનુ કોઇપણ ગાયમા આરોપણ કરવામા આવશે. આ એક રીતે કોઈ પણ ગાય દ્વારા વાછરડુ ગીર નસલનુ જ પેદા થશે. IVFની મદદથી ખુબ જ ઝડપથી ગીર ગાયની સંખ્યા વધારી શકાશે.


ગીર ગાય સંવર્ધન ખર્ચ કોણ ભોગવશે?


કેન્દ્રીય પશુપાલન મંત્રાલય, રાજય સરકાર અને અમર ડેરીના સંયુકત ઉપક્રમે આ ભગીરથ કાર્ય હાથ પર લેવાયું છે.  IVF ટેકનોલોજીની મદદથી ગીર ગાયના સંવર્ધન પાછળ 21 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે.  આ ગર્ભધાનના તમામ ખર્ચમાંથી  કેટલીક રકમ કેન્દ્ર સરકાર, અમુલ ફેડરેશન અને બાકીની રકમ અમર ડેરી ભોગવશે. શરૂઆતમા 200 ગાયોને IVF ટ્રીટમેન્ટ આપી વાછરડા પેદા કરવાનુ આયોજન કરાયું છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.