વેરાવળમાં ડૉ. ચગની આત્મહત્યા કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ, પરિવારજનોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા


  • Published By :
  • Published Date : 2023-03-10 21:24:38

ગીર સોમનાથના વેરાવળમાં ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસમાં પોલીસની નિષ્ક્રિયતાને લઈને સવાલો થઈ રહ્યા છે. ડો. ચગના આપઘાતને એક મહિનો થવા આવ્યો છતાં પોલીસને તપાસમાં કોઈ જ પ્રગતી થતી જોવા મળતી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે ડૉક્ટર અતુલકુમાર ચગે લખેલી સ્યૂસાઈડ નોટમાં આત્મહત્યા માટે સીધી જ રીતે ભાજપના જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને જવાબદાર ઠરાવતા તેમના નામનો ઉલ્લેખ કર્યો હતો. હવે મૃતકના પરિવારજનોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વેરાવળના નામાંકિત ડો. ચગે 12 ફેબ્રુઆરીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી.


પરિવારજનોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા


ગીરસોમનાથના જાણીતા તબીબ અતુલ ચગ આત્મહત્યા હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નથી ત્યારે પરિવારજનોએ હાઈકોર્ટમાં દાદ માગી છે. તબીબના આત્મહત્યા કેસમાં ન્યાય માટે પરિવારજનોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પોલીસ પરિવારજનોની ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી કંટેમ્પ્ટ પિટીશનમાં વેરાવળ સિટી પીઆઈ સુનિલ ઈશરાણી, DySP ખેંગાર, ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને જૂનાગઢ રેન્જ IGP મયંકસિંહ ચાવડાને પાર્ટી બનાવાયા છે.


કોંગ્રેસે પણ કાર્યવાહીની માગ કરી


ડો. અતુલ ચગની આત્મહત્યા મુદ્દે પોલીસની નિષ્ક્રિયતા મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. ગીર સોમનાથના કોંગ્રેસ પ્રભારી મહેશ રાજપૂતે ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપના સાંસદ સામે કેમ FIR થતી નથી. સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ સામે FIR નોંધવાની મૃતક તબીબના પરિવારજનોએ માગ કરી છે. સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ છે, છતાં પોલીસ કેમ ફરિયાદ નથી લેતી તેવો સવાલ કોંગ્રેસે કર્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.