ગીરની ગાયોની અસલ નસલને બચાવવા માટે અમરેલીમાં અભિયાન, IVF વાનનું લોકાર્પણ


  • Published By :
  • Published Date : 2023-01-03 14:51:58

ગીરની ગાયો દુનિયાભરમાં પ્રખ્યાત છે, એક જ સમયે 15 લિટર દુધ આપવા સક્ષમ ગીરની અસલ ગાયની ઓલાદ ધીરે-ધીરે ઘટી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દેશમાં અસલ ગીરની ગાયની ઓલાદો આગામી એક દાયકામાં લુપ્ત થઈ જશે. ગીરની જાતવાન ગાયોની અસલ નસ્લને બચાવવા માટે અમરેલીમાં ખાસ અમરેલીમા આઇવીએફ લેબ કાર્યરત થઇ ગઇ છે. આ ઉપક્રમે IVF વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે માત્ર નવ સ્થળે જ ગીરની ઓરીજનલ નસલ જળવાય છે, ત્યારે આવનારા એક દાયકામા અમરેલીમા મોટા પ્રમાણમા અસલ નસલની ગીર ગાય પેદા થાય તેવું મહાઅભિયાન હાથ ધરવામા આવ્યું છે. 


IVF વાન શા માટે?


અમરેલીમાં દેશની સૌપ્રથમ IVF વાન દ્વારા ગીરની ગાયોનું સંવર્ધન કરવામાં આવશે. IVF વાનમાં ઓરીજનલ ગીર નસલના આખલાના શુક્રાણુ તથા ગાયના અંડ મારફત લેબમાં ભ્રુણને વિકસાવવામા આવશે. આ ભ્રુણનુ કોઇપણ ગાયમા આરોપણ કરવામા આવશે. આ એક રીતે કોઈ પણ ગાય દ્વારા વાછરડુ ગીર નસલનુ જ પેદા થશે. IVFની મદદથી ખુબ જ ઝડપથી ગીર ગાયની સંખ્યા વધારી શકાશે.


ગીર ગાય સંવર્ધન ખર્ચ કોણ ભોગવશે?


કેન્દ્રીય પશુપાલન મંત્રાલય, રાજય સરકાર અને અમર ડેરીના સંયુકત ઉપક્રમે આ ભગીરથ કાર્ય હાથ પર લેવાયું છે.  IVF ટેકનોલોજીની મદદથી ગીર ગાયના સંવર્ધન પાછળ 21 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે.  આ ગર્ભધાનના તમામ ખર્ચમાંથી  કેટલીક રકમ કેન્દ્ર સરકાર, અમુલ ફેડરેશન અને બાકીની રકમ અમર ડેરી ભોગવશે. શરૂઆતમા 200 ગાયોને IVF ટ્રીટમેન્ટ આપી વાછરડા પેદા કરવાનુ આયોજન કરાયું છે. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે