ગીરની ગાયોની અસલ નસલને બચાવવા માટે અમરેલીમાં અભિયાન, IVF વાનનું લોકાર્પણ


  • Published By :
  • Published Date : 2023-01-03 14:51:58

ગીરની ગાયો દુનિયાભરમાં પ્રખ્યાત છે, એક જ સમયે 15 લિટર દુધ આપવા સક્ષમ ગીરની અસલ ગાયની ઓલાદ ધીરે-ધીરે ઘટી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દેશમાં અસલ ગીરની ગાયની ઓલાદો આગામી એક દાયકામાં લુપ્ત થઈ જશે. ગીરની જાતવાન ગાયોની અસલ નસ્લને બચાવવા માટે અમરેલીમાં ખાસ અમરેલીમા આઇવીએફ લેબ કાર્યરત થઇ ગઇ છે. આ ઉપક્રમે IVF વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે માત્ર નવ સ્થળે જ ગીરની ઓરીજનલ નસલ જળવાય છે, ત્યારે આવનારા એક દાયકામા અમરેલીમા મોટા પ્રમાણમા અસલ નસલની ગીર ગાય પેદા થાય તેવું મહાઅભિયાન હાથ ધરવામા આવ્યું છે. 


IVF વાન શા માટે?


અમરેલીમાં દેશની સૌપ્રથમ IVF વાન દ્વારા ગીરની ગાયોનું સંવર્ધન કરવામાં આવશે. IVF વાનમાં ઓરીજનલ ગીર નસલના આખલાના શુક્રાણુ તથા ગાયના અંડ મારફત લેબમાં ભ્રુણને વિકસાવવામા આવશે. આ ભ્રુણનુ કોઇપણ ગાયમા આરોપણ કરવામા આવશે. આ એક રીતે કોઈ પણ ગાય દ્વારા વાછરડુ ગીર નસલનુ જ પેદા થશે. IVFની મદદથી ખુબ જ ઝડપથી ગીર ગાયની સંખ્યા વધારી શકાશે.


ગીર ગાય સંવર્ધન ખર્ચ કોણ ભોગવશે?


કેન્દ્રીય પશુપાલન મંત્રાલય, રાજય સરકાર અને અમર ડેરીના સંયુકત ઉપક્રમે આ ભગીરથ કાર્ય હાથ પર લેવાયું છે.  IVF ટેકનોલોજીની મદદથી ગીર ગાયના સંવર્ધન પાછળ 21 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે.  આ ગર્ભધાનના તમામ ખર્ચમાંથી  કેટલીક રકમ કેન્દ્ર સરકાર, અમુલ ફેડરેશન અને બાકીની રકમ અમર ડેરી ભોગવશે. શરૂઆતમા 200 ગાયોને IVF ટ્રીટમેન્ટ આપી વાછરડા પેદા કરવાનુ આયોજન કરાયું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.