વેરાવળમાં ડૉ. ચગની આત્મહત્યા કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ, પરિવારજનોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા


  • Published By :
  • Published Date : 2023-03-10 21:24:38

ગીર સોમનાથના વેરાવળમાં ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસમાં પોલીસની નિષ્ક્રિયતાને લઈને સવાલો થઈ રહ્યા છે. ડો. ચગના આપઘાતને એક મહિનો થવા આવ્યો છતાં પોલીસને તપાસમાં કોઈ જ પ્રગતી થતી જોવા મળતી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે ડૉક્ટર અતુલકુમાર ચગે લખેલી સ્યૂસાઈડ નોટમાં આત્મહત્યા માટે સીધી જ રીતે ભાજપના જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને જવાબદાર ઠરાવતા તેમના નામનો ઉલ્લેખ કર્યો હતો. હવે મૃતકના પરિવારજનોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વેરાવળના નામાંકિત ડો. ચગે 12 ફેબ્રુઆરીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી.


પરિવારજનોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા


ગીરસોમનાથના જાણીતા તબીબ અતુલ ચગ આત્મહત્યા હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નથી ત્યારે પરિવારજનોએ હાઈકોર્ટમાં દાદ માગી છે. તબીબના આત્મહત્યા કેસમાં ન્યાય માટે પરિવારજનોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પોલીસ પરિવારજનોની ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી કંટેમ્પ્ટ પિટીશનમાં વેરાવળ સિટી પીઆઈ સુનિલ ઈશરાણી, DySP ખેંગાર, ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને જૂનાગઢ રેન્જ IGP મયંકસિંહ ચાવડાને પાર્ટી બનાવાયા છે.


કોંગ્રેસે પણ કાર્યવાહીની માગ કરી


ડો. અતુલ ચગની આત્મહત્યા મુદ્દે પોલીસની નિષ્ક્રિયતા મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. ગીર સોમનાથના કોંગ્રેસ પ્રભારી મહેશ રાજપૂતે ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપના સાંસદ સામે કેમ FIR થતી નથી. સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ સામે FIR નોંધવાની મૃતક તબીબના પરિવારજનોએ માગ કરી છે. સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ છે, છતાં પોલીસ કેમ ફરિયાદ નથી લેતી તેવો સવાલ કોંગ્રેસે કર્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.